Bageshwar Dham : ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને ત્રિપાંખ સાધુ સમાજનો ટેકો

author img

By

Published : May 24, 2023, 3:24 PM IST

Updated : May 24, 2023, 4:47 PM IST

Bageshwar Dham : ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને ત્રિપાંખ સાધુ સમાજનો ટેકો

રાજકોટમાં યોજાવનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને કરણી સેના બાદ ત્રિપાંખ સાધુ સમાજે ટેકો જાહેર કર્યો છે. ત્રિપાંખ સાધુ સમાજના આગેવાને શાસ્ત્રીના કાર્યક્રમમાં લોકો આવે તેવી અપીલ કરી છે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં 15 કિલોમીટરની શોભાયાત્રા યોજાવવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

રાજકોટમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમને ત્રિપાંખ સાધુ સમાજનો ટેકો

રાજકોટ : મધ્યપ્રદેશના છત્તરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી તારીખ 1 અને 2 જૂનના રોજ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં પોતાનો દિવ્ય દરબાર યોજનાર છે, ત્યારે આ કાર્યક્રમની જાહેરાત સમયે કેટલાક લોકો દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બધા વિરોધની વચ્ચે અલગ અલગ સમાજ દ્વારા રાજકોટમાં યોજાનાર બાગેશ્વર બાબાના કાર્યક્રમને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે કરણી સેના દ્વારા રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી અને તેમને સમર્થન આપવામાં આવ્યું હતું, ત્યારે આજે રાજકોટના ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા પણ બાગેશ્વર ધામ સમિતિને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આજે વિવિધ હિન્દુ સંગઠનો સાથે ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા રાજકોટમાં યોજાનાર બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ ઘણા સમાજ દ્વારા બાગેશ્વર બાબા અને સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યારે અમે પણ રાજકોટ વાસીઓને મોટા પ્રમાણમાં અપીલ કરીએ છીએ કે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભાગ લે અને તેમને સાંભળવા માટે આવે. - કાના કુબાવત (ત્રિપાંખ સાધુ સમાજના આગેવાન)

સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ : આ અંગે રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય યોગીન છાણીયારે જણાવ્યું હતું કે, આગામી તારીખ 1 અને 2 જૂનના રોજ રાજકોટ ખાતે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દિવ્ય દરબારના સફળ આયોજન માટે રાજકોટના પ્રજાજનો તેમજ વિવિધ સામાજિક સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓનો સહકાર અમને મળી રહ્યો છે. જેમાં આજે ત્રણેય પાંખના સાધુ સમાજના આગેવાનો દ્વારા અમને ટેકો આપવામાં આવ્યો છે. જેના કારણે અમે આ ત્રણે પાંખના સાધુ સમાજનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

15 કિલોમીટરની શોભાયાત્રા યોજાશે : રાજકોટમાં તારીખ 1 અને 2 જૂનના રોજ ભાગ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 31 તારીખના રોજ રાજકોટ ખાતે સાંજે આવી જાય તેવી શક્યતાઓ છે. રાજકોટમાં દિવ્ય દરબાર યોજાય તે પહેલા 29 તારીખના રોજ શોભાયાત્રા યોજવાનું આયોજન રાજકોટ બાગેશ્વર ધામ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા સાંજના સમયે યોજાશે. જે શહેરના 15 કિલોમીટરના રૂટ ઉપર ફરશે. જેમાં રાજકોટના નામાંકિત લોકો તેમજ વિવિધ સાધુ સમાજ અને સંતો મહંતો જોવા મળશે. શોભાયાત્રામાં 500થી વધારે કારનો કાફલો પણ જોડાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિના 300 જેટલા સ્વયંસેવકો હાલ આ કામગીરીને સફળ બનાવવામાં લાગ્યા છે.

Bageshwar Dham in Surat : સુરતમાં બાગેશ્વર ધામનો પ્રચાર પૂરજોશ, બાબાના ફોટો સાથેના ઝંડા અને દીવા વિતરણ થશે

Bageshwar Dham Controversy : ' ઘરે બેસીને ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા જોવી જોઈએ ' સંગીતા પાટીલે બાપુને આપી સલાહ

Bageshwar Dham in Surat : સુરત ભાજપના નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ હાઈજેક કરી લીધાંની ચર્ચા, આયોજક શું કહે છે?

Last Updated :May 24, 2023, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.