પવિત્ર બિંદુ સરોવરમાં માતૃ શ્રાદ્ધ કરવાનું અનેરુ મહત્વ...

author img

By

Published : Sep 24, 2019, 8:37 AM IST

પાટણઃ હિન્દુ ધર્મમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. ભાદરવા સુદ પુનમથી આ પર્વની શરૂઆત થાય છે. જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધનાં સોળ દિવસનાં સમુહને શ્રાદ્ધ પક્ષ તેમજ પિતૃ તર્પણનાં દિવસો કહેવાય છે. આ દિવસોમાં એક દિવસ એવો પણ આવે છે જેમાં માતૃ તર્પણનું પણ ધાર્મિક મહત્વ છે. ભાદરવામાસની કૃષ્ણ પક્ષની નવમી તિથિએ માતૃ નવમી શ્રાદ્ધ કરવાની પરંપરા છે. આ દિવસે લોકો પોતાની મૃતક માતાનું શ્રાદ્ધ કર્મ કરે છે.

ભારતના ચાર મુખ્ય સરોવરો પૈકીનું સિદ્વપુરમાં આવેલું બિંદુ સરોવર એ હિન્દુઓના પવિત્ર તીર્થોમાંનું એક છે. આ બિંદુ સરોવરમાં કાર્તિક, ચૈત્ર, અને ભાદરવામાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. ભાદરવા વદ નોમના દિવસે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુંઓએ માતૃ તર્પણ કરી પિંડદાન કર્યું હતું. પવિત્ર બિંદુ સરોવર ખાતે તીર્થ ગોર દ્વાર મંત્રોચ્ચાર સાથે શાત્રોક્ત વિધિથી સામુહિક માતૃતર્પણ વિધિ કરવામાં આવે છે.

પવિત્ર બિંદુ સરોવરમાં માતૃ શ્રાદ્ધ કરવાનું અનેરુ મહત્વ...

રાજ્ય સરકાર દ્વારા બિંદુ સરોવર ખાતે શ્રદ્ધાળુઓ અને યાત્રિકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલ્બદ્ધ કરવામાં આવી છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. તેથી દેશભરમાંથી હજારો લાખોની સંખ્યામાં લોકો માતૃ તર્પણ કરવા શ્રદ્ધાળું આવતા હોય છે. ભગવાન કપિલ અને પરશુરામે પણ આ સ્થળે માતાની તર્પણ વિધિ કરી માતાનો ઉદ્ધાર કર્યો હતો. જેથી સિદ્ધભૂમિ એવી સિદ્ધપુરના બિંદુ સરોવરમાં શ્રદ્ધાળુઓ માતૃશ્રાદ્ધ વિધિ કરી ધન્યતા અનુભવે છે.

અર્પણ, તર્પણ અને સમર્પણના આ ત્રિવેણી સંગમનો મહિમા દર્શાવતા શ્રાદ્ધ પક્ષમાં લોકો આસ્થાથી માતૃ તર્પણ કરી પૂર્વજોને મોક્ષગતી આપ્યાની અનુભૂતિ કરે છે.

Intro:(સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન સ્પેશિયલ)

સિદ્ધપુર મા આવેલ બિંદુ સરોવર ખાતે શ્રાદ્ધ પક્ષ મા દેશભરમાંથી લોકો માતૃ તર્પણ કરવા આવે છે.ત્યારે આજે ડોશી નોમ ના દિવસે હજારો શ્રદ્ધાળુઓ એ પિંડદાન કરી માતૃ ઋણ માંથી મુકતી મેળવવાનો અહેસાસ કર્યો હતો.


Body: હજારો વર્ષ પહેલા મહર્ષિ કદર્મ અને માતા દેવહુતિએ પુત્ર ની ઝાંખના માટે સરસ્વતી નદી ના કિનારે કઠોર તપસ્યા કરી હતી.જેને લીધે આ ક્ષેત્ર ને સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.ઋષિ દંપતીની તપસ્યા જોઈ ને ભગવાન નારાયણે પ્રસન્ન થઈ વર્દાનમાં માતા દેવહુતી ના કુખે જન્મ લીધો હતો. ને ભગવાને માતા ને નાની ઉંમરમાં સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ આપી માતાનો ઉધ્ધાર કર્યો હતો.ભગવાન કપિલ ના ઉપદેશથી કૃતાર્થ થયેલ માતા દેવહુતી ની આંખ માસ હર્ષ ના આંસુ ઉભરાયા અને આ બિંદુ નહિ અટકતા ત્યાં સરોવર બન્યું જે બિંદુ સરોવર તરીકે ઓળખાય છે.આ જગ્યા પર ભગવાન પરશુરામે માતૃહત્યા ના ઋણમાંથી મુક્ત થવા માટે પિંડદાન કર્યું હોવાથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે જગતભર મા પ્રખ્યાત થયું છે.

બાઈટ 1 કિરણભાઈ શાસ્ત્રી ગોળમંડળ ઉપ પ્રમુખ બિંદુ સરોવર
બાઈટ 2 ઉમેશભાઈ ઠાકર ભગવતાચાર્ય

ભારત વર્ષના ચાર મુખ્ય સરોવરો પૈકી નું બિંદુ સરોવર એ હિન્દુ ધર્મના પવિત્ર તીર્થોમાંનું એક છે શ્રાદ્ધ એ વૈદોકિત વિધિ છે પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થાય છે અને મોક્ષ પામે છે. આ બિંદુ સરોવર મા કાર્તિક, ચૈત્ર,અને ભાદ્રમાસમાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે ત્યારે આજે ભાદરવા વદ નોમ( ડોશીઓ ની નોમ) ના દિવસે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ એ માતૃ તર્પણ કરી પિંડદાન કર્યું હતું પવિત્ર બિંદુ સરોવર ખાતે તીર્થ ગોર દ્વાર મંત્રોચ્ચાર સાથે શાત્રોક્ત વિધિ થી સામુહિક માતૃતર્પણ વિધિ કરવામાં આવી હતી.

બાઈટ 3 યશવંતભાઈ મહેતા રાજકોટ શ્રધ્ધાળુ

રાજ્ય સરકાર દ્વારા બિંદુ સરોવર ખાતે શ્રદ્ધાળુઓ અને યાત્રિકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબદ્ધ કરવામાં આવી છે. હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તેથી દેશભરમાંથી હજારો લાખો ની સંખ્યામાં લોકો માતૃ તર્પણ કરવા આવતા હોય છે ભગવાન કપિલ અને પરશુરામે પણ આ સ્થળે માતાઓ ની તર્પણ વિધિ કરી માતાઓ નો ઉદ્ધાર કર્યો હતો. જેથી સિદ્ધ ભૂમિ એવી સિદ્ધપુર મા બિંદુ સરોવર મા શ્રદ્ધાળુઓ માતૃશ્રાદ્ધ વિધિ કર્યા બાદ સંતોષની લાગણી અનુભવતા હોય છે

બાઈટ 4 ધૃવ દવે શ્રધ્ધાળુ પાટણ







Conclusion:અર્પણ,તર્પણ અને સમર્પણ ના આ ત્રિવેણી સંગમનો મહિમા દર્શાવતા શ્રાદ્ધ પક્ષ મા લોકો આસ્થાથી માતૃ તર્પણ કરી પિતૃઓ ને મોક્ષગતી આપ્યા ની અનુભૂતિ કરતા હોય છે. નોંધનીય છે કે બિંદુ સરોવર ખાતે દેશના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ,બોવલીવુડ ના અભિનેતાઓ અને મહાન હસ્તીઓ પણ માતૃતર્પણ વિધિ માટે આવતા હોય છ

પી.ટુ. સી. ભાવેશ ભોજક પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.