આ તહેવારોની સિઝનમાં રાખો સાવધાની

author img

By

Published : Sep 12, 2021, 10:00 PM IST

આ તહેવારોની સિઝનમાં રાખો સાવધાની

કોવિડ -19 ની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે તહેવારોની સિઝન આવી ગઈ છે. ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. બજારો ખીચોખીચ ભરેલા છે, પરંતુ તહેવારની ખુશી વચ્ચે સાવધાની ન છોડવી ખૂબ જ જરૂરી છે. વળી, બાપ્પાને આવકારવા માટે ઘર હોય કે પંડાલ હોય, તમામ સ્થળોએ કોરોના પ્રોટોકોલ હેઠળ સુરક્ષા ધોરણોનું ધ્યાન રાખવું જોઈએ.

  • ઉજવણી દરમિયાન સાવચેતીને ધ્યાનમાં રાખીને સલામતીના સાધનો હોવા જરૂરી છે
  • ત્રીજી લહેરની ચિંતા વચ્ચે તહેવારોની સિઝન આવી ગઈ છે
  • તહેવારની ખુશી વચ્ચે સાવધાની ન છોડવી ખૂબ જ જરૂરી છે

કોરોનાનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી, તેથી તહેવારોને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવા ઉપરાંત, ફરજિયાત સુરક્ષા સાથે તેને ઉજવવો પણ જરૂરી છે. ગણેશ ચતુર્થીની સાથે તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. જો તહેવાર હોય તો બજારમાં ભીડ રહેશે અને લોકોનું હળવા-મળવાનું પણ વધશે, સાથે સાથે સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ વધશે. આવી સ્થિતિમાં, આગામી ઉજવણી દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને સલામતીના સાધનો હોવા જરૂરી છે. જે કોરોનાના નિવારણ અને દેખરેખમાં મદદરૂપ થઈ શકે છે. વંદેલેના ડિરેક્ટર અને સહ-સ્થાપક કુણાલ સાહાના જણાવ્યા અનુસાર, આરોગ્ય સાથે સંકળાયેલા આવા પાંચ ઉપકરણો છે જેનું વર્તમાન પરિસ્થિતિમાં દરેક ઘરમાં હોવું જરૂરી બની ગયું છે.

તાપમાન માપવા વાળા અને અન્ય માપન ઉપકરણ

હાલમાં સંક્રમણના જોખમના પ્રારંભિક સંકેતોને તપાસવા માટે દરેક ઘરમાં થર્મોમીટર અને પ્રાધાન્યમાં ડિજિટલ ઇન્ફ્રારેડ હોવું જરૂરી છે. આ સિવાય પલ્સ ઓક્સિમીટર પણ COVID-19 ને કારણે શ્વસન સંબંધિત અન્ય સમસ્યાઓને કારણે અસરગ્રસ્ત ઓક્સિજનના સ્તરને તપાસવા માટે એક મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે.

ઉચ્ચ ગુણવત્તા વાળા માસ્ક

ઉચ્ચ ગુણવત્તાવાળા માસ્ક આપણને પ્રાથમિક સ્તરે કોરોના સંક્રમણથી બચાવે છે. તહેવારોનો સમય એવો છે કે, માત્ર બજારમાં જ ભીડ નથી, પરંતુ પંડાલો અને ઘરોમાં પણ લોકોનો ધસારો છે. આવી સ્થિતિમાં માસ્કનો ઉપયોગ માત્ર ઘરની બહાર જ નહીં પણ ઘરની અંદર પણ જરૂરી બની જાય છે. ખાસ કરીને એસએમએસ-મટિરિયલ માસ્ક ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. કેટલીકવાર લાંબા સમય સુધી માસ્ક પહેર્યા પછી, માસ્કના કાનની લૂપ પણ સમસ્યા ઉભી કરી શકે છે. આપણે લાંબા સમય સુધી માસ્ક પહેરીએ છે તેથી જો તે એલર્જી વિરોધી અને એડજસ્ટેબલ હોય તો પહેરવામાં વધુ આરામદાયક હોઈ શકે છે.

