- સાબરકાંઠાના હિંમતનગરના સંચેરી ગામનો બનાવ
- વિધવા મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરાતાં પોલીસ ફરિયાદ
- ગામની વિધવા મહિલાને માર મારવા માટે જવાબદાર લોકો સામે ફરિયાદ
સાબરકાંઠા: હિંમતનગરના સંચેરી ગામની વિધવા મહિલા આધારકાર્ડ માટે હિંમતનગર આવ્યા હતા. જોકે પોતાના ગામમાં પરત જવા માટે સચેરી ગામના પરની યુવક તેમજ જમાઈની બાઈક પર પરત ફરતા સ્થાનિક રહીશોએ ઉશ્કેરાયા હતા. તેમજ લાકડીઓ લઇ મહિલાને માર મરાયો હતો સાથોસાથ તેની સાથે અભદ્ર વ્યવહાર કરાયો હતો. જેના પગલે ગાંભોઇ પોલીસ મથકે મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરવાની સાથો સાથ માર મારવામાં જવાબદાર 6 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભરાટ મચી ગયો હતો.
આ પણ વાંચો: વડોદરા સ્વીટી પટેલ કેસ ક્રાઇમ બ્રાન્ચની ટીમને PI દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા
સન્ચેરી ગામની વિધવા મહિલાને માર મારવા માટે જવાબદાર લોકો સામે ફરિયાદ
હિંમતનગર તાલુકાના સંચેરી ગામની વિધવા મહિલાને માર મારવા માટે જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ તમામ 6 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે તેમજ આ મામલે તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: સ્વીટી પટેલ કેસ: અટાલીની બંધ હોટલમાં અસ્થીના વધુ ટુકડા મળી આવ્યાં
જાગૃત બનવાની છે જરૂર
જોકે સમાજ જીવનમાં વધી રહેલી આવી ઘટનાઓ થકી આગામી સમયમાં ઘણી મોટી વિસંગતતા સર્જાઈ રહી છે, ત્યારે સમાજ જીવનમાં સૌકોઈએ જાગૃત બનવાની જરૂરિયાત છે તે નક્કી છે.