અટલ બિહારી વાજપેઇના જન્મદિવસને ગુજરાત સરકાર સુશાસન દિવસ તરીકે ઉજવી રહી છે. જેના પગલે ખેડૂતોને સહાય ચૂકવવાની શરૂઆત કરાઈ છે. રાજ્યમાં 56.36 લાખ ખેડૂતોને 3795 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લાના 7,98,135 ખેડૂતોએ લાભ મેળવ્યો હતો.
રાજ્યમાં એક ઇંચથી વધુ વરસાદવાળા તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર 6,800 રૂપિયા મળશે તો સાવલી તાલુકાના 44 ગામોના ખેડૂતોને પતિ હેક્ટર 6,800 રૂપિયા ચૂકવવામાં આવશે. તેમજ વાઘોડિયા તાલુકાના ગામોને 4000 રૂપિયા સહાય પેટે ચૂકવવામાં આવશે. વડોદરામાં 82,552 લાભાર્થીઓએ પણ નોંધણી કરાવી હતી. જેમાંથી 53,607 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી.
વડોદરામાં પણ આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો સંમેલન યોજાયો હતું. જેમાં વડોદરા સહિત પાંચ જિલ્લાના 1,61,507 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત ખેડૂતો અને સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, " આજે સાંજ સુધી 8 લાખ ખેડૂતોના ખાતામાં સહાયની રકમ આવી જશે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી હતી કે, રાજ્યના ખેડૂતોને ઉનાળા, ચોમાસાના પાક માટે સરકાર પૂરતું પાણી આપશે. તીડના આતંક સામે સરકાર ખેડૂતો સાથે ઊભી છે અને તીડને દૂર કરવા માટે ડ્રોન કેમેરાથી દવા છંટકાવ કરવામાં આવી રહી છે. તેમજ પાક વીમા માટે સરકાર ગંભીર છે. વહેલીતકે વીમા કંપનીઓ પાક વીમો ચૂકવે તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે."