શું કોવિડ રસીકરણ પછી હૃદયના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો છે ?

author img

By

Published : Sep 12, 2021, 9:22 PM IST

શું કોવિડ રસીકરણ પછી છે હૃદયના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો?

કોરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં દરેકને સમાન રીતે અસર કરી છે. તે જાણીતું છે કે, કોમોરબીટી અથવા અન્ય જટિલ રોગોથી પીડિત લોકોને કોરોના સંક્રમણનું જોખમ વધારે છે. ખાસ કરીને કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કાથી હૃદયના દર્દીઓને સંક્રમણ અને તેની જટિલતા માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે.

  • નિષ્ણાતો દ્વારા વહેલી તકે રસી અપાવવાની સલાહ અપાય છે
  • લોકો હજુ પણ કોવિડ-19ની રસી વિશે ફેલાયેલી અફવામાં વિશ્વાસ કરે છે
  • રસીની આડઅસરો દરેકમાં સમાન રીતે જોવા મળે છે

કાર્ડિયોવાસ્ક્યુલર રોગોથી પીડાતા લોકો માટે મહામારીનો આ સમય ખૂબ જ સંવેદનશીલ છે. જેનું પરિણામ એ છે કે, હૃદયના દર્દીઓ અચાનક મૃત્યુ અને સંક્રમણની ગંભીર અસરોના ભય હેઠળ જીવી રહ્યા છે.

માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાની બીજી લહેરમાં કોવિડ -19 થી સાજા થયા પછી મોટાભાગના અચાનક મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયા હતા. તેથી હૃદયરોગના ઇતિહાસ ધરાવતા લોકોને ડોકટરો અને નિષ્ણાતો દ્વારા વહેલી તકે રસી અપાવવાની સલાહ આપવામાં આવી હતી.

જો કે, કેટલાક લોકો હજુ પણ COVID-19 રસીઓ વિશે પ્રસારિત ભ્રમમાં વિશ્વાસ કરી રહ્યા છે, પરંતુ હાલમાં ડોકટરો દ્વારા ખાસ કરીને હૃદયના દર્દીઓ માટે વેક્સિન શોટ ફરજિયાત છે. આ હકીકત એ પ્રશ્નનો જવાબ આપ્યો છે જે લાંબા સમયથી જાહેર જિજ્ઞાસાનો પ્રશ્ન હતો, શું કોવિડ -19 રસી હૃદયરોગ ધરાવતા લોકો માટે સલામત છે?

જો કે, હૃદયના દર્દીઓને કોવિડ -19 રસીકરણ પછી આડઅસર તરીકે ગિલૈન-બૈરે સિન્ડ્રોમ (GBS), લોહી ગંઠાઈ જવું, માયોકાર્ડિટિસ (હૃદય સ્નાયુની બળતરા) અથવા એનાફિલેક્સિસ (એન્ટિજેન પ્રત્યે તીવ્ર એલર્જીક પ્રતિક્રિયા) ના જોખમ આવી ગયું છે, પરંતુ આંકડા દર્શાવે છે કે આમાંની મોટાભાગની આડઅસરો રસીકરણના થોડા અઠવાડિયા પછી જ રહે છે. આ સમસ્યાઓ લાંબા સમય સુધી રહેતી નથી. જો આ સમસ્યાઓને સમયસર ઓળખવામાં આવે તો તેમનું નિદાન અને સંચાલન બન્ને શક્ય છે.

આંકડા દર્શાવે છે કે, રસી સાથે સંકળાયેલી સરેરાશ ગંભીર આડઅસરો સામાન્ય વસ્તી પર અન્ય રોગોની આડઅસરોની સરખામણીમાં સરેરાશ કરતા ઓછી છે. ઉદાહરણ તરીકે, સામાન્ય સંક્રમણ સાથે ગિલેન-બેરે સિન્ડ્રોમથી થતું નુકસાન કોરોના પીડિતો દ્વારા થવાની સંભાવના 17 ગણી વધારે છે. આ સંદર્ભે વિવિધ તપાસ અહેવાલો સૂચવે છે કે, કોવિડ -19 રસીઓ માત્ર હૃદયના દર્દીઓ માટે જ સલામત નથી, પરંતુ તે તેમના માટે ખૂબ મહત્વની પણ છે.

આ વર્ષની શરૂઆતમાં અમેરિકન હાર્ટ એસોસિએશને એક નિવેદન બહાર પાડીને બધા લોકોને વેક્સિન મૂકાવવાનો આગ્રહ કર્યો હતો, જેનાથી સંબંધિત સૂચનામાં વિશેષરીતે હદય રોગથી પીડીત અને હાર્ટ એટેક , સ્ટ્રોકથી જોડાયેલા લોકોને વહેલામાં વહેલી તકે વેક્સિન મૂકાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.

અહીં એ જાણવું પણ જરૂરી છે કે, તાવ, થાક, માથાનો દુખાવો અને સાંધાનો દુખાવો અને ઈન્જેક્શન સાઇટ પર દુખાવો રસીકરણ પછી ખૂબ સામાન્ય આડઅસરો છે. વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ હોય કે હૃદયરોગથી પીડિત હોય પણ રસીની આ આડઅસરો દરેકમાં સમાન રીતે જોવા મળે છે. પરંતુ જો કોઈ લક્ષણો લાંબા સમય સુધી અથવા ગંભીર સ્વરૂપમાં જોવા મળે, તો તરત જ તમારા ડોક્ટરની સલાહ લો.

એ ધ્યાન રાખવું પણ મહત્વનું છે કે, રસીકરણ કોરોના સામે 100 ટકા રક્ષણની બાંયધરી આપતું નથી, પછી ભલે વ્યક્તિ તંદુરસ્ત હોય કે હૃદય રોગથી પીડિત હોય. પરંતુ રસીકરણ સંક્રમણના જોખમને ઘટાડી શકે છે, જેનાથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટી જાય છે. તે જ સમયે, રસીકરણ પછી પણ, શારીરિક અંતર જાળવવું, માસ્ક પહેરવું અને હાથની સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.