ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામમાં ભક્તોએ કર્યા મનમૂકીને ગરબા

author img

By

Published : Sep 10, 2022, 1:47 PM IST

Updated : Sep 10, 2022, 8:23 PM IST

ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામમાં લાખોની સંખ્યામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

અંબાજીમાં ભાદરવી પૂનમની મંગળા આરતી માટે હજારોની સંખ્યામાં માઇભક્તો વહેલી સવારથી કતારોમાં લાગી ગયા હતા. ભાદરવી પૂનમ નિમિત્તે મોટાભાગના પગપાળા જતા માઇ ભકતો માટે ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનો વિશેષ મહત્વ હોય છે. ત્યારે આજના દિવસે મા અંબેના દર્શનનો વિશેષ મહીમાનો લાભ ભક્તજનો મેળવી રહ્યા છે.Ambaji people came, Ambaji Melo 2022, Bhadravi Poonam 2022

સાબરકાંઠા ભાદરવી પૂનમ નિમિત્તે જગત જનની મા જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા (Bhadravi Poonam visit temple of Maa Amba)ખેડબ્રહ્મામાં લાખોની જન્મદિનની મા અંબેના દર્શનાર્થે ઉમટી છે. તેમજ બે વર્ષના કોરોના કાળ બાદ તંત્ર દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠાના પદયાત્રીઓ ખેડબ્રહ્મા અંબાજી તરફ ચાલીને પહોંચી(Bhadravi Poonam 2022) રહ્યા છે. ત્યારે મા અંબેના દર્શન કરવા હવે પોતાના નવજાત શિશુ સહિત યુવાનો અને વૃદ્ધ સૌ કોઈ પગપાળા સંઘમાં જોડાઇને મા અંબાના ધામમાં જઈ રહ્યા છે.

ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામમાં લાખોની સંખ્યામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

પદયાત્રીઓ મા અંબેના દર્શન કરવા આતુર જોકે આ પગપાળામાં કેટલાક પદયાત્રીઓ મા અંબેના દર્શન કરવા આતુર( Ambaji Melo 2022)બન્યા છે. તેમજ પોતાની મનોકામના પૂર્ણ થયાના પગલે જગત જનની મા જગદંબાના દર્શન કરી પોતાની માનતા પૂર્ણ થયાનો આનંદ પણ માની રહ્યા છે, જોકે એક તરફ હાલમાં પારાવાર ગરમી તો બીજી તરફ 100 કીમી થી લઈને 400 કિલોમીટર જેટલું પગપાળાનું અંતર કાપ્યા હોવાથી છતાં આસ્થા અને શ્રદ્ધા સામે શારીરિક તકલીફોને સામાન્ય માની અંબાજી તરફ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે.

ભાદરવી પૂનમ

શ્રદ્ધા અને ભક્તિનો ભાવ આગામી બે દિવસમાં આ તમામ સઘો જગતજનની મા જગદંબાના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવશે જોકે હાલના તબક્કે વિવિધ સમસ્યાઓ વચ્ચે પણ તમામ પદત્રીઓમાં અનેરો આનંદ અને ઉલ્લાસની સાથે શ્રદ્ધા અને ભક્તિનો ભાવ જોઈ શકાય છે. ભાદરવી પૂનમ નિમિત્તે આજે ખેડબ્રહ્મા ખાતે અંદાજિત 4 લાખથી વધારે દર્શનાર્થીઓ એ જગતજનની મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને પગલે મોટાભાગના ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ ખેડબ્રહ્મા ખાતે વાદળી પૂનમનો લાભ મેળવી શકે ન હતા.

વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓ વિવિધ તૈયારીઓ કોરોના મહામારી બાદ પહેલીવાર વહીવટી તંત્ર દ્વારા પણ દર્શનાર્થીઓ માટે ડિસ્પ્લે સહિતની વિવિધ તૈયારીઓ કરતા આ વખતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સાથોસાથ ભાદરવી પૂનમ નિમિત્તે મોટાભાગના પગપાળા જતા માઇ ભકતો માટે ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનનો વિશેષ મહત્વ હોય છે. ત્યારે આજના દિવસે મા અંબેના દર્શનનો વિશેષ મહેમાનો લાભ ભક્તજનો મેળવી રહ્યા છે.

Last Updated :Sep 10, 2022, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.