હિંમતનગરના બેરણા ગામે જન સંવેદના બેઠક યોજાઇ, વિપક્ષ પર લગાવ્યા આક્ષેપ

author img

By

Published : Aug 10, 2021, 1:13 PM IST

હિંમતનગરના બેરણા ગામે જન સંવેદના બેઠક યોજાઇ, વિપક્ષ પર લગાવ્યા આક્ષેપ

સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ગામે આજે જનવેદના યાત્રાના બીજા દિવસ નિમિત્તે એક બેઠકનું આયોજન કરાયું હતું. જ્યાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ભાજપ તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી ગુણાકારમાં સરકાર તદ્દન નિષ્ફળ જવાના પગલે 2022 ની ચૂંટણીમાં જવાબ આપવાનો સમય ગણાવ્યો હતો.

  • હિંમતનગરના બેરણા ગામે આજે જનવેદના યાત્રા નિમિત્તે બેઠક
  • ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા આકરા પ્રહાર
  • સરકાર તદ્દન નિષ્ફળ હોવાનો આક્ષેપ

સાબરકાંઠા: મહેસાણા ઊંઝાથી જનવેદના યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેના પગલે આજે સાબરકાંઠાના હિંમતનગર બેરણા ગામે જંગ સંવેદના માટેની બેઠક યોજાઇ હતી. જ્યાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોની પ્રતિમાઓને ફૂલહાર કરી તેમના મોત માટે સરકારની નીતિને જવાબદાર ગણાવી હતી સાથોસાથ દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી દ્વારા થઇ રહેલા વિકાસકાર્યોની રજૂઆત કરી આગામી સમયમાં ગુજરાતમાં આવી રહેલી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જવલંત વિજય મળવાની વાત કરી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો: સી.આર.પાટીલ વિરુદ્ધ ગોપાલ ઇટાલીયાએ કરેલી ટીકા ટિપ્પણી મામલે 7 પોલીસ ફરિયાદ

ઓડિયો ક્લિપ મામલે સ્થાનિકોની રજૂઆત

હિંમતનગરના બેરણા ગામે જન સંવેદના બેઠક યોજાઇ,

જોકે ગોપાલ ઇટાલીયા દ્વારા તાજેતરમાં OBC સમાજ સામે ફરતી થયેલી ઓડિયો ક્લિપ મામલે સ્થાનિક ગ્રામજનોએ ગોપાલ ઇટાલીયા અને રજૂઆત કરી આવા બેહુદા નિવેદન ન આપવાનું જણાવતાં તેમની પોતાનું નિવેદન ન હોવાની રજૂઆત કરી હતી. તેમજ ભાજપ દ્વારા સોશિયલ મીડિયા થકી આવી ક્લિપો ફરી રહી હોવાનું જણાવ્યું હતું. જોકે એક તરફ આમ આદમી પાર્ટી પોતાની સાફ સુથરી છાપ ઉજાગર કરવાના પ્રયાસમાં છે, ત્યારે ભૂતકાળમાં કરાયેલા નિવેદનો હજુ પણ યથાવત્ હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે જનવેદના યાત્રા હતી.

આ પણ વાંચો: જૂનાગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ અને SC મોરચાના સક્રિય કાર્યકરો AAPમાં જોડાયા

પક જનસમર્થન મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો

કોરોના કાળમાં મૃતકોનાં પરિવારજનોને આર્થિક સહયોગ આપવાની રજૂઆત આગામી સમયમાં ગુજરાત સરકારની કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું અને જરૂર પડે સરકાર સામે આંદોલન સહિતની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં કોંગ્રેસની ભૂમિકા સામે સવાલ ઊભો કરી જનતાના વ્યાપક જનસમર્થન મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે, ત્યારે આગામી સમયમાં સ્થાનિક જનતા પોતાનું સંતાન જ અને અપાવે છે. તેમજ જનસંવેદન થકી કેટલી સફળ બની રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.