સુરત શહેરમાં ઘો- 1થી 5ની શાળાઓ શરૂ થશે નઈ, કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે?

author img

By

Published : Nov 22, 2021, 12:45 PM IST

સુરત શહેરમાં ઘો- 1થી 5ની શાળાઓ શરૂ થશે નઈ, કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે?

શહેરોની સ્કૂલોમાં(Cities school) 22મી નવેમ્બર, 2021થી ઘો-1થી 5ની શાળાઓ શરૂ નઈ થાય. સ્કુલ સંચાલકોનું(Gujarat School Administrators) કહેવું છે કે, ગઈકાલે બપોરે જાહેરાત કરી એટલે વિદ્યાર્થીઓના વાલી સંપર્ક સુધી પહોંચવું મુશ્કેલ હતું. આ ઉપરાંત પહેલા તો વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મીટીંગ(school education) કરવામાં આવશે ત્યારબાદ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે.

  • શહેરોમાં ઘો-1 થી 5ના વર્ગો શરૂ નઈ થશે
  • કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે?
  • શાળાઓ ખુલ્લાથી સ્કુલ સંચાલકો આંનદ સાથે ભારે મૂંઝવણમાં
  • વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સમજાવવા ખુબ મુશ્કેલઃ સ્કુલ સંચાલકો

સુરતઃ રાજ્યમાં ધોરણ 1થી 5 ના વર્ગો શરૂ કરવા માટે ગઈકાલે રાજ્ય શિક્ષણ પ્રધાન(Education Minister of State) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ શહેરની શાળાઓ(Cities school) 22મી નવેમ્બર, 2021થી વર્ગો શરૂ નહીં કરી શકે. કારણ કે ગઈકાલે બપોરે આ બાબતની જાહેરાત બાદ શહેરના સ્કૂલ સંચાલકો(Gujarat School Administrators) વાલીઓનો સંપર્ક કરવું મુશ્કેલ હતું. જેથી આજથી વાલીઓને(Parents of students) સ્કૂલ દ્વારા સંમતિ પત્રક મોકલવામાં આવશે અને વાલીઓની મિટિંગ પણ બોલાવવામાં આવશે. ત્યારબાદ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. પરંતુ વાલીઓને સમજાવવું સ્કૂલ સંચાલકો માટે એક પડકાર આવી શકે છે.

સુરત શહેરમાં ઘો- 1થી 5ની શાળાઓ શરૂ થશે નઈ, કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે?

કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઈચ્છે છે

સ્કુલ સંચાલકે(School Administrators) જણાવ્યું કે, આ નિર્ણયથી ખુબ જ ખુશ છીએ, પરંતુ ગઈકાલે બપોરે જાહેરાત થવાના કારણે વાલીઓનો સંપર્ક સુધી પહોંચવું મુશ્કેલ હતું. જેથી મોટા ભાગની શાળાઓના સંચાલકો મુંઝવણમાં રહ્યા હતા. જો ગુરુવારથી શાળાઓ શરૂ થાય તો સંચાલકોને બે-ત્રણ દિવસનો સમય મળી જાય તો વાલીઓનો સંપર્ક(school education) કરીએ કે કેટલા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાના છે, કેટલા બાળકો શાળાએ આવા માગે છે. તેમજ કેટલાક બાળકો બાળ મંદિરથી પ્રાર્થમિક ધોરણમાં પ્રવેશ કર્યો છે. એટલે બાળકોને નવા પ્રાર્થમિક વિભાગમાં લેવાના છે તેનું આયોજન પણ કરીએ.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ બે વર્ષ બાદ શાળાએ આવશે તો વિદ્યાર્થીઓને માર્ગદર્શનની વધારે જરૂર પડશે. જો વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હશે તો અમે બાળકોને ત્રણેક દિવસ ઓછા સમય માટે બોલાવીશું અને જો ઓછા બાળકો હશે તો અમે બે શિક્ષકો સાથે વર્ગવ્યવસ્થા(Classroom system of teachers in the school) ગોઠવામાં આવશે. જેથી વાલીઓ અને બાળકોને ખૂબ જ સ્પષ્ટ સમજણ આપવી પડશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવવાએ મોટો પ્રશ્ન છે

અન્ય શાળાના સંચાલક કિશોર પટેલ જણાવ્યું કે, 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓના આજથી વર્ગો શરૂ કરવામાં તો નહિ જ આવે. પહેલા તો વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવી મીટીંગ(school education gujarat) કરવામાં આવશે. ત્યારબાદ સંમતિપત્રક આપી કેટલા બાળકો શાળાએ આવે છે તે મુજબ શાળાઓ શરૂ કરવામાં આવશે.

કારણ કે ધોરણ-1 અને 2 ના બાળકો ખૂબ જ નાના ભૂલકાઓ છે. બે વર્ષ બાદ શાળાએ આવી રહ્યા છે. એટલે બાળકોને થોડાક માનસિક રીતે તૈયાર કરવાએ શાળાઓની ફરજ તેમજ વાલીઓની પણ ફરજ છે. વિદ્યાર્થીઓને શાળાઓ તરફથી કોઈપણ પ્રકારની સમસ્યાઓ થશે નહીં એ તમામ બાબતની તૈયારીઓ શાળાઓએ શરૂ કરી દીધી છે. પરંતુ વાલીઓને આ બાબતનો વિશ્વાસ અપાવવો એ અમારો સૌથી મોટો પ્રશ્ન છે. જેથી પહેલા વાલીઓની મીટીંગ બોલાવવામાં(student parent meeting at school) આવશે. ત્યારબાદ જ બુધવાર અથવા ગુરુવારથી શાળાઓ શરૂ થઈ શકે તેવી સંભાવનાઓ ખરી.

આ પણ વાંચોઃ એક દાયકામાં 34500 દીકરીઓની કરોડોની School Fee ભરનારાં નિશિતા રાજપૂતનું આ વર્ષે 1 કરોડનું લક્ષ્ય

આ પણ વાંચોઃ રાજ્ય શાળા સંચાલક મહામંડળની સરકાર સામે વધુ એક માંગ, જાણો શું છે માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.