Suicide in Surendranagar: જોરાવરનગરમાં ખાનગી ટ્યૂશન ક્લાસના સંચાલક અને વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

author img

By

Published : Jul 17, 2021, 9:43 AM IST

Suicide in Surendranagar

સુરેન્દ્રનગરમાં જોરાવરનગર શહેરના સોમનાથ ચોક વિસ્તારમાં (Somnath Chowk Area) આવેલા એક ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં આત્મહત્યાની (Suicide) ઘટના બનતા ચકચાર મચી છે. અહીં ટ્યૂશન ક્લાસીસના સંચાલક અને અહીં આવતી એક વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હતો. બીજી તરફ બંને મૃતકે પ્રેમ પ્રકરણ મામલે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

  • સુરેન્દ્રનગરમાં એક ખાનગી ટ્યૂશન ક્લાસમાં 2 લોકોએ કરી આત્મહત્યા (Suicide)
  • ટ્યૂશન ક્લાસના સંચાલક અને વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો
  • બંને મૃતકે પ્રેમ પ્રકરણ મામલે આત્મહત્યા (Suicide) કરી હોવાની આશંકા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં જોરાવરનગર શહેરના સોમનાથ ચોક વિસ્તાર (Somnath Chowk Area)માં આવેલા એક ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં (Private Tuition Class) આત્મહત્યાની ઘટના બનતા ચકચાર મચી છે. અહીં ટ્યૂશન ક્લાસીસના સંચાલક અને અહીં આવતી એક વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હતો. બીજી તરફ બંને મૃતકે પ્રેમ પ્રકરણ મામલે આત્મહત્યા (Suicide) કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી છે.

Suicide in Surendranagar
જોરાવરનગરમાં ખાનગી ટ્યૂશન ક્લાસના સંચાલક અને વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

આ પણ વાંચો- હેડ કોન્સ્ટેબલે રોજ કરતા એક કલાક વહેલા આવીને લોકર રૂમમાંથી રિવોલ્વર કાઢી, માથે ધરબીને આત્મહત્યા કરી

પ્રેમ પ્રકરણ મામલે આત્મહત્યા કરી હોવાની આશંકા

આ અંગે મળતી માહિતી અનુસાર, જોરાવરનગરના સોમનાથ ચોક વિસ્તારમાં આવેલા શિવધારા ક્લાસીસમાં ક્લાસીસના સંચાલક દિનેશભાઈ અને એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ મામલે એક ન થઈ શકતા આત્મહત્યા કરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

ટ્યૂશન ક્લાસના સંચાલક અને વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો
ટ્યૂશન ક્લાસના સંચાલક અને વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો

આ પણ વાંચો- પેટલાદના યુવકે પત્નીના વિરહમાં ટૂંકાવ્યું જીવન, અંતિમ ચિઠ્ઠીમાં કર્યો ખુલાસો

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

આ બનાવથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. ઘટનાની જાણ થતા જોરાવનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટનાસ્થલે પહોંચ્યા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહને સરકારી ગાંધી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

બંને મૃતકે પ્રેમ પ્રકરણ મામલે આત્મહત્યા કરી હોવાની આશંકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.