અમેરિકાની સંસ્થા વડોદરા મેડિકલ કોલેજના MBBSના 10 વિદ્યાર્થીને વિવેકાનંદ શિષ્યવૃત્તિ આપશે

author img

By

Published : Jun 20, 2022, 2:19 PM IST

અમેરિકાની સંસ્થા વડોદરા મેડિકલ કોલેજના MBBSના 10 વિદ્યાર્થીને વિવેકાનંદ શિષ્યવૃત્તિ આપશે

વડોદરાની મેડિકલ કોલેજના(Vadodara Medical College) ઇતિહાસમાં ગૌરવનું અનોખું પ્રકરણ ઉમેરાયું છે. અહીં MBBSનું શિક્ષણ મેળવતા 10 વિદ્યાર્થીઓની વિવેકાનંદ શિષ્યવૃત્તિ (10 MBBS students Vivekananda Scholarship)માટે પસંદગી થઈ છે. આ વિદ્યાર્થીઓને પહેલા વર્ષે બે હપ્તામાં 800 અમેરિકન ડોલરની ચુકવણી સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં ન્યૂયોર્કનું વી.એસ.પી.સી.કરશે.

વડોદરા: શહેરની મેડિકલ કોલેજના ઇતિહાસમાં ગૌરવનું અનોખું પ્રકરણ (10 MBBS students Vivekananda Scholarship)ઉમેરાયું છે. અહીં MBBSનું શિક્ષણ મેળવતા 10 વિદ્યાર્થીઓની વિવેકાનંદ શિષ્યવૃત્તિ(Vivekananda Scholarship) માટે પસંદગી થઈ છે. જે પહેલીવાર બન્યું છે. અમેરિકામાં ન્યૂયોર્ક સ્થિત વિવેકાનંદ સ્ટડી એન્ડ ફિલાન્થ્રોપીક સેન્ટર દ્વારા પસંદ થયેલા તબીબી વિદ્યાર્થીઓને (Vadodara Medical College) તેના હેઠળ MBBSનો અભ્યાસ સંપન્ન થતાં સુધી દર વર્ષે 800 અમેરિકન ડોલર( રૂપિયા 60,000 અંદાજે)નો વજીફો મળશે જે તેમને વિદ્યાભ્યાસ આગળ વધારવામાં ખૂબ મદદરૂપ બનશે. જે પ્રત્યેક વર્ષે બે હપ્તામાં આ રકમ પસંદ થયેલા વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે જેના માટે તેમને એસબીઆઈનું બેંક ખાતું ખોલાવવું પડશે.

આ પણ વાંચોઃ Mukhyamantri Scholarship Scheme : ધોરણ 10 બાદ આ વિદ્યાર્થીઓને મળશે લાભ, જાણો...

SSG સુપરિટેન્ડ શું કહે છે - પસંદગીની પ્રક્રિયા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે ધર્મ કે કોમનો ભેદ રાખ્યા વગર માત્ર ને માત્ર વિદ્યાભ્યાસમાં તેજસ્વીતા,પરિવારની આર્થિક નબળાઈ અને આધ્યાત્મિક વિચારોમાં આસ્થાના માપદંડોને આધારે નિષ્પક્ષ અને પારદર્શક રીતે લાયક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં( New York VSPC)આવે છે. આ તબીબી વિદ્યાર્થીઓએ દર વર્ષે સારા ગ્રેડ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે.

સેવા પ્રવૃત્તિઓમાં મર્યાદિત યોગદાન - એક વિશેષ સરત એ છે કે આ વિદ્યાર્થીઓએ દર રોજ રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા સૂચવાય એવા પુસ્તકોનું 20 થી 30 મિનિટનું વાંચન કરીને દર રવિવારે એ પૈકી પસંદગીના વાક્યો વોટ્સેપ ગ્રુપમાં શેર કરવાના રહેશે. આ ઉપરાંત નૈતિકતા અને ચારિત્ર્યના માપદંડોના પાલન બીને વડોદરા કેન્દ્રના સ્વામી ઈષ્ટમાયાનંદજી સૂચવેએ પ્રમાણે શક્ય સમય ફાળવીને મિશનની સેવા પ્રવૃત્તિઓમાં મર્યાદિત યોગદાન આપવાનું રહેશે.

આ પણ વાંચોઃ ખાનગી યુનિવર્સિટીમાં નોન FRC કોર્સમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવામાં આવશે

કોનો કોનો સમાવેશ - એક વાતની ખાસ નોંધ લેવી કે ન્યૂયોર્કના સાથી ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ ડો.ભદ્રા શાહ અને વિવેકાનંદ સ્કોલરશીપ માટે જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવે છે. આમા પ્રકાશ ચક્રવર્તીનો પણ ઉમદા સહયોગ મળ્યો છે. આમ,શૈક્ષણિક તેજસ્વીતાને ઉત્તેજન આપતી આ વ્યવસ્થાને એક ઉદાર ગુજરાતીનો ટેકો છે. આ સ્કોલરશીપ માટે આસ્થા, આરતી, દિવ્યા, હાર્દિક, કેવલ, શ્રેય, પાર્થિવ, પ્રેમ, ચેતન અને નિર્મલની પસંદગી થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.