સુરતના ખડસદ ગામના તળાવમાંથી 3 મૃતદેહ મળી આવતા ચકચાર મચી

author img

By

Published : Nov 18, 2021, 7:44 AM IST

સુરતના ખડસદ ગામના તળાવમાંથી 3 મૃતદેહ મળી આવતા ચકચાર મચી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખડસદ ગામના(Khadsad village of Kamaraj taluka) તળાવમાંથી તરતી હાલતમાં એક સાથે ત્રણ ત્રણ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની પોલીસને(Kamaraj Police) જાણ થતાંં પોલીસ દ્વારા મૃતદેહો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ખડસદ ગામના તળાવમાંથી ત્રણ મૃતદેહો મળતા અફરાતફરી
  • એક મહિલા અને 2 બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસ અને ફાયર ટીમ થઈ દોડતી
  • અકસ્માત,આપઘાત કે પછી હત્યા જેવા અનેક પ્રશ્નો ઉભા થતા પોલીસ મુંઝવણમાં
  • પરિવારને શોધવા પોલીસ સોશિયલ મીડિયાના સહારે

સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખડસદ ગામ(Khadsad village of Kamaraj taluka) ખાતેના તળાવમાં એક સાથે ત્રણ મૃતકાયા તરતી હાલતમાં જોવા મળી હતી. તળાવમાં(Lake) ત્રણ ત્રણ પ્રાણ વગરના શરીર મળતા ફાયર વિભાગ(Fire Department) અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ મૃતદેહો(Corpses) બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મૃતદેહો બહાર કાઢતા બે બાળકો અને એક મૃતદેહ મહિલાનો મળી આવ્યો હતો.

પોલીસ મુંઝવણમાં, અકસ્માત, આપઘાત કે પછી હત્યા

આ મૃતદેહ જોતા બે બાળકોની ઉંમર 9થી12 વર્ષ અને યુવતીની ઉંમર 20વર્ષ હોવાનું અનુમાન કરાયું રહ્યું છે. આ ત્રણેય મૃતકોની આખો બહાર આવી ગઈ હતી જેથી ત્રણ દિવસથી મૃતદેહો પાણીમાં હશેનું અનુમાન લાગી રહ્યું છે. હાલ પોલીસ (surat police) દ્વારા મૃતદેહો કબ્જે કરી મૃતકોના વાલી વારસા સુધી પહોંચવા સોશિયલ મીડિયાનો સહારો લઈ કામે લાગી છે. ત્યારે 3 મૃતદેહો મળતા અકસ્માત, આપઘાત કે પછી હત્યા જેવા અનેક પ્રશ્નો ઉભા થતાં પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ પ્રાગસર લેક ઉપર ફિશ માર્કેટ અને રેન બસેરા શરુ કરવાના પ્રપોઝલ ઉપર હાઇકોર્ટે લગાવી રોક

આ પણ વાંચોઃ Clicking Selfies an offence: ડાંગ પહેલો જિલ્લો કે જ્યાં જો સેલ્ફી લેશો તો નોંધાશે ગુનો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.