કોવિડ-19થી પીડિત ગર્ભવતી મહિલાઓને પ્રીએક્લેમપ્સિયાનો વધુ ખતરો રહે છેઃ અભ્યાસ

author img

By

Published : Aug 27, 2021, 4:31 PM IST

કોવિડ-19થી પીડિત ગર્ભવતી મહિલાઓને પ્રીએક્લેમપ્સિયાનો વધુ ખતરો રહે છેઃ અભ્યાસ

કોરોના સંક્રમણની વિવિધ પ્રકારની શારીરિક પરિસ્થિતિઓમાં જુદીજુદી અસરો થઇ રહી છે જે સંદર્ભે વિશ્વભરમાં તબીબી સંશોધકો અભ્યાસ કરી રહ્યાં છે. ગર્ભવતી મહિલાઓ પર કોવિડ 19ની અસરોને લઇને બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટી ઓફ સાઓ પાઉલો મેડિકલ સ્કૂલના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક વૈજ્ઞાનિક અભ્યાસમાં જણાયું હતું કે તેમનામાં પ્રીએક્લેમપ્સિયાનો વધુ ખતરો રહે છે

  • કોરોના સંક્રમણથી પીડિત ગર્ભવતી મહિલાઓ માટે નવું જોખમ
  • ગર્ભવતી મહિલાઓને પ્રીએક્લેમપ્સિયા થવાનો ખતરો વધારે
  • ફેડરલ યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલો મેડિકલ સ્કૂલના સંશોધકોનો દાવો
  • ગર્ભમાં રહેલા બાળકને પણ થાય છે નુકસાન, વિકાસમાં અવરોધ પેદા કરે છે

બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલો મેડિકલ સ્કૂલના સંશોધકો દ્વારા કરવામાં આવેલી એક વૈજ્ઞાનિક સમીક્ષામાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણથી પીડિત ગર્ભવતી મહિલાઓમાં પ્રીએક્લેમપ્સિયા થવાનો ખતરો વધારે હોય છે.

માતાનું બ્લડ પ્રેશર અનિયંત્રિત બને છે

ઉલ્લેખનીય છે કે પ્રીએક્લેમપ્સિયા એક ગર્ભાવસ્થા સાથે જોડાયેલી અવસ્થા છે, જે સામાન્ય રીતે ગર્ભાવસ્થાનો અડધો તબક્કો પાર કરી લીધા બાદ અથવા પછી બાળકના જન્મના કેટલાક સમય બાદ થાય છે. ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા બાદ આના વિકસિત થવાની સંભાવના સૌથી વધારે હોય છે. પ્રીએક્લેમપ્સિયાના કારણે અપરા એટલે કે પ્લેસેન્ટામાંથી લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે માતાનું બ્લડ પ્રેશર અનિયંત્રિત બની શકે છે અને ગર્ભમાં રહેલા બાળકને પૂરતાં પ્રમાણમાં ઑક્સિજન અને પોષક તત્વ નથી મળી શકતાં. આના કારણે તેના વિકાસમાં અવરોધ ઉભો થઈ શકે છે. આ અવ્યવસ્થા માતા અને બાળક બંનેને ગંભીર નુકસાન પહોંચાડે છે.

શરીરમાં પ્રોટીનને નુકસાન થાય છે

જર્નલ ક્લિનિકલ સાયન્સમાં પ્રકાશિત આ સમીક્ષામાં આંકડાના એક મોટા સેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં તારણ નીકળ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ થવાથી ACE2 કાર્ય પર અસર પડે છે, જેનાથી શરીરમાં પ્રોટીનને નુકસાન થઈ શકે છે, જે પ્લેસેંટાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવે છે. સાથે જ ACE2ના કાર્યના પ્રભાવિત થવાના કારણે માતાના બ્લડ પ્રેશરને પણ અસર થાય છે.

