સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવમાં ઉજવણીમાં PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

author img

By

Published : May 19, 2022, 2:24 PM IST

વડોદરાના સ્વામિનારાયણ મંદિરના 18માં પાટોત્સવમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ જોડાયા

વડોદરામાં સ્વામિનારાયણ મંદિરના(Vadodara Swaminarayan Temple) ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવની ઉજવણી કરવામાં (Swaminarayan Patotsav )આવી રહી છે. આ સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત મહાનુભવો રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા: શહેરના કારેલીબાગમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના (Vadodara Swaminarayan Temple)ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવની ઉજવણી(Vadodara Swaminarayan Temple Patotsav) કરવામાં આવી રહી છે. આ સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Narendra Modi )વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન વતી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પ્રાકૃતિક ખેતી માટે ફ્લોટ્સ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

પાટોત્સવ

આ પણ વાંચોઃ ધોલેરા મદનમોહનજી મહારાજ મહારાજનો 195મો પાટોત્સવ ઉજવાયો

18માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી - આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા શહેરી વિકાસ પ્રધાન વિનોદ મોરડિયા, ધારાસભ્ય યોગેશ પટેલ, જીતેન્દ્ર સુખડીયા, શૈલેષ સોટ્ટા, કેતન ઈમાનદા, અક્ષય પટેલ સહિત શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, મેયર કેયુર રોકડીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ, સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ વગેરે મહાનુભવો રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા.

પાટોત્સવ
પાટોત્સવ

આ પણ વાંચોઃ પંચમહાલના વાઘજીપુર ગામે સ્વામિનારાયણ મંદિરનો 44મો પાટોત્સવ યોજાયો

20 મેના રોજ રક્ષાપ્રધાન રાજનાથસિંહ પણ હાજરી આપશે - વડોદરા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ મહારાજના 18મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આવનાર તારીખ 20 મેના રોજ ભારત સરકારના રક્ષાપ્રધાન રાજનાથસિંહ પણ આ કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.