Viranjli Program in Patan: પાટણમાં વિરાંજલી કાર્યક્રમ યોજાશે, વતનના વિસરાઈ ગયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે

author img

By

Published : May 18, 2022, 7:29 PM IST

Viranjli Program in Patan: પાટણમાં વિરાંજલી કાર્યક્રમ યોજાશે, વતનના વિસરાઈ ગયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે

આઝાદીકા અમૃત મહોત્સવ (Azadika Amrut Mahotsav)અંતર્ગત પાટણમાં વિરાંજલી (viranjli program in patan )કાર્યક્રમ 22 મેના રોજ યજનાર છે. ગુજરાતના સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ કાર્યક્રમમાં ક્રાંતિવીરોની શહાદતને નમન કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 100 થી વધુ કલાકારો દ્વારા વતનના વિસરાઈ ગયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે.

પાટણઃ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત (Azadika Amrut Mahotsav)દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર વીર ક્રાંતિકારીઓની (viranjli program in patan )શહાદતને સલામ કરતો વિરાંજલી કાર્યક્રમ પાટણમાં આગામી 22 મેના રોજ યજનાર છે. જે અંગે પાટણ જિલ્લા કલેકટર કચેરીએ ઇન્ચાર્જ કલેકટર ડીએમ સોલંકીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં કાર્યક્રમને લગતી તમામ વિગતો કલેકટર દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વાપીના મોરાઈ ગામે 'વિરાંજલી' એક શામ શહીદો કે નામ યોજાયો કાર્યક્રમ

100 થી વધુ કલાકારો દ્વારા વીર સપૂતોની વાતો રજૂ કરાશે - પાટણ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિરાંજલી કાર્યક્રમ (Viranjali program)થકી સ્વાતંત્ર્યની ચળવળની સમગ્ર યાત્રાને નિહાળી નાગરિકોમાં રાષ્ટ્ર ભક્તિની ભાવના ઉજાગર થાય તે માટે મહત્તમ નાગરિકો તેમાં જોડાશે તેવી અપેક્ષા છે. પાટણના પ્રગતિ મેદાનમાં આગામી તારીખ 22મી મેના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમિયાન ડાન્સ અને ડ્રામાં સાથે દેશભક્તિના ગુજરાતના સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ કાર્યક્રમમાં ક્રાંતિવીરોની શહાદતને નમન કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ઐતિહાસિક ધરા પરથી વિરાંજલી કાર્યક્રમની શરૂઆત - વિરાંજલી કાર્યક્રમના મુખ્ય કલાકાર સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે પાટણની ઐતિહાસિક ધરા પરથી વિરાંજલી કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. આ માત્ર કાર્યક્રમ નહીં પણ વતન પ્રેમની વેક્સિનનો બુસ્ટર ડોઝ છે. ભારતના વીર સપૂતોની શહીદીની કથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે દેશની સેવા માટે શું કરી શકીએ તેની વાત આ કાર્યક્રમ થકી કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીના સમન્વયથી આજના યુવાનોને ગમે તેવી ભવ્ય રજૂઆત દ્વારા દેશભક્તિની ભાવના જાગૃત કરતા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃ Viranjali Program in Kutch : કચ્છમાં વિરાંજલી કાર્યક્રમ સાથે આઝાદી માટે બલિદાન આપનારાઓનું સન્માન

પાટણ શહેરના પ્રગતિ મેદાનમાં યોજાનાર - નૃત્ય અને નાટક સાથે દેશભક્તિના ગુજરાતના સૌપ્રથમ મેગા મ્યુઝિકલ કાર્યક્રમમા જાણીતા સાહિત્યકાર સાઈરામ દવે સહિતના 100 થી વધુ કલાકારો દ્વારા વતનના વિસરાઈ ગયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.