70 વર્ષથી શાસ્ત્રીય સંગીતના તાલે ચાલતી પરંપરાગત ગરબી, શું છે તેની વિશેષતા

By

Published : Sep 29, 2022, 7:46 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

જામનગર શહેરમાં છેલ્લા 70 વર્ષથી મહાકાલી ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 1953થી આ ગરબીનો પ્રારંભ થયો હતો. જેની ખાસ વિશેષતા એ છે કે, આ ગરબી માત્ર શાસ્ત્રીય સંગીતના તાલે યોજાય છે. એક બાજુ શહેરોમાં ડીજેના તાલે ભારે ઘોંઘાટ વચ્ચે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે. બીજી બાજુ શાસ્ત્રીય પરંપરાને જીવંત રાખવા માટે મારું કંસારા સમાજ દ્વારા શાસ્ત્રીય સંગીતના તાલે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ ભાગ લઈ રહી છે. ખાસ કરીને મારું કંસારા સમાજના વડીલોએ લખેલા માતાજીના ગરબાઓ અહીં ગાવામાં આવે છે. તેમજ કોઈપણ જાતના ઘોંઘાટવાળા વાજિંત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી. Mahakali Garbi Mandal in Jamnagar Classical music in Garbi Keeping the classical tradition alive Classical music by Kansara Samaj Mataji garba written by Maru Kansara community Mahakali Garbi Mandal organised Traditional Garba Traditional Garba Sung with classical music

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.