નવરાત્રી દિવસ 2: દેવી બ્રહ્મચારિણીને અર્પણ કરવા પૂજાવિધિ અને ભોગ

author img

By

Published : Sep 27, 2022, 8:33 PM IST

Etv Bharatનવરાત્રી દિવસ 2: દેવી બ્રહ્મચારિણીને અર્પણ કરવા પૂજાવિધિ અને ભોગ

નવરાત્રિનો બીજો (Navratri Day 2) દિવસ 27 સપ્ટેમ્બર આજરોજ ઉજવવામાં આવશે. દ્વિતિયા તિથિ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 3:08 વાગ્યાથી 28 સપ્ટેમ્બરના રોજ સવારે 2:28 વાગ્યા સુધી અમલમાં રહેશે. નવરાત્રીના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણી (Goddess Brahmacharini) ની મૂર્તિને મધ અને દૂધમાં બોળવામાં આવે છે અને અંતે મૂર્તિના કપાળ પર સિંદૂર લગાવવામાં આવે છે.

હૈદરાબાદ: શારદીય નવરાત્રી (Navratri Day 2) નો તહેવાર, જે શુક્લ પક્ષ દરમિયાન અશ્વિન મહિનામાં શરૂ થાય છે. વર્ષ 2022 માં સોમવાર (26 સપ્ટેમ્બર) થી શરૂ થાય છે. લોકો દેવી દુર્ગાના નવ અવતારોની (Goddess Brahmacharini) પૂજા કરે છે, નવરાત્રીના નવ દિવસો આ એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે.

નવરાત્રી દિવસ 2: દેવી બ્રહ્મચારિણીને અર્પણ કરવા પૂજાવિધિ અને ભોગ
નવરાત્રી દિવસ 2: દેવી બ્રહ્મચારિણીને અર્પણ કરવા પૂજાવિધિ અને ભોગ

નવરાત્રિનો બીજો: 27 સપ્ટેમ્બર, આજ રોજ નવરાત્રિનો બીજો દિવસ ઉજવવામાં આવશે. દ્રિક પંચાંગ અનુસાર, દ્વિતિયા તિથિ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 3:08 વાગ્યાથી 28 સપ્ટેમ્બરના રોજ સવારે 2:28 વાગ્યા સુધી અમલમાં રહેશે.

નવરાત્રી દિવસ 2: દેવી બ્રહ્મચારિણીને અર્પણ કરવા પૂજાવિધિ અને ભોગ
નવરાત્રી દિવસ 2: દેવી બ્રહ્મચારિણીને અર્પણ કરવા પૂજાવિધિ અને ભોગ

પૂજા: દેવી બ્રહ્મચારિણી સફેદ વસ્ત્રો ધારણ કરે છે, તેમના જમણા હાથમાં જપમાલા (માળાની દોરી) અને ડાબા હાથમાં કમંડલ (પાણીનો વાસણ) ધરાવે છે. દેવી બ્રહ્મચારિણીએ મહાદેવીના નવદુર્ગા સ્વરૂપોનું બીજું સ્વરૂપ છે અને તેથી નવરાત્રીના બીજા દિવસે તેની પૂજા કરવામાં આવે છે.

કઠોર તપસ્યા: એવું કહેવાય છે કે, દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમની સાથે લગ્ન કરવા માટે મનાવવા માટે લગભગ 5000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. આખી તપસ્યા દરમિયાન તે પોતે બેલપત્ર અને નદીનું પાણી પિતા હતા. આ દ્રઢતાને કારણે તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું હતું.

બ્રહ્મચારિણી પૂજાવિધિઃ બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની મૂર્તિને મધ અને દૂધમાં બોળવામાં આવે છે અને અંતે મૂર્તિના કપાળ પર સિંદૂર લગાવવામાં આવે છે. ભક્તો દેવીને સફેદ કમળના ફૂલ, ચંદન, દૂધ, ચોખા, દહીં અને મધ અર્પણ કરે છે.

મહત્વ: દેવી બ્રહ્મચારિણી શુદ્ધતા અને સરળતા દર્શાવે છે. તે ભગવાન મંગલને નિયંત્રિત કરે છે અને તેના ભક્તોને શાંતિ અને સુખ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.