Application to Surat Collector: વનરક્ષક ભરતીનું પેપર ફૂટવા મામલે આપ દ્વારા અપાયું આવેદનપત્ર

author img

By

Published : Mar 28, 2022, 7:39 PM IST

Application to Surat Collector: જ્યારે પેપરો ફુટ્યા ત્યારે સરકાર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યા

સુરત કલેકટર કચેરીએ (Surat Collectorate )આજે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )સુરત યુથ વિંગ દ્વારા વનરક્ષક ભરતીનું પેપર ફૂટવા મામલે કલેકટર મારફતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આવેદન આપવામાં આવ્યું હતું.

સુરત: શહેરમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )સુરત યુથ વિંગ દ્વારા આજરોજ ગઈકાલે યોજાયેલ વન રક્ષક ભરતીનું પેપર ફૂટવાની મામલો સામે આવ્યો છે. પેપરો ફૂટવાની ધટના ગુજરાતમાં વારંવારં બની રહી છે. જ્યારે જ્યારે પેપરો ફૂટે છે ત્યારે સરકાર (Application to Surat Collector)દ્વારા દર વખતે માત્ર ઠાલાં આશ્વાસન આપવામાં આવે છે કે દોષિતોને કડક સજા(Aam Aadmi Party)કરવામાં આવશે. કોઇ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ કોઈ કાર્યવાહી થતી નથી. જેને લઇ પ્રદેશ સંગઠન મહામંત્રી નિખિલ સવાણી અને પ્રદેશ સંગઠન (Aam Aadmi Party Surat Youth Wing)મંત્રી સુખદેવ ગજેરા અન્ય સાથી મિત્રો સાથે મળી સુરત કલેક્ટર મારફત મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલને(Chief Minister Bhupendra Patel)આવેદન પાઠવવામાં આવ્યું હતું.

સુરત કલેક્ટરને આવેદન

સાત વર્ષમાં 11 થી વધુ પેપર લીક મામલા બહાર આવ્યા - ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે પેપર લીક થવાનો મામલો બહાર આવે છે. છેલ્લા સાત વર્ષમાં 11 થી વધુ પેપર લીક મામલો બહાર આવ્યા છે. વનરક્ષક પરીક્ષામાં પેપર લીક મામલો બહાર આવ્યો છે. ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કોઈપણ ચમરબંધી છોડવામાં નહિ આવે પરંતુ એમને પકડવા પણ આવતા નથી. ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા સમગ્ર ગુજરાતના દેખાવ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતના તમામ શહેરો અને જિલ્લામાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ગઈકાલે જે યોજાયેલી વન રક્ષક ભરતીનું પેપર લીક મામલો બહાર આવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Irregularities in PSI exams: લેભાગુ તત્વોએ ડાયરેકટ પાસ કરવાના 10 લાખ ઉઘરાવ્યાંઃ યુવરાજસિંહ જાડેજા

જીતુ વાઘાણીને કોપી પેસ્ટનો અનુભવ - વધુમાં જણાવ્યું કે અત્યારે આમ આદમી પાર્ટી યુથ વિંગ ગાંધીજીના માર્ગે ચાલી રહી છે. જરૂર પડે તો આવનારા દિવસોમાં યુથ વિંગ ભગતસિંહના માર્ગે પણ જવા તૈયાર રહેશે. પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. જીતુ વાઘાણીને કોપી પેસ્ટનો અનુભવ છે. જેમના ઘરમાં પોતાના છોકરા મોટી સંખ્યામાં કાપલીઓ અને કોપી પેસ્ટ સાથે પકડાતો હોય તો ગુજરાતની જનતા માટે ખૂબ ગંભીર પ્રકારની વાત છે કે આવા પ્રધાનને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવે છે કે જેમના ઘરમાં જ કોપી પેસ્ટના બનાવ બની ચૂક્યા છે.
આ પણ વાંચોઃ SSC HSC Exam 2022 : મુખ્યપ્રધાને ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને પત્ર લખ્યો, શું આપ્યો સંદેશ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.