સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં તળાવકિનારે બાળકને મગર પાણીમાં ખેંચી ગઈ

author img

By

Published : Oct 16, 2021, 4:26 PM IST

સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં તળાવકિનારે બાળકને મગર પાણીમાં ખેંચી ગઈ

સાબરકાંઠાના(Sabarkantha) પોશીના તાલુકાના કાળાખેતરા ગામે ગત રાત્રીના સમયે તળાવ કિનારેથી પસાર થતાં આઠ વર્ષીય બાળકને અચાનક તળાવકિનારે પડી રહેલે મગરે (Crocodile)પાણીમાં ખેંચી જતાં બાળકનું મોત થયું છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે જોકે તંત્ર હજુ પણ ઘટનાસ્થળે યથાવત છે.

  • પોશીના તાલુકાના કાળાખેતરા ગામનો બનાવ
  • તળાવના કિનારેથી આઠ વર્ષના બાળકને મગર પાણીમાં ખેંચી ગઈ
  • બાળક તળાવ પાસેથી પસાર થઇ રહયો હતો તે દરમિયાન બની ઘટના

સાબરકાંઠાઃ પોશીના તાલુકાના(Poshi taluka) કાળાખેતરા ગામે આવેલ તળાવના કિનારે(Lake shore) બાળક શુક્રવારે મોડી સાંજે સાત વાગ્યાના સુમારે કાળાખેતરા ગામનો અનિલ કુમાર રાજુભાઇ ગમાર નામનું અંદાજે આઠ વર્ષનું બાળક તળાવના કિનારેથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન તળાવમાં રહેલા મગરે અચાનક હુમલો(Crocodile sudden attack) કરી દીધો હતો. આ બાળકને મગર તળાવની અંદર પાણીમાં ખેંચી લઇ ગયો હતી. જ્યારે નજીકમાં રહેતા લોકોને આ ઘટના અંગે જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. જે બાબતે સ્થાનિક લોકો દ્વારા પોશીના વનવિભાગને જાણ કરતાં પોશીના આરએફઓ(Reason For Outage) બીસી ડાભી તેમજ આરએફઓ દીપકકુમાર નિનામા તાબડતોબ વન વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

વન વિભાગ ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી

આ અંગે RFO બીસી ડાભી તેમજ દિપકકુમાર નિનામાએ જણાવ્યું કે, કાળાખેતરા ગામે તળાવમાં એક બાળકને મગર ખેંચી(The baby pulled the crocodile) ગઈ છે. આ બનાવ અંગેની જાણ મોડી સાંજે 7.00 વાગ્યાના સુમારે થઈ હતી. ત્યારબાદ તરત જ વન વિભાગ(Forest Department) ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ અંધારુ થઈ જતાં હજુ શોધખોળમાં બાળક નો મૃતદેહ મળ્યો ન હતો. જોકે હાલ આ બાળકની શોધખોળ યથાવત રાખતા તળાવના ઉંડા પાણીમાંથી બાળકનો મૃતદેહ હાથ લાગ્યો છે જેથી બાળકના પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોક છવાયો છે.

મગર દ્વારા આ તળાવમાં ત્રીજો હુમલો કરાયો

પોશીના તાલુકાના કાળાખેતરા ગામે આવેલા આ તળાવમાં છેલ્લા કેટલાય સમયથી મગર દ્વારા હુમલાઓ થતાં રહેલા છે ત્યારે આ અગાઉ પણ બે હુમલાઓ થયા હતા જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે ગતરાત્રિ યત થયેલા હુમલામાં આઠ વર્ષીય બાળકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે તેમજ તંત્રની તાત્કાલિક ધોરણે મગરને ઝડપી લેવા પણ કહેવાયુ છે

હજુ સુધી આ મામલે વહીવટી તંત્ર દ્વારા કડક પગલા લેવાયા નથી ત્યારે આગામી સમયમાં મગર હાથ લાગે તો વધુ હુમલોની સંભાવના નહિવત રહે.

આ પણ વાંચોઃ માનવે કર્યો મગર સાથે સંવાદ, વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ ઇન્દ્રોડા પાર્કમાં લવાયો સફેદ વાઘ, એક મહિનામાં વિઝિટરની સંખ્યા પહેલા કરતા બમણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.