પોષક આહાર અને સપ્લીમેંટ્સ

આપણી પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવા માટે વિભિન્ન પોષક તત્વ, આહાર પૂરક તથા મલ્ટીવિટામિન ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. માત્ર પૌષ્ટિક આહાર જ નહી પરંતું વિટામીન-ડી, વિટામિન-સી, જિંક ટેબલેટ અને ઓમેગા-3 સપ્લીમેંટ તથા એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડેંટથી ભરપૂર અન્ય માઇક્રોન્યૂટ્રીએંટ આપણા શરીરને મજબૂતી આપીને તેને સંક્રમણના પ્રભાવથી મુક્ત રાખવામાં મદદ કરી શકે છે. પરંતું સપ્લીમેંટ લેતા પહેલા જરૂરી છે કે તેની રસીને લઇને ચિકિત્સકની એડવાઇઝ લેવી જોઇએ.

સ્ટીમ અથવા વરાળ લેવાનું મશીન

જો કે નિષ્ણાતોએ કોરોના વાયરસનો ઇલાજ કરવામાં વરાળ શ્વાસની અસરકારકતા પર શંકા વ્યક્ત કરી છે, પરંતું હંમેશા સામાન્ય શરદીમાં પણ નાક બંધ અથવા ભરાયેલું લાગે તો તે વરાળ લેવું ફાયદાકારક બની શકે છે. તેથી, આજકાલ દરેક ઘરમાં વરાળ લેવાવાળું મશીન હોવું જરૂરી બની ગયું છે.

ઓક્સિજન કોન્સનટ્રેટર

કોરોનાની બીજી લહેર દરમિયાન જ્યારે હોસ્પિટલોએ ચિકિત્સા ઓક્સિજનની નિર્બાધ આપૂર્તિ બનાવી રાખવા માટે સંઘર્ષ કરવામાં આવ્યો હતો. એવામાં હોસ્પિટલ અને ઘરમાં ઓક્સિજન કોન્સનટ્રેટર ઘણું મદદગાર સાબિત થયું હતું. માનવામાં આવે છે કે, ઓક્સિજન કોન્સનટ્રેટરની આ તહેવારોના મેડાવડા દરમિયાન ઘણા ઉપયોગી થઇ શકે છે. COVID-19 નના કારણે ઓક્સિજનનું સ્તર ખતરનાક સ્તર પર અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, આ ઉપકરણ કટોકટીમાં દર્દીના સ્વાસ્થ્યને સ્થિર કરી શકે છે. હકીકતમાં, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ સ્વ-સમાવિષ્ટ એકમો છે જે નાઇટ્રોજનને ફિલ્ટર કરતી વખતે આસપાસની હવામાંથી તબીબી ઓક્સિજન સતત એકત્રિત કરે છે અને ઓક્સિજન સિલિન્ડરોની જેમ તેમને પણ વારંવાર ભરવાની જરૂર નથી.

જો કે લોકોને ખબર હોવું જોઇએ કે, આ મશીનો માત્ર મધ્યમ કોવિડ મામલો માટે ઉપયોગી થાય છે. 90થી નીચેના ઓક્સિજનના સ્તરવાળા રોગીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા હોય છે. આ ઉપરાંત યાદ રાખો કે સેનિટાઇઝરમાં આલ્કોહોલ હોય છે અને આ વધુ જ્વલનશીલ હોય છે એટલે કે આ આસાનીથી આગ પકડે છે. તેને દીવા પાસે ના રાખો અને પોતાના પરિવાર અથવા મહેમાનોને આરતી કરતા પહેલા તેમના હાથ સેનિટાઇઝ ના કરાવો, પરંતું તમે તેમને સાબુ અથવા પાણીથી હાથ ધોવા માટે કહી શકો છો. સાથે જ બાળકો માટે વધારે સતર્ક રહો. બેદરકારી આપત્તિ તરફ દોરી શકે છે!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.