ધોરાજીમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પતિએ પત્નીની કરી હત્યા

author img

By

Published : Jul 20, 2021, 9:52 AM IST

હત્યાનો આરોપી

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા ચિસ્તિયા કોલોનીમાં રહેતી પરણિત મહિલાની તેમના જ પતિ દ્વારા પોતાના ફ્લોર પરથી ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવી છે. જે બાદ મહિલા નીચે પટકતા તેનું મોત થતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

  • ધોરાજીમાં પતિએ પત્નીની કરી હત્યા
  • ફ્લોર પરથી ધક્કો મારતા પત્નીનું મોત
  • પતિ-પત્ની વચ્ચેના થયેલા ઝગડામાં પત્નીની હત્યા

રાજકોટ : જિલ્લામાં ધોરાજીની ચિસ્તીયાનગર કોલીનીમાં રહેતી મહિલા જીન્નત અને તેમના પતિ ઇમ્તીયાઝ દલાલ વચ્ચે છેલા ઘણા મહિનાથી ઝગડાઓ થતા હતા અને બબાલ પણ થતી હતી. આ બબાલને કારણે પતિ ઈમ્તિયાઝે આવેશમાં આવીનેે પત્ની જીન્નત જયારે પોતાની ગેલેરીમાં બેઠી હતી ત્યારે તેના પતિ ઇમ્તીયાઝ દ્વારા ધક્કો મારી દીધો હતો.

આ પણ વાંચો : ઉમરગામના ફણસા ગામે પતિએ કરી પત્નીની હત્યા, 2 બાળકો બન્યા નોંધારા

હત્યાની જાણ થતાં પોલીસ ઘટનાસ્તળે દોડી આવી હતી

ઉપરથી નીચે પટકાતા મહિલાનું મોત થયું હતું. પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં જે રીતે પતિ દ્વારા પત્નીની હત્યા કરી દેવામાં આવી તે અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહનો કબ્જો લઇનેે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : કાંકરેજ તાલુકાના કાકરાળા ગામે પત્નીની હત્યા કેસમાં પતિને આજીવનકેદની સજા ફટકારાઈ

પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાઇ

ધોરાજીના ચિસ્તીયા કોલોનીમાં પરમેશ્વર સમાન પતિએ જે રીતે પત્નીની કરપીણ હત્યા કરી નાખી છે. ત્યારે સમગ્ર ધોરાજી પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્યારે આરોપી પતિને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પતિએ પત્નીની કરી હત્યા

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.