વડોદરા દુષકર્મ મામલોઃ વડોદરાના વેકસીન કેમ્પસમાં દુષ્કર્મ કેસની તપાસનો ધમધમાટ

author img

By

Published : Nov 17, 2021, 9:08 PM IST

વડોદરા દુષકર્મ મામલોઃ વડોદરાના વેકસીન કેમ્પસમાં દુષ્કર્મ કેસની તપાસનો ધમધમાટ

વડોદરાની યુવતી પર દુષકર્મ મામલે(Vadodara misdemeanor case) રેલવે ભવન ખાતે આઈ જી દ્વારા નિવેદન અપાયું કે યુવતીની મળેલી ડાયરીના આધારે અકસ્માતે મોતની ફરિયાદ બાદ તાપસ કરતા અલગ અલગ તર્ક વિતર્કો બહાર આવી રહ્યા છે.વલસાડમાં યુવતી આત્મહત્યાનો મામલો પોલીસની તપાસનો(Police investigation into suicide case) ધમધમાટ ચાલુ છે ત્યારે હવે રેલવે આઈ જી સુભાષ ત્રિવેદી (IG Subhash Trivedi)એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે રીતે તપાસ થઈ રહી છે. તેને ધ્યાનમાં લઈને હાલ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કલમ 306 દાખલ કરવામાં આવી રહી છે.

  • નવસારી ટ્રેનમાં યુવતીની આત્મહત્યા મામલો
  • આ કેસને જોડતી કડીઓ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી
  • તમામ ફરિયાદ વલસાડ રેલવે પોલીસ ની હદમાં દાખલ કરવામાં આવશે

વડોદરાઃનવસારીની યુવતીની વલસાડ રેલવે સ્ટેશન (Valsad railway station)પર ગુજરાત કવિન એક્સપ્રેસ ટ્રેનમાં આત્મહત્યા અને વડોદરાના વેકસીન કેમ્પસ(Vaccine Campus of Vadodara)માં થયેલ દુષ્કર્મ કેસની તપાસનો ધમધમાટમાં યુવતીના માતાપિતા તથા ભાઈની ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે 29 મી એ ઘટના ઘટી ત્યાર પછી યુવતી નવસારી ગઈ હતી. 2 જી તારીખે તેની માતાને કહ્યું હતું કે તે મરોલી તેની ટીચર નિર્મલાને મળવા જાય છે પરંતુ તે આત્મહત્યાના દિવસે સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station)પર દેખાઈ હતી. વડોદરા થી નવસારી આવ્યા પછી યુવતીએ શું વાતચીત કરી તેની સાથે શુ થયું તે મરોલી અથવા સુરત ગઈ તે અંગે તપાસ કરવામાં આવશે.

વડોદરા દુષકર્મ મામલોઃ વડોદરાના વેકસીન કેમ્પસમાં દુષ્કર્મ કેસની તપાસનો ધમધમાટ

પોલીસની તપાસથી પરિવારજનો સંતુષ્ટ

આ મામલે યુવતી આત્મહત્યા કરવા કેમ મજબૂર બની તેની કડીઓ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. રેલવે પોલીસની તપાસથી પરિવારજનો સંતુષ્ટ છે અને યુવતીની માતાપિતા તથા ભાઈએ સંતોષ વ્યક્ત કર્યો અમને આશા છે કે ન્યાય મળશે. ત્રણ દિવસમાં ડી.એન.એ રિપોર્ટ(DNA report) મળે તે રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આત્મહત્યા અને કથિત દુષ્કર્મના એન્ગલ થી તપાસ થઈ રહી છે. જુના સેક્સ ઓફ્રેન્ડર,શંકાસ્પદ લોકો અને નશેબાજો અને રીક્ષા ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે અને થોડા સમયમાં આ કેસનો ઉકેલ આવી જશે તેવુ રેલવે પોલીસે જણાવ્યું છે. એફ.એસ.એલ રિપોર્ટ આવવાનો બાકી હોવાથી દુષ્કર્મની ઘટના હોઈ શકે છે અને યુવતીના કેસના સાક્ષીઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

વડોદરા વેકસીન ગ્રોઉડ દુષ્કર્મ મામલે રેલ્વે આઈ જી નું નિવેદન

વડોદરાની યુવતી પર દુષકર્મ મામલે રેલવે ભવન ખાતે આઈ જી દ્વારા નિવેદન અપાયું કે યુવતીની મળેલી ડાયરીના આધારે અકસ્માતે મોતની ફરિયાદ બાદ તાપસ કરતા અલગ અલગ તર્ક વિતારકો બહાર આવી રહ્યા છે.તમામ સાક્ષી ડાયટીમાં લખેલી તારીખ અને બનાવની તારીખ બંને અલગ અલગ જણાતા તમામ તાપસ લંબાઈ હતી. સાથે મળતી વિગતો અનુસાર તેના પરિવારના સભ્યો પણ આ તપાસમાં સાથ આપી રહ્યા છે.આ યુવતીને જગદીશની ગલીમાંથી ધક્કો મારી બે યુવકો વેકસીનેશન ગ્રાઉન્ડના અવાવરું જગ્યાએ લઈ ગયા હતા તેવું તેને જોનાર સાક્ષીના આધારે કહી શકાય.યુવતી રેલવે કોચમાં એકલી હતી તેવું જાણકારી સાક્ષીના આધારે મળી છે.

આત્મહત્યાનો મામલો પોલીસની તપાસનો ધમધમાટ

વલસાડમાં યુવતી આત્મહત્યાનો મામલો પોલીસની તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે હવે રેલવે આઈ જી સુભાષ ત્રિવેદી એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે રીતે તપાસ થઈ રહી છે. તેને ધ્યાનમાં લઈને હાલ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કલમ 306 દાખલ કરવામાં આવી રહી છે અને વધુ માં દુષ્કર્મની કલમનો પણ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ ઉમેરો થઈ શકશે. જોકે આ તમામ ફરિયાદ વલસાડ રેલવે પોલીસ ની હદમાં દાખલ કરવામાં આવશે. પોલીસ દ્વારા અત્યાર સુધી માં વડોદરાના વેકસીન મેદાન સહિત વિસ્તારોનું આજુબાજુમાં ફરતા 20,000 થી વધુ લોકોની કોલ ડિટેલ કઢાવી છે જેમાં 7,000 રીક્ષા ચાલકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ સુરતના 23 વર્ષીય યુવકના અંગદાનથી 7 લોકોને નવું જીવન મળ્યું, ભુજની યુવતીમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ

આ પણ વાંચોઃ Vishwa Umiyadham Templeનું નિર્માણકાર્યનો કરાશે પ્રારંભ, CM પણ રહેશે હાજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.