તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના

author img

By

Published : Jun 28, 2021, 4:15 PM IST

Updated : Jun 28, 2021, 5:13 PM IST

તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના

જૂન મહિનામાં પ્રથમ વરસાદના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે. ત્યારે સોનગઢના દેવજીપૂરાના જનજાતિ સમાજ દ્વારા આદિવાસીઓની પરંપરા મુજબ નંદરિયા દેવની પૂજા કરવામાં આવે છે.

પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય એટલે જનજાતિ સમાજના પરંપરાગત રૂઢિગત તહેવારો

આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે

ખેતીની મોસમ પ્રમાણે આદિવાસી પ્રજાના તહેવારો આવે છે


તાપી: સોનગઢ દેવજીપૂરાના જનજાતિ સમાજ દ્વારા આદિવાસીઓની રૂઢિ પરંપરા અને રીત-રિવાજ મુજબ જૂન મહિનામાં પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે. ત્યારે તેની ખુશીમાં પરંપરાગત ગ્રામ-દેવતાઓમાંના, વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલા એક નંદરિયો દેવ પૂજવામાં આવ્યા છે

તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના
તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના

મારઘીની આહુતિ આપી કરાય છે પૂજા

ગામ-સીમાડે આવેેલા દેવના સ્થાનકે જઈને ગામના પુજારા અને વડીલો દ્વારા નારીયેળ ફોડી, સાક પાડી-(જમીન પર દારુ રેડી) અને મરઘીની આહુતિ આપી પૂજા કરીને પ્રાર્થના કરવામાં આવે છે.

તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના
તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના

ઉગેલા ધાન્ય અને જંગલની વનસ્પતિ માટે પૂજા કરાય છે

આ પ્રાર્થના એ માટે કરવામાં આવે છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમિયાન કોઇપણ હાની સામે ટકી રહે, જેથી તેમનો અને સાથે-સાથે સમગ્ર જીવજંતુઓનો અને સમસ્ત સૃષ્ટિનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે.

Last Updated :Jun 28, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.