રાષ્ટ્રીય પરિષદમાં મોદીએ કહ્યું, પર્યાવરણ જનજાગૃતિ માટે યોજના બનાવો

author img

By

Published : Sep 23, 2022, 7:13 PM IST

Updated : Sep 23, 2022, 7:20 PM IST

રાષ્ટ્રીય પરિષદમાં મોદીએ કહ્યું, પર્યાવરણ જનજાગૃતિ માટે યોજના બનાવો

નર્મદા જિલ્લાના કેવડિયામાં શુક્રવારથી બે દિવસીય પર્યાવરણ પ્રધાનોની (Environment Ministers National Meet) રાષ્ટ્રીય પરિષદ શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે અને તમામને સંબોધન કરશે. ગુજરાતમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરાયું હતું. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સવારે 10.30 વાગ્યે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું.

કેવડિયાઃ નર્મદા ટેન્ટસિટી ખાતે પર્યાવરણ પ્રધાનોની રાષ્ટ્રીય પરિષદ શરૂ થઈ ચૂકી છે. શુક્રવારે આ કાર્યક્રમનો પ્રથમ દિવસ હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી (PM Modi online inauguration) હાજરી આપીને કાર્યક્રમનો શુભારંભ (Environment Ministers National Meet) કરાવ્યો છે. આ કાર્યક્રમમાં મોદીએ આવનારી પેઢીને પર્યાવરણની સમજ મળે રહે એ માટે નવી યોજનાઓ તૈયાર કરવા માટેની અપીલ કરી દીધી છે.

  • The delay of Sardar Sarovar Project and the dubious role of urban Naxals in this delay has lessons for us all…

    Let’s not jeopardise progress for self-interest of a select few. pic.twitter.com/KxcUhUwbMx

    — Narendra Modi (@narendramodi) September 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાષ્ટ્રીય કાર્યક્રમઃ તારીખ 23 અને 24 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ બે દિવસીય કોન્ફરન્સનો હેતું વિવિધ મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સમન્વય બનાવવાનો છે. જેમ કે આબોહવા પરિવર્તન, પ્લાસ્ટિકના કચરાનો સામનો કરવો, વન્યજીવન અને વન વ્યવસ્થાપન વગેરે. પીએમ મોદીએ સભાને સંબોધન કર્યું હતું. "સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા, આબોહવા પરિવર્તનનો અસરકારક રીતે સામનો કરવા માટે બહુપક્ષીય અભિગમ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવા, રાજ્યની કાર્ય યોજનાઓ જેવા મુદ્દાઓ પર વધુ સારી નીતિઓ ઘડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સમન્વય બનાવવા માટે પરિષદ બોલાવવામાં આવી રહી છે.

યોજના બનાવોઃ વડાપ્રધાન મોદીએ આ સભામાં સંબધોન કરતા જણાવ્યું હતું કે, પર્યાવરણ વિભાગે જુદી જુદી યોજના તૈયાર કરવી પડશે. જેથી લોકોમાં એક પર્યાવરણ વિશે જાગૃતિ આવે. શિક્ષણ વિભાગ અને પર્યાવરણ વિભાગે આ માટે સાથે રહીને કામ કરવું જરૂરી છે. વૃક્ષોના પ્રકાર અંગે લેખિત સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ. જેથી આવનારી પેઢીને આ વૃક્ષો વિશે એક ઊંડી સમજ મળી રહે. રાજ્યના પર્યાવરણ મંત્રાલયે બાયો ફ્યૂલ બાજું આગળ વધવાની જરૂર છે. હાલમાં ઈથેનોલ ક્ષેત્ર ભારત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.

વડાપ્રધાનના આક્ષેપઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે રાજકીય પીઠબળ ધરાવતા "શહેરી નક્સલીઓ અને વિકાસ વિરોધી તત્વો" એ પર્યાવરણને નુકસાન પહોંચાડશે. એવો દાવો કરીને ઝુંબેશ ચલાવીને ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમનું નિર્માણ ઘણા વર્ષોથી અટકાવી દીધું હતું. "રાજકીય પીઠબળ ધરાવતા શહેરી નક્સલીઓ અને વિકાસ વિરોધી તત્વોએ સરદાર સરોવર ડેમનું બાંધકામ અટકાવી દીધું હતું કે પ્રોજેક્ટ પર્યાવરણને નુકસાન પહોંચાડશે.

મોટી રકમનો વ્યય થયોઃ આ વિલંબને કