પશ્ચિમ બંગાળના BJP નેતા વૃંદાવન સરકારનો મમતા સરકાર પર મોટો આક્ષેપ

author img

By

Published : Jul 20, 2021, 9:20 PM IST

નર્મદા

પશ્ચિમ બંગાળના BJP નેતા વૃંદાવન સરકાર નર્મદાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, રોહિંગ્યાને મમતા સરકાર પશ્ચિમ બંગાળમાં આવવા દે છે. તેમને આધાર કાર્ડ પણ અપાવે છે. કારણ કે, તેનાથી TMCની વોટ બેન્કમાં વધારો થાય છે.

  • વૃંદાવન સરકારે TMC સરકાર પર લગાવ્યા આક્ષેપ
  • Y+ સુરક્ષા છતાં સળગાવ્યું ઘર
  • મમતા આપે છે રોહિંગ્યાઓને આધારકાર્ડ

નર્મદા: પશ્ચિમ બંગાળના BJP નેતા વૃંદાવન સરકારે 20 જુલાઈના રોજ નર્મદાની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સાથે વાત કરતા તેમણે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર આક્ષેપો કર્યા હતા.

પશ્ચિમ બંગાળના BJP નેતા વૃંદાવન સરકારનો મમતા સરકાર પર મોટો આક્ષેપ

આ પણ વાંચો: ભાજપના મહાસચિવ વિજયવર્ગીયનો મમતા સરકાર પર આક્ષેપ, કહ્યું- બાંગ્લાદેશથી બોલાવે છે શૂટર

મમતા સરકારે સળગાવ્યુ ધર

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચુંટણીમાં હાર્યા બાદ અમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ લોકોની મારપીટ થવા લાગી હતી. મને કેન્દ્ર સરકાર તરફથી Y+ સુરક્ષા મળે છે, છતાં 5 તારીખે મારુ ઘર સળગાવી દેવામાં આવ્યું હતું. મારી માગ છે કે, રાષ્ટ્રપતિ શાસન બંગાળમાં હોવું જોઇએ. નહિં તો માત્ર BJP જ નહીં પણ વિપક્ષ પણ નહિ બચે. બાંગલાદેશથી આવીને ઘુસણખોરી કરનારાઓ TMCની મદદથી બોમ્બાર્ડિંગ થાય છે. અમારે ત્યાં 200 વખત હુમલાઓ થયા છે, જ્યાં TMC હશે ત્યાં દંગા ફસાદ થશે જ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.