ભાજપ-આપના કાર્યકર્તા વચ્ચે સર્જાયું ઘર્ષણ, ઠકકરબાપા નગર વિધાનસભા બેઠકના ઉમેદવારને માર માર્યો
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ શાંતી ગયા છે. ત્યારે અમદાવાદ શહેરની ઠકકરબાપા નગર વિધાનસભા બેઠકના (Thakkarbapa Nagar assembly seat) આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરી (BJP people attacked AAP candidate Sanjay Mori) પર ભાજપના કાર્યકર્તા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાપુનગરની ભગવતી સ્કુલ પાસે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સામે સામે આવી જતાં ઘર્ષણ સર્જાયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈજાગ્રસ્ત થતા તેમને 108 મારફતે સરદાર પટેલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST