Tapi: ભાજપના મહામંત્રી પર ભ્રષ્ટાચાર કર્યા હોવાના કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા આક્ષેપો

author img

By

Published : Jul 1, 2021, 11:57 AM IST

તાપી જિલ્લા ભાજપના મહામંત્રી પર ભ્રષ્ટાચાર કર્યા હોવાના કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા ચોંકાવનારા આક્ષેપો

તાપી(Tapi) જિલ્લામાં આદિવાસી બેરોજગાર યુવક-યુવતીઓને તાલીમ આપવાની યોજનામાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી છે અને આ યોજનામાં તાલીમ આપવાનું કામ કરતી સંસ્થા જિલ્લા ભાજપના જ મહામંત્રી વિક્રમ તરસાડીયા(Vikram tarsadiya)ની જ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

  • આદિવાસી બેરોજગાર યુવક-યુવતીઓને તાલીમ આપવાની યોજનામાં ગેરરીતિ થઈ હોવાની વિગતો આવી સામે
  • આદિવાસીઓની પરંપરાગત વારલી પેઇન્ટિંગ, સીવણ કલાસ તેમજ કડીયાકામના તાલીમ વર્ગોમાં તાલીમ અપાઈ
  • તાલીમની ગુણવત્તા પણ બરાબર ન હોવાનું તાલીમાર્થીઓએ જણાવ્યું

તાપીઃ સરકાર દ્વારા રાજ્ય વિસ્તારોમાં વસવાટ કરતા, છેવાડાના આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા ગરીબ આદિવાસી પરિવારોને પગભર કરવા હેતુ તેમજ સમાજના અન્ય વર્ગો સાથે ખભેખભા મિલાવી સ્વમાનભેર આર્થિક રીતે સક્ષમ થઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી જીવી શકે એ માટે દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. ત્યારે તાપી જિલ્લામાં આવી જ એક આદિવાસી બેરોજગાર યુવક યુવતીઓને તાલીમ આપવાની યોજનામાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી છે.

તાપી જિલ્લા ભાજપના મહામંત્રી પર ભ્રષ્ટાચાર કર્યા હોવાના કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા ચોંકાવનારા આક્ષેપો

આ પણ વાંચોઃ ડાંગનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા બાગાયત, કૃષિ અને પશુપાલનની તાલીમ યોજાઈ

બેરોજગાર આદિવાસી યુવક-યુવતીઓને રોજગાર મળે એ હેતુથી અપાઇ તાલીમ

તાપી જિલ્લામાં ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન ચૌધરી(Bipin Chaudhri)એ સાંસદ પ્રભુ વસાવા(Prabhu Vasava) અને મંત્રી ગણપત વસાવા(Ganpat Vasava)ના મોટિવેશનથી તાપી(Tapi) જિલ્લાની ટ્રાઇબલ સબ પ્લાન કચેરીમાં મસમોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે રાજીનામુ ધરી દેતા જિલ્લા ભાજપમાં કમઠાણ સર્જાયું છે, ત્યારે સોનગઢના ચાંપાવાડી ગામે બેરોજગાર આદિવાસી યુવક-યુવતીઓને રોજગાર મળે એ હેતુથી આદિવાસીઓની પરંપરાગત વારલી પેઇન્ટિંગ, સીવણ કલાસ તેમજ કડીયાકામના તાલીમ વર્ગોમાં તાલીમ અપાઈ હતી.

તાલીમાર્થીઓ દ્વારા પૂરતી તાલીમ ના આપી હોવાની ફરિયાદ કરાઇ

તાલીમાર્થીઓને તાલીમ પુરી થયા બાદ જે ફેકલ્ટીની તાલીમ લીધી હોય, તેવા રોજગારીના સાધનોની કીટ આપવાની હોય છે. પરંતુ તાલીમ પુરી થયાના મહિનાઓ થઇ ગયા છતાં હજુ સુધી રોજગાર માટેના સાધનો તાલીમ આપનાર સંસ્થા દ્વારા ન આપવામાં આવતા તાલીમાર્થીઓ દ્વારા પૂરતી તાલીમ ના આપી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે વારલી પેંઇન્ટિંગના તાલીમાર્થીઓને એક રબર, એક પેન્સિલ, એક બ્રશ, થોડા ડ્રોઈંગ પેપર, બોર્ડ અને નાના બાળકો માટેના ફક્ત 30 રૂપિયાના વોટર કલર પકડાવી દઈ જાણે ગરીબ અને બેરોજગાર આદિવાસી તાલીમાર્થીઓ સાથે મજાક કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

સિલાઈ મશીનનું ભાડું સંસ્થાએ ન ચૂકવતા સિલાઈ મશીનના માલિકો તાલીમાર્થીઓ પાસે માગે છે ભાડુ

વધુમાં તાલીમાર્થીઓએ ETV Bharatની ટીમને જણાવ્યું હતું કે, તાલીમની ગુણવત્તા પણ બરાબર ન હોવાનું અને તાલીમ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવતા ચા-નાસ્તા પણ ન આપ્યા હોવાનું જણાવ્યું હતું અને સિવણની તાલીમ આપવા માટે ભાડે લેવાયેલા સિલાઈ મશીનનું ભાડું પણ સંસ્થાએ ન ચૂકવતા સિલાઈ મશીનના માલિકો તાલીમાર્થીઓ પાસેથી ભાડું માગી રહ્યા છે.

તાલીમના નામે માત્ર ભૂતિયા વર્ગો ચલાવાય છે

તાપી જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા કરાયેલા આયોજનમાં તાલીમ વર્ગો ખૂબ જ વિવાદાસ્પદ બન્યા છે. કહેવાય છે કે, તાલીમના નામે માત્ર ભૂતિયા વર્ગો ચલાવાય છે. ત્યારે આ યોજનાના સોનગઢ તાલુકાના અમલીકરણ અધિકારી તરીકે ઉકાઈ આઈટીઆઈના પ્રિન્સિપાલ નીતાબેન ગામીત(Nita Gamit)ને પૂછ્યું હતું કે, આ બધી તાલીમ કેવી રીતે આપવામાં આવે છે અને તાલીમ બાદ તાલીમાર્થીઓને શુ આપવામાં આવે છે. તેઓ પાસે હાલ પૂરતી માહિતી ન હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે.

તાલીમ આપતી એનજીઓ ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના સંચાલક કોણ છે તેમ પૂછવામાં આવતા પ્રિન્સીપાલ અચકાયા

તાપી(Tapi) જિલ્લામાં આદિજાતિ વિકાસના નામે જે ગરીબ અને આદિવાસી બેરોજગારોને તાલીમ આપવામાં આવે છે, જેમાં તાલીમ આપનારી એનજીઓ(NGO) વ્યારાની ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના સંચાલક કોણ છે એવું પૂછવામાં આવતા ઘડીક વાર પ્રિન્સિપાલ અચકાયા હતા. કારણ કે, આ એનજીઓ ગુરુકૃપા એજ્યુકેશન અને વેલ્ફેર ટ્રસ્ટ જિલ્લા ભાજપના મહામંત્રી અને કદાવર નેતા વિક્રમ તરસાડીયાની જ છે.

આ પણ વાંચોઃ ડાંગના વઘઇ તાલુકામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને યોજાયું વ્યાપક જનજાગૃતિ અભિયાન

સરકાર દ્વારા આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી છે

પ્રાયોજના અધિકારી દ્વારા આયોજનમાં લેવામાં આવેલા મલાઈદાર તાલીમના કામો હોય છે. જેમાં ઘણી બધી જગ્યાએ તાલીમ આપ્યા વિના પણ કાગળ પર લાભાર્થીઓ બતાવાય છે અને બિલો મૂકી રોકડા ઘર ભેગા કરાય છે. આ તાલીમોમાં કઈ રીતે ભૂતિયા નામો અને તેઓના પુરાવા મેળવાય છે? આ સપ્લાયના કારોબારમાં કઈ રીતે ખેલ થાય છે? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે જિલ્લા ભાજપના મહામંત્રી વિક્રમ તરસાડીયાની એનજીઓ ગુરુકૃપા એજ્યુકેશન અને વેલ્ફેર ટ્રસ્ટના દ્વારા કરેલા તાલીમ વર્ગોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો સામે આવતા સરકાર દ્વારા આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

ભાજપના વિક્રમ તરસાડીયાએ 20 એનજીઓ બનાવી છે. તેની તપાસ થાય:પુનાજી ગામીત

વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામિતે(Punaji Gamit) જણાવ્યું હતું કે, જે પ્રશ્ન તાપી જિલ્લામાં ઉપસ્થિત થયો છે. ટ્રાઇબલ સબ પ્લાન મારફતે જે એનજીઓ કામ કરી રહી છે અને એ પણ ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ ચૌધરી(Bipin Chaudhri)એ આક્ષેપ કર્યો છે. એ આક્ષેપ સો ટકા સાચો હશે, એવું મને લાગે છે. છેવાડાના માનવી સુધી આ યોજનાનો લાભ પહોંચે, એમાં પણ ગોબચારી થતી હોય છે. તેમાં પણ ભાજપના જ કાર્યકર્તા વિક્રમ તરસાડીયા(Vikram Tarsadiya)નું નામ આવ્યું છે.

સીબીઆઈ તપાસ થાય તો, હજુ પણ મસમોટું કૌભાંડ બહાર આવે એવું લાગે છે

વિક્રમ તરસાડીયા(Vikram Tarsadiya)એ પોતાની જ લગભગ 20 એનજીઓ(NGO) બનાવી છે. જુદી-જુદી એનજીઓ(NGO) નામે કામો લીધા છે, ટ્રાઇબલ સબ પ્લાનમાંથી એની પણ પૂરેપૂરી તપાસ થવી જોઈએ. સીબીઆઈ તપાસ થાય તો, હજુ પણ મસમોટું કૌભાંડ બહાર આવે એવું લાગે છે અને અમે કોર્ટ સુધી પણ જવાની તૈયારી કરી છે. જે લોકોએ માહિતી અમને પુરી પાડી છે કે, મને જે સહાયતા મળવી જોઈતી હતી. અમારા નામે જે એનજીઓ(NGO) મારફતે અમારા પૈસા ઉપડી ગયા છે. તે લોકોને સખતમાં સખત સજા અપાય એ દિશામાં પુરાવા મેળવી કોર્ટમાં રજૂ કરાશે.

7 જુલાઈના રોજ યુવક કોંગ્રેસ પ્રાયોજના કચેરીને તાળા મારશે: અનંત પટેલ

વાસદાના ધારાસભ્ય અનંત પટેલે(Anant Patel) જણાવ્યું હતું કે, તાપીમાં મોટામાં મોટી ટ્રાઈબલ સબ પ્લાનની ઓફિસ છે. દરેક ઓફીસોમાં ટ્રાઈબલ એટલે કે આદિવાસી લોકો માટે અવનવાં પ્રોજેક્ટો સુખાકારી માટે હોય છે. એટલી બધી એનજીઓ કાર્યરત છે કે, એનજીઓ પોતાનું કામ કરતી નથી અને આ વિસ્તારના લોકોને જો વનબંધુ કલ્યાણ યોજના એક(૧) હોય કે વનબંધુ કલ્યાણ યોજના બે(૨) હોય એના પૈસા આદિવાસીને ગણીને ઘરે આપે તો પણ આદિવાસીનો વિકાસ થાય, પરંતુ આ વિસ્તારમાં કદી કંઇ થતું જ નથી અને લગભગ 80થી 90 ટકા પૈસા ખવાઈ જાય છે. 5થી 10 ટકા પૈસા જ અહીં વપરાય છે. જેના કારણે આદિવાસીઓ જયાં છે ત્યાં ને ત્યાં જ છે.

આ પણ વાંચોઃ આદિવાસીઓની સહાય માટે મહારાષ્ટ્ર સરકારે 231 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી

મોટા ભાગના સ્થાનિક ટ્રસ્ટઓને કામ અપાતું નથી

વધુમાં અનંત પટેલ(Anant Patel)એ જણાવ્યું કે, બીજેપી નેતા બિપિનભાઈને ખુબજ સારી રીતે જાણ હશે કે, આ સ્કેન્ડલ કેવી રીતે થાય છે. જે વસ્તુનું નામ સાંભળ્યું ન હોય એ વસ્તુ અહી મળતી થાય અથવા તે વસ્તુમાં કલાસીસ ચાલવામાં આવ્યા એ વસ્તુના સાધનો ઉભા કરવાની વાતો કરવામાં આવી, પરંતુ એવું સદંતર થતું નથી. ઘણા બધા એનજીઓ (NGO) તથા ટ્રસ્ટો અહી કામગીરી કરે, અહી મોટા ભાગના સ્થાનિક ટ્રસ્ટઓને કામ અપાતું નથી અને એમાં મોટામાં મોટી ખાયકી થાય છે. ભાજપના આગેવાન દ્વારા જ ભ્રષ્ટાચાર થાય છે.

7 જુલાઈએ તાળા બંધી કરવાનું યુવા કોંગ્રેસ દ્વારા આહવાન કરવામાં આવ્યું

મંત્રીઓ સુધી ભ્રષ્ટાચાર થાય છે, એમાં એજન્સીઓ અને અહીંની એનજીઓ (NGO) સાથે ગણપતભાઇ જેવા મોટા માથાઓ પણ જોડાયેલા હોય છે, એવું બિપીન ચૌધરી દ્વારા કેહવામાં આવ્યું છે, એટલે ખરેખર તપાસનો વિષય છે. આગામી 7 જુલાઈએ તાળા બંધી કરવાનું યુવા કોંગ્રેસ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે અને અમે પણ યુવા કોંગ્રેસની સાથે જ છીએ. જ્યાં સુધી ટ્રાઈબલ આદિવાસીઓ અમારા વિસ્તારમાં ન વપરાઈ ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે અને ઉચ્ચ ન્યાયાલય આની તપાસ કરશે, તો દૂધનું દુધ અને પાણીનું પાણી થશે.

હું કોઈ એનજીઓ સાથે જોડાયેલો નથી : વિક્રમ તરસાડીયા

કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો બોખલાઇ ગયા છે અને પાયા વિહોણાં આક્ષેપો અમારા પર કરી રહ્યા છે. એ તપાસ કરવી એ લોકોની ફરજ હોય તે બાદ તપાસ કરવાથી કઈ પણ નીકળે તો અમારા પર પણ પાર્ટીનું નેતૃત્વ હોય છે અને પાર્ટી નિર્ણય લેશે અને તેમને વધુમાં જણાવ્યું હતું કે, મારી કોઈ પણ એજન્સી તાપી જિલ્લામાં કાર્યરત નથી.

આ પણ વાંચોઃ જોડિયામાં તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો, વિધાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓ રજૂ કરી

પુનાજી 12-15 વર્ષથી ધારાસભ્ય છે

20 જેટલી એજન્સીનો આક્ષેપ પણ નકારતા જણાવ્યું હતું કે, મારી કોઈ પણ એજન્સી નથી અને તપાસ દરમિયાન સાબિત થાય તો પૂર્વ ધારાસભ્ય પૂનાજી ગામીતને ચેલેન્જ છે તેવું જણાવ્યું હતું અને વધુમાં કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, પુનાજી 12-15 વર્ષથી ધારાસભ્ય છે, તો કેમ પહેલી વખત આ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને અત્યાર સુધીમાં દરેક આયોજનમાં ધારાસભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો બધાજ કૉંગ્રેસના હતા, તો શું તે સમયે આયોજન કરતા ખ્યાલ ના આવ્યો કે કામ કંઈ રીતે ફાળવવામાં આવશે, અને કઈ રીતે ફાળવ્યા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.