ACE2 એક પ્રકારનું પ્રોટીન છે, જે કોરોના ચેપથી પ્રભાવિત કોષો (ACE2 રીસેપ્ટર)ને બાંધવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ACE2 સ્તરોમાં ફેરફાર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તેમના પર નિર્ભર સિસ્ટમોની કામગીરીમાં વિક્ષેપ પાડે છે.

બિનસગર્ભા સ્ત્રીઓની તુલનામાં સગર્ભા સ્ત્રીઓને જોખમ વધારે

ફેડરલ યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલો મેડિકલ સ્કૂલ ( EPM-યુનીએફઈએપી)માં પોતાના ડૉક્ટરેટ અભ્યાસનું નેતૃત્વ કરનાર નાયરા અઝીન્હેરા નોબ્રેગા ક્રુઝ સમજાવે છે કે, "SARS-CoV-2 ચેપ ધરાવતી સગર્ભા સ્ત્રીઓમાં હાથ ધરાયેલા અભ્યાસોના તારણો અને પ્લેસેન્ટામાં ACE2 કાર્યની અસરના આધારે એવું તારણ કાઢી શકાય છે કે સગર્ભા સ્ત્રીઓને બિનસગર્ભા સ્ત્રીઓની તુલનામાં, કોવિડ -19 ચેપનું ગંભીર સ્વરૂપ વિકસવાનું જોખમ વધારે છે.

કોવિડ-19ના ગંભીર પરિણામો

સમીક્ષામાં સંશોધકોએ જોયું કે, ગર્ભવતી મહિલાઓમાં SARS-CoV-2 હોવાના કારણે ACE2ના રીસેપ્ટર તેમના પ્લેસેંટામાં ભરપૂર માત્રામાં જોવા મળે છે. આવામાં તેમના શરીરમાં વાયરસ દ્વારા એન્ઝાઇમની ક્રિયાના અવરોધની પ્રક્રિયાના કારણે ગર્ભવતી મહિલાઓમાં કોવિડ-19ના ગંભીર પરિણામો જોવા મળી શકે છે. કેમકે વાયરસ આ પ્રક્રિયાનો ઉપયોગ કોષો પર આક્રમણ કરવા માટે કરે છે, જેનાથી આ સંભવિત રીતે ACE2ની ઉપલબ્ધતા ઘટવા લાગે છે અને ગર્ભાવસ્થા દરમિયાન કાર્યને સુરક્ષિત કરવાની તેની ક્ષમતાને અસર કરે છે.

શું કહે છે સંશોધક?

ફેડરલ યુનિવર્સિટી સાઓ પાઉલોના મેડિસિન વિભાગના સંશોધક ડલ્સ એલેના કેસરિની જણાવે છે કે, "શરીરમાં ACE2ની ઉણપથી રેનિન-એન્જિયોટેંસિન વ્યવસ્થામાં અસંતુલન થઈ શકે છે, સાથે જ પેપ્ટાઇડ એન્જિયોટેંસિન 2માં વધારો થઈ શકે છે, જેના કારણે વેસોકૉન્સ્ટ્રિક્ટર માતાના બ્લડપ્રેશરને વધારે છે અને પ્રીએક્લેમપ્સિયાનો ખતરો વધી જાય છે. આ સમીક્ષામાં સંશોધકોએ એ વાત પર ભાર આપ્યો કે ગર્ભવતી મહિલાઓ કોવિડ-19 પ્રત્યે વધારે સંવેદનશીલ કેમ છે અને પ્રીએક્લેમપ્સિયામાં કોરોના સંક્રમણની શું ભૂમિકા છે એ વિષય પર રીસર્ચ કરવાની જરૂરિયાત છે.

આ પણ વાંચોઃ ભાવનાત્મક સ્વાસ્થ્યને બહેતર રાખવા માટે પ્રયાસો જરુરી છે, જાણો આ 9 ગુરુચાવીઓ

આ પણ વાંચોઃ માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધુ મહેનતની જરૂર નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.