સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે શનિ-રવિની રજામાં પ્રવાસીઓ ઉમટ્યા

author img

By

Published : Jul 18, 2021, 2:52 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઓછું થતા સરકારે પ્રવાસન ધામો ખુલ્યા મુક્યા છે, ત્યારે કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટફેવરીત બન્યો છે. હાલ શનિવાર અને રવિવારની રજામાં 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જોકે તંત્ર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે. જ્યારે પ્રવાસીઓ દ્વારા સોશિલ ડિસ્ટન્સનો ભંગ કરવમાં આવી રહ્યો છે.

  • સરકારે દ્વારા પ્રવાસન સ્થળો ખુલ્લા મુકતા પ્રવાસીઓની ભીડ
  • પ્રવાસીઓ દ્વારા સોશિલ ડિસ્ટન્સનો ભંગ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા

નર્મદા: કોરોના બીજી લહેર બાદ સરકાર દ્વારા છૂટછાટ અપાતા પ્રવાસીઓની પ્રવાસન સ્થળો પર ભીડ વધી રહી છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ અને રવિની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યા 50 હજાર થઇ હતી. આ શનિ-રવિની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. શનિવારે 22 હજાર અને રવિવારે 28 હજારથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવ્યા હતા. આમ બે દિવસમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે.

પ્રવાસીઓની સંખ્યાના વધારો

પ્રવાસીઓની સંખ્યાના વધતા તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનના પાલન માટે સ્ટાફ વધારી દેવામાં આવ્યો છે. થર્મલ ગન દ્વારા સ્કેનિંગ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશનનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે.આ સાથે ટીકિટ ચેકીંગ મશીનથી લઈને લિફ્ટ, વોકેલેટર અને એસ્કેલેટર સહિતની જગ્યાએ સતત સેનિટાઇઝેશન કરવામાં આવી રહી છે. માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ પર ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે શનિ-રવિની રજામાં પ્રવાસીઓ ઉમટ્યા

સોશિયલ ડિસ્ટન્સ ભૂલી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે. સાતપુડા અને વિધ્યાનચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય બારેમાસ આ સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ સૌંદર્ય વચ્ચે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટે ની મુકવામાં આવી છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપ્યું છે કેવડિયા ખાતે બનાવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય જે પ્રોજેક્ટ છે. જેને જોવા પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. ખાસ ચોમાસાની મોસમમાં હાલ sou ની આજુ-બાજુ નર્મદા ડેમમાં પાણીની આવક ને કારણે સ્ટેચ્યુની બાજુમાં પાણી ભરાતા આહલાદક દ્રસ્યો સર્જાયા છે. જેને જોઈ પ્રવાસીઓ મજામાણી રહ્યા છે જોકે આજ પ્રવાસીઓ જાને કોરોનાની મહામારી ખતમ થઇ ગઈ હોઈ સોશિયલ ડિસ્ટન્સ ભૂલી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે,

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.