નવસારીમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાના ધામા, જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય

author img

By

Published : Sep 8, 2021, 1:51 PM IST

નવસારીમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાના ધામા, જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય

મેઘરાજા છેલ્લા 2 દિવસથી નવસારીમાં મહેરબાન થયા છે. ત્યારે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લા વહિવટી તંત્ર હવે એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્રએ NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખી છે. આ સાથે જ જિલ્લાના અને શહેરોના અધિકારીઓને સતર્ક રહેવા અને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી દેવાઈ છે.

  • નવસારીમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે
  • ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર
  • જિલ્લા તંત્રએ NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખી
  • જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના
  • તમામ નગરપાલિકાઓને પણ સતર્ક રહેવા તાકીદ

નવસારીઃ જિલ્લામાં 2 દિવસથી અવિરત મેઘ મહેર રહી છે. આ સાથે જ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ મોડમાં પહોંચ્યું છે. આની સાથે જ વરસાદી માહોલને કારણે NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ જિલ્લાના તાલુકા અને શહેરોના અધિકારીઓને પણ સતર્ક રહી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ- ભાવનગરમાં 1 થી અઢી ઇંચ વરસાદ, જાણઓ ક્યા કેટલો વરસાદ

નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 3.29 ઇંચ વરસાદ ખાબક્યો

જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જ્યારે 2 દિવસોમાં નવસારી તાલુકામાં વધુ વરસાદ રહેતાં નવસારીના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને અગવડ પડી હતી. તો આજે બપોરે 12 વાગ્યા બાદ નવસારીમાં પડેલા ભારે વરસાદને પગલે નવસારી-વિજલપોર શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આથી નગરપાલિકાની કામગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. જોકે, નગરપાલિકા પ્રમુખ જિગીશ શાહે શહેરના વિવિધ સ્થળોએ ફરીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવી હતી.

જિલ્લા તંત્રએ NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખી
જિલ્લા તંત્રએ NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખી

આ પણ વાંચોઃ- વલસાડ જિલ્લાના વાપીમાં અનરાધાર વરસ્યો મેઘ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદમાં પાણી જ પાણી

વરસાદી આપત્તિમાં હેલ્પલાઈન નંબર 1077 જાહેર કરાયો

જિલ્લામાં 2 દિવસોમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં ગઈકાલે નવસારીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, પણ વરસાદ નોંધાયો ન હતો. પરંતુ બપોરે 12 વાગ્યા બાદ મેઘાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ત્યારે નવસારીમાં 79 મીમી (3.29 ઈંચ), જલાલપોરમાં 68 મીમી (2.83 ઈંચ) અને ગણદેવીમાં 40 મીમી (1.66 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંસદમાં 8 મીમી અને ખેરગામ-ચીખલીમાં 5-5 મીમી વરસાદ પડ્યો હતો.

નીચાણવાળા વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સૂચના

વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. એટલે જ તાલુકા વિકાસ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને નગરપાલિકાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય કે તરત જ તેના નિકાલની વ્યવસ્થા રાખવા પણ જણાવાયું છે. વરસાદને કારણે કોઈ આપત્તિમાં મુકાય તો મદદ માટે 1077 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેની સાથે જ NDRF ની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.