Surat News: ગેરન્ટી કાર્ડ અને મફતનું ગુજરાતના લોકો ક્યારેય સ્વીકારતા નથી: સી.આર.પાટીલ

author img

By

Published : Jan 22, 2023, 8:42 AM IST

Updated : Jan 22, 2023, 10:53 AM IST

Surat News: ગેરન્ટી કાર્ડ અને મફતનું ગુજરાતના લોકો ક્યારેય સ્વીકારતા નથી: સી.આર.પાટીલ

આ વખતે સૌપ્રથમમાં ભાજપ પ્રદેશની કારોબારી બેઠક સુરેન્દ્રનગરમાં (BJP state executive seat in Surendranagar) યોજાનાર છે. આગામી 23 અને 24 જાન્યુઆરીએ બે દિવસીય બેઠક મળશે. આ અંગેની જાણકારી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં આપવામાં આવી હતી. તેમણે વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં પણ અનેક રેકોર્ડ જોવા મળશે.

Surat News: ગેરન્ટી કાર્ડ અને મફતનું ગુજરાતના લોકો ક્યારેય સ્વીકારતા નથી: સી.આર.પાટીલ

સુરત: દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. હવે ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક યોજાનાર છે. સુરેન્દ્રનગર ખાતે ભાજપ કારોબારી બેઠક યોજવામાં આવશે જેમાં મુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખ સહિત ભાજપના 600 જેટલા નેતા સુરેન્દ્રનગરના મહેમાન બનશે. આ બેઠકને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી સૌપ્રથમ વાર સુરેન્દ્રનગરમાં યોજાનાર છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ, સંગઠનના હોદ્દેદારો સહિત 600થી વધુ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ હવે પ્રદેશ કારોબારીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Night Half Marathon અમદાવાદ પોલીસે યોજી નાઈટ હાફ મેરેથોન, 1 લાખ લોકો જોડાયા

ભાજપ કાર્યકરોની જવાબદારી વધી: કારોબારી બેઠકને લઈ સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે જણાવ્યું હતું કે, આગામી 23 અને 24 ના રોજ ગુજરાત ભાજપની કારોબારી બેઠક યોજાશે. સુરેન્દ્રનગર ખાતે મળનારી બે દિવસીય કારોબારી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. ભાજપ કાર્યકરોની જવાબદારી વધી છે.ડિસેમ્બર માં વિધાનસભા ચૂંટણી પુરી થઈ જેમાં ઐતિહાસિક વિજય મળી.પીએમ મોદીએ અનેક સભા રેલી કરી ગુજરાતના લોકોએ ભાજપ તરફેણ ના મતદાન કર્યું. જીતમાં પીએમ મોદી મેજીક ચાલ્યું હતું.

27 વર્ષ પછી ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સી નથી નડી: 27 વર્ષ થી ભાજપે જે શાસન આપ્યું તેનાથી પ્રજા ખુશ છે. ગૃહપ્રધાન અમિતભાઇ શાહે બે મહિના અમદાવાદ રહ્યા તેમનો ગુજરાતમાં અનુભવ ઉમેદવાર ચયન પ્રક્રિયામાં કામે આવ્યો. મોદીજીનો આભાર, મતદારો અને પેજ કમિટી સભ્યોનો આભાર માનું છું. ભાજપ કાર્યકર તરીકે અમારા માટે પરિણામ અપેક્ષિત હતું. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીનીમાં પણ ગુજરાતના વિજય ની ચર્ચા થઈ. 27 વર્ષ પછી ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી નથી નડી.

આ પણ વાંચો: CM Bhupendra Patel in Ahmedabad : પીએમ મોદીના ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ છે સનદી અધિકારીઓના પુસ્તકો

ભાજપ કોંગ્રેસ વચ્ચે 80 લાખ મતનો તફાવત: તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે એન્ટિ ઇન્કમ્બન્સી સિવાય મુદ્દો ન હતો. કોરોનામાં ભાજપ કાર્યકરોએ કરેલી મહેનત કરી હતી, તેનો ફાયદો જોવા મળ્યો. મેં સંબોધનમાં કહ્યું પાર્ટી વિથ દીફરન્સની વાત રજૂ કરી હતી.પીએમ મોદી અને અમિતભાઇની મહેનતની ચર્ચા થઈ. કુપોષિત બાળકો ને દત્તક લેવાનો સફળ પ્રયાસ કર્યો.ભાજપ સિવાય કોઈ પક્ષનો કાર્યકર કોરોનામાં દેખાયો નથી. દરેક બુથ મુજબ વિશ્લેષણ કરીશું.23 અને 24 ના રોજ સુરેન્દ્રનગર ખાતે રાજ્યની કારોબારી યોજાશે.

મફતનું ગુજરાતના લોકો ક્યારેય સ્વીકારતા નથી: રાષ્ટ્રીય કાર્યકારીનીમાં અનેક મુદ્દાઓ ચર્ચાયા છે.આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે 80 લાખ મતનો તફાવત રહ્યો. લેખિત આપનારા ખોટા રહ્યા.ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટી સ્વીકારતા નથી.લોકસભામાં અનેક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ. ગેરન્ટી કાર્ડ અને મફતનું ગુજરાતના લોકો ક્યારેય સ્વીકારતા નથી.મોદીજી પરીક્ષાનો બલકોમાંથી ડર કાઢવા જે પ્રયાસ કરી રહ્યા છે તે સરાહનીય છે.

Last Updated :Jan 22, 2023, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.