2022 ચૂંટણીની તૈયારીઃ પાટણમાં કૉંગ્રેસ નો જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Nov 16, 2021, 1:39 PM IST

2022 ચૂંટણીની તૈયારીઃ પાટણમાં કૉંગ્રેસ નો જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

પાટણ ખાતે કૉંગ્રેસ ( Congress at Patan)દ્વારા સ્નેહમિલન અને રાજ્યભરમાં શરૂ કરાયેલા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ (Awareness Campaign Program)પ્રદેશ પ્રભારી ડૉ.રઘુ શર્મા (Dr. Raghu Sharma) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કૉંગ્રેસના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.પાટણના પૂર્વ સાંસદ અને પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખની રેસમાં રહેલા જગદીશ ઠાકોરે(Jagdish Thakore) જણાવ્યું હતું કે ગુજરાતમાં વધી રહેલી ડ્રગ્સની હેરાફેરી ઉપર ચિંતા વ્યક્ત કરી જણાવ્યું કે, ગુજરાતમાં લારીઓ ઉપર વેચાતા શરબતની જેમ દરેક ગામ-શહેરમાં દારૂ અને ડ્રગ્સ(Alcohol and drugs) વેચાય છે.

  • પાટણ ખાતે કૉંગ્રેસ દ્વારા સ્નેહમિલન જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ
  • કૉંગ્રેસના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા
  • ચૂંટણીઓ સમયે ભાજપ નવા નવા હંથકંડા અપનાવી પ્રજાને ગુમરાહ કરે છે

પાટણઃ પાટણ ખાતે કૉંગ્રેસ( Congress at Patan)દ્વારા સ્નેહમિલન અને રાજ્યભરમાં શરૂ કરાયેલા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ (Awareness Campaign Program)પ્રદેશ પ્રભારી ડૉ.રઘુ શર્મા(Dr. Raghu Sharma) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કૉંગ્રેસના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા, અને આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (2022 Assembly elections)ભાજપને(BJP) જડમૂળમાંથી ઉખાડી નાખવાનું આહ્વાન કર્યું હતું.

2022 ચૂંટણીની તૈયારીઃ પાટણમાં કૉંગ્રેસ નો જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
સરકાર બદલી ભાજપે સ્વીકાર્યું કે ગુજરાતમાં કોઈ કામ થયા નથી:ડો રઘુ શર્મા પ્રદેશ પ્રભારી ડૉ.રઘુ શર્મા(Dr. Raghu Sharma)એ ગુજરાત ભાજપ(Gujarat BJP)ને ચાર વર્ષ બાદ બદલવી પડેલી સરકાર ઉપર પ્રહારો કરી જણાવ્યું હતું, કે ચાર વર્ષ સુધી ભાજપના મોવડીઓને ખબરન પડી કે આ સરકાર કઈ કામ કરતી નથી. તેથી આખી સરકાર બદલવી પડી સમગ્ર દેશમાં આખી સરકાર બદલવી પડી હોય તેવું અગાઉ ક્યારેય બન્યું નથી. સરકાર બદલી ભાજપે સ્વીકારી લીધું કે અગાઉના ચાર વર્ષમાં કોઈ જ કામ થયા નથી જો થયા હોત તો એકાદ પ્રધાનને પણ આ નવી સરકારમાં સ્થાન આપી શક્યા હોત. મોંઘવારી સાતમાં આસમાને છે જેનાથી ગરીબોની હાલત કફોડી બની છે. ચૂંટણી સમયે ભાજપ નવા નવા હંથકંડા અપનાવી યુક્તિ-પ્રયુક્તિ દ્વારા પ્રજાને ગુમરાહ બનાવે છે તોડફોડ અને ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરી પ્રજા વોટના આપે તો પણ સરકાર તો ભાજપની જ બનાવવાના સડયંત્ર રચી અનેક રાજ્યોમાં કૉંગ્રેસની સરકારો તોડી છે અને ધારાસભ્યોને ખરીદી સરકારો બનાવી બળજબરી શાસન કરે છે. એવા આ શાસકોને આગામી વિધાનસભામાં પ્રજા પાઠ ભણાવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.ભાજપ પ્રદેશ પ્રમુખ રબર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન બનાવી નવા નિર્ણયો કરાવી રહ્યા છે પાટણ ખાતે યોજાયેલ જનજાગૃતિ અભિયાન સંબોધતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)એ જણાવ્યું હતું કે રામ રાજ્યની વાતો કરવાવાળા અને રામના નામે મત લેનારાઓ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કરતાં પણ વધારે ખરાબ પીંઢાળા જેવું શાસનઆજે ગુજરાત અને દેશમાં ચલાવી રહ્યા છે. ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપર આકરા તા તીર ચલાવી જણાવ્યું હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ ઉપર ક્રિમિનલ કેસો થયેલા છે અને તેઓ હાલ રબર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન બનાવી નવા નવા નિર્ણયો કરાવી રહ્યા છે. ગુજરાતના દરેક ગામ અને શહેરમાં સરબતની જેમદારૂ વેચાય છે: જગદીશ ઠાકોર પાટણના પૂર્વ સાંસદ અને પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખની રેસમાં રહેલા જગદીશ ઠાકોરે(Jagdish Thakore) જણાવ્યું હતું કે ગુજરાતમાં વધી રહેલી ડ્રગ્સની હેરાફેરી ઉપર ચિંતા વ્યક્ત કરી જણાવ્યું કે, ગુજરાતમાં લારીઓ ઉપર વેચાતા શરબતની જેમ દરેક ગામ-શહેરમાં દારૂ અને ડ્રગ્સ વેચાય છે. ભાજપના રાજમાં શિક્ષિત બેરોજગાર યુવાનો નોકરીના નામે આંદોલન ન કરે તે માટે ડ્રગ્સ અને ચરસના રવાડે ચડાવી એમને ખોખલા બનાવી રહી છે. પરંતુ કૉંગ્રેસ જનજાગરણ અભિયાન થકી આવા યુવાનો ને જગાડી સરકાર પાસે અધિકાર અને જવાબ માંગવા પ્રેમ કરશે જો સરકાર યુવાનોને નોકરી ધંધા રોજગારનો જવાબ ન આપે તો આ સરકારને ફેંકી દેવા યુવાનોને સોશિયલ મીડિયા પર ચલાવવા આહ્વાન કર્યું હતુ.

ભાજપ ઉપર તેજાબી પ્રહારો કરતાં રાજકારણ ગરમાયું

આગામી વિધાનસભાની ચૂંટણીઓની રાજનીતિના ભાગરૂપે પાટણમાં કૉંગ્રેસ દ્વારા સોમવારે યોજાયેલ જનજાગૃતિ અભિયાન પ્રદેશ કૉંગ્રેસના નેતાઓએ આક્રમક બની લડાયક મૂડમાં ભાજપ ઉપર તેજાબી પ્રહારો કરતાં રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંંચોઃ કડકડતી ઠંડીમાં શરદી સહિતના રોગોથી બચાવતા ડો. માધવી પટેલના ઘરગથ્થુ ઉપાયો

આ પણ વાંંચોઃ પરાળ સળગાવવાથી દિલ્હીની હવા પ્રદૂષિત બન્યા બાદ સુરત જિલ્લાના ખેડૂતો કઈ રીતે કરી રહ્યા છે તેનો ઉપયોગ આવો જાણીએ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.