ધરોઇ ડેમનું પાણી ઓસરતા અઢીસો વર્ષ બાદ પૌરાણિક જૈન મંદિર દેખાયું

author img

By

Published : Jul 14, 2019, 8:04 PM IST

સાબરકાંઠાઃ જિલ્લા અને બનાસકાંઠાની જીવાદોરી સમાન ધરોઇ જળાશયનું પાણી ઓસરતાં ચાર દાયકાથી પાણીમાં ગરકાવ થયેલું જૈન મંદિર દેખાતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. આ મંદિરને લઇ લોકવાયકા છે કે, 1974માં જળાશયના નિર્માણના કારણે સાબરકાંઠાના આસપાસના ગામડાઓ ખાલી કરાવવામાં આવ્યા હતાં. ત્યારે હાલ મંદિર દેખાતાં સ્થાનિકો તેને ઇશ્વરની કૃપા સમજી ખુશ થઇ રહ્યા છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ચાપલપુર ગામ 1974માં ધરોઈ જળાશયનું નિર્માણ થતાં ખાલી કરાવ્યું હતું. સાબરકાંઠા તેમજ બનાસકાંઠાના આસપાસના ગામોને પણ જળાશયને કારણે ખાલી કરાવવામાં આવ્યાં હતા. જેમાં ખેડબ્રહ્મા તાલુકાનું ચાપલપુર ગામમાં જૈન દેરાસર સહિત અને મંદિર વાવ તેેમજ પોલીસ સ્ટેશન સહિતની સુવિધાઓના કારણે જે-તે સમયે કેન્દ્ર સ્થાને હતું. 1974માં ધરોઈ જળાશયનું નિર્માણ થતાં સાબરકાંઠા સહિત બનાસકાંઠાના 43 ગામોને પણ ખાલી કરાવ્યાં હતા. તે 43 ગામો પૈકી ચાપલપુર ગામની એક માત્ર ઈમારત જો આજે ઊભી હોય તો આ મંદિર છે.

આશરે અઢીસો વર્ષ બાદ પૌરાણિક જૈન મંદિર ધરોઇ ડેમનું પાણી ઓસરતાં દેખાવા લાગ્યું

આશરે અઢીસો વર્ષ બાદ જૈન મંદિર ધરોઇ ડેમનું પાણી ઓસરતાં દેખાવા લાગ્યું છે. ત્યારે સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. આ મંદિર ઋષભદેવ આદિનાથનું છે. તેમજ શ્વેતામ્બરનું આસ્થા કેન્દ્ર હતું. આજે આ ગામના નામશેષ થઇ ચૂક્યું છે પણ આ પૌરાણિક વારસો ગામ માટે એકમાત્ર મહત્વની સાંસકૃતિક વારસો છે. એટલે ભવિષ્યમાં આ મંદિર આસ્થાનું કેન્દ્ર બને તો નવાઇ નહીં.

Intro:સાબરકાંઠા તેમજ બનાસકાંઠાની જીવાદોરી સમાન ધરોઇ જળાશય નું પાણી સુકાતા ચાર દાયકા થી પાણીમાં ગરકાવ થયેલું જૈન મંદિર દેખાતા સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છેBody:સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ચંપલ પુર ગામ 1974માં ધરોઈ જળાશયનું નિર્માણ થતા ખાલી કરાવાયું હતું સાબરકાંઠા તેમજ બનાસકાંઠાના કુલ ૪૩ ગામોને જળાશય ના પગલે ખાલી કરાવાયા હતા જેમાં ખેડબ્રહ્મા તાલુકા નું ચાપર પુર ગામ પણ મહત્વનું હતું ચાપલ પુર ગામ આસપાસ ના ગામડાઓ માટે મહત્વનું તેમજ કેન્દ્રસ્થાને મોટામાં મોટું ગામ હતું આ ગામમાં જૈન દેરાસર સહિત પોલીસ સ્ટેશન મંદિર વાવ સહિત તમામ સુવિધાઓ ધરાવનારો હતું.જોકે આજે સમગ્ર વિસ્તાર સૂમસામ ભાસી રહ્યો છે પરંતુ બસોથી અઢીસો વર્ષ જૂનું જૈન મંદિર ધરોઇનું પાણી ઓસરતા દેખાવા લાગી છે હાલમાં જોવા મળી રહેલું આ મંદિર ઋષભદેવ આદિનાથ નું મંદિર છે તેમજ જૈન શ્વેતામ્બર નું આસ્થા કેન્દ્ર હતું આજની તારીખે આ ગામ નામશેષ થઈ ચૂકી છે જોકે ખજૂર સ્થાનિકો માટે ભૂતકાળમાં ગામની જાહોજલાલી પ્રદર્શિત કરનાર એકમાત્ર ધરોહર ગણી શકાય કેમ છેConclusion:૪૩ ગામો પૈકી ચાપલપુર ગામ નું એક માત્ર નું એક માત્ર ઈમારત ઊભી હોય તો આ મંદિર છે જે ચાર દાયકાઓ પછી પાણીમાં ગરકાવ હતું પરંતુ ચાલુ સાલે વરસાદ ઘટતાં ધરોઈ ડેમ નું પાણી સુકાતા મંદિર ખુલ્લું થયું છે જો કે હજુ વરસાદ ન થાય તો આગામી સમયમાં આસ્થાના કેન્દ્ર સમાન વધુ કેટલાક મંદિરો પણ જોવા મળે તો નવાઈ નહીં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.