સુરતમાં ટીબી વિભાગના ડોકટરો ઉતર્યા હડતાળ પર

author img

By

Published : Sep 22, 2022, 10:29 PM IST

સુરતમાં ટીબી વિભાગના ડોકટરો ઉતર્યા હડતાળ પર

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના હેલ્થ સેન્ટર ઉપર(doctor protest over salary) ટીબી વિભાગના ડોક્ટરો તેમની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા કારણકે, આ વિભાગના તમામ ડોક્ટરોએ ગત 16 મી માર્ચના રોજ પગાર વધારો તેમજ પેટ્રોલ એલાઉન્સ સહિત વિવિધ માંગને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.(surat tb doctor protest over salary )

સુરત: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના હેલ્થ સેન્ટર ઉપર ટીબી વિભાગના ડોક્ટરો તેમની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા કારણકે, આ વિભાગના તમામ ડોક્ટરોએ ગત 16 મી માર્ચના રોજ પગાર વધારો તેમજ પેટ્રોલ એલાઉન્સ સહિત વિવિધ માંગને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તે સમય દરમિયાન સરકારે બે મહિનાનો સમય આપ્યો હતો અને તેમની માંગણી પૂર્ણ કરવાનો વાયદો આપ્યો હતો, પરંતુ આજ દિન સુધી આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ નિર્ણય લેવાતા આજરોજ ફરીથી સુરતના ક્ષય વિભાગના ડોકટરો હડતાળ પર ઉતર્યા હતા.(doctor protest over salary)

સુરતમાં ટીબી વિભાગના ડોકટરો ઉતર્યા હડતાળ પર

પગારમાં વધારો થયો નથી: ટીબી વિભાગ કર્મચારીના કહેવા પ્રમાણે, અમે સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગના હેલ્થ સેન્ટર ઉપર ટીબી વિભાગમાં સિનિયર ટ્રીટમેન્ટ તરીકે ફરજ નિભાવીએ છીએ, અમે 1997 થી ટીબી નાબુદી માટે નો પ્રોગ્રામ ચાલે છે તેમાં અમે બધા ફરજ નિભાવીએ છીએ. અમારી ઘણી બધી માંગણીઓ છે. જેમકે, પગાર વધારા, પેટ્રોલ એલાઉન્સ, આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી જે પ્રકારે પગાર વધારો થવો જોઈએ,તે પ્રકારે પગારમાં વધારો થયો નથી. પેટ્રોલનો ભાવ ઓછો હતો, ત્યારે પણ 1500 આપતા હતા. આજે જ્યારે પેટ્રોલ ની કિંમત 100 રૂપિયા થઈ ગઈ છે ત્યારે પણ અમને 1500 રૂપિયા જ આપવામાં આવે છે. બીજી માંગણી એ છે કે અમને કાયમી કરવામાં આવે.

ટીબી નાબુદી નો અભિયાન: સુરત મહાનગરપાલિકામાં મેલેરિયા નો પ્રોગ્રામ કાયમી ચલાવે છે. ફેમિલી કર્મચારી કાયમી છે. લેપ્રેસી કર્મચારી કાયમી છે. તો અમે બધા છેલ્લા 25 વર્ષથી ટીબી વિભાગમાં કામ કરી રહ્યા છે, પરંતુ અમને આજ દિન સુધી કાયમી કરવામાં આવ્યો નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 2025 સુધી ટીબી નાબુદી નો અભિયાન છે ત્યારે અમે તેની માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પરંતુ અમને મહાનગરપાલિકા કાયમી કરતી નથી.


હડતાળ ઉપર ઉતર્યા : ગુજરાતના તમામ ક્ષય વિભાગના કર્મચારીઓ માસ સીલ ઉપર ઉતર્યા હતા. કારણ કે જે પણ માંગણીઓ છે. તે તમામ માંગણીઓ મુદ્દે અમે રાજ્યના હેલ્થ અધિકારીઓને 16 માર્ચના રોજ રજૂઆત કરી હતી. માંગણીઓમાં પગાર વધારો, પેટ્રોલ એલાઉન્સ, અને મૃત્યુ સહાય 2 લાખ રૂપિયા એ 10 લાખ રૂપિયા કરવાની માગણી હતી. અને કાયમી કરવામાં આવે તેવી માંગણીઓ હતી. કારણ કે આ વિભાગમાં છેલ્લા 20-25 વર્ષથી જે લોકો નોકરી કરી રહ્યા છે. તેમને હજી સુધી કાયમી કરવામાં આવ્યા નથી. જ્યારે આજે મોંઘવારી માથું ઉંચકી ને બેઠું છે. તેમ છતાં ખૂબ જ ઓછો પગાર ચૂકવવામાં આવે છે. અને તમામ મુદ્દે જયારે 16 માર્ચે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓ એમને બે મહિના સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા લોકો હડતાળ ઉપર ઉતર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.