Rajkot Crime News : રાજકોટમાં નકલી નોટો આંગડિયા મારફતે વટાવવાનું કૌભાંડ, આ 5 પકડાયાં

author img

By

Published : Jan 20, 2023, 8:36 PM IST

Rajkot Crime News : રાજકોટમાં નકલી નોટો આંગડિયા મારફતે વટાવવાનું કૌભાંડ, આ 5 પકડાયાં

રાજકોટની આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરી અસલી નોટ લેવાનું કૌભાંડ (Scam of passing fake notes through Angadia ) ઝડપાયું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5 આરોપીની ધરપકડ કરી 500ના દરની 500થી વધુ નકલી નોટ કબ્જે કરાઇ છે. રાજકોટમાંથી રાજ્યવ્યાપી મામલો ( Inter State Scam of fake Notes Busted )પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે. Rajkot Crime Inter State Scam of fake Notes Busted

500ના દરની 500થી વધુ નકલી નોટ કબ્જે કરાઇ

રાજકોટ રાજકોટની આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરી અસલી નોટ લેવાનું કૌભાંડ ઝડપાયું છે. એક આરોપીની પૂછપરછમાંથી મોટા ગજાના નીકળેલા આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે 500થી વધુ 500ના દરની નકલી નોટ કબ્જે કરવામાં આવી છે. ઇસમો દ્વારા રાજકોટ અને જામનગરના આંગડિયામાં આ નકલી નોટ જમા કરવામાં આવી હતી અને ત્યાંથી ખરી નોટો લેવામાં આવી હતી. રાજકોટમાં આ રાજ્યવ્યાપી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.

આવી રીતે ઝડપાયું કૌભાંડ : રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી એક્સિસ બેન્કમાં એક ખાતેદાર થોડા દિવસો પહેલા પોતાના એકાઉન્ટમાં 500ના દરની નોટો જમા કરાવવા માટે આવ્યો હતા. કે દરમિયાન તેમની પાસે રહેલી નોટો નકલી હોવાનું ખુલ્યું હતું. જ્યારે આ મામલે બેંકના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા સંદીપ કાંતિલાલ નામના વ્યક્તિની પૂછપરછ કરાઈ હતી તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને આ 500ના દરની નોટ આંગડિયા મારફતે મળી છે. ત્યારબાદ પોલીસે આંગડિયામાં તપાસ કરતા આ નકલી નોટનું આખું કૌભાંડ ઝડપાયું હતું. જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો મહારાષ્ટ્રના પાલઘરમાંથી પોલીસે 8 કરોડની 2 હજાર રૂપિયાની ની નકલી નોટ ઝડપી

કારખાના નુકશાન જતા આચર્યું કૌભાંડ : એ ડિવિઝન પોલીસે આંગડિયા પેઢીમાં તપાસ કરતા ભરત બોરીચાનું નામ ખુલ્યું હતું. જેની પોલીસે તેની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં જંકશન પ્લોટમાં રહેતા મયુર સોની અને વિમલ સોની તેમજ બાબરાના તેજશ જસાણીનું નામ ખુલતા તેમની પણ અટક કરી પૂછપરછ શરુ કરવામાં આવી હતી. તેવામાં આ પ્રકરણની મહત્વની કડી પોલીસને હાથ લાગી હતી.

પૂના સુધી પહોંચ્યું પગેરું : પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે, કાલાવડ રોડ ઉપર રેસ્ટોરન્ટ ચલાવતા ગુરપ્રીતસિંઘ ઘનશ્યામદાસ કારવાણીએ તેઓને રૂ. 4.65 લાખની રૂ. 500ના દરની નકલી ચલણી નોટ આપી હોવાનું ખુલતા પોલીસે ગુરપ્રીતસિંઘની પૂછપરછ કરતા તેણે વટાણા વેરી નાખ્યા હતા અને પૂનામાં રહેતા મામાના દીકરા કમલેશ શિવનદાસ જેઠવાણીએ તેને આ નોટ આપ્યાની કબૂલાત આપી હતી.

આ પણ વાંચો નકલી નોટોનું કૌભાંડ પકડવામાં સુરત પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય સૂત્રધાર ઝડપાતા થયો મોટો પર્દાફાશ

5 આરોપીઓની કરાઈ ધરપકડ :આ મામલે રાજકોટના એસીપી વી જી પટેલે વિગત આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં થોડા દિવસ અગાઉ યાજ્ઞિક રોડ ઉપર એકસીસ બેંકમાં આ પ્રકારની નકલી નોટ જમા કરાવવા એક વ્યક્તિ આવ્યા હતાં. જે મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ એક્સિસ બેન્કમાં જે સંદીપ કાંતિભાઈ નોટ જમા કરાવવા આવ્યા હતા.

એક આરોપીની પૂછપરછમાં ખુલ્યું મોટું કૌભાંડ : તેમની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ સોની બજારના એક આંગડિયામાંથી આ નોટો લઈને આવ્યા છે. ત્યારબાદ પોલીસે આંગડિયામાં તપાસ કરતા સામે આવ્યું કે કિશોર બોરીચા નામનો જમા કરાવવા માટે આવ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં ખોલ્યું કે તેને કારખાનામાં નુકસાની જતા આ નકલી નોટો તેને પૂના ખાતેથી મંગાવી હતી. ત્યારબાદ આંગડિયા મારફતે તેને વટાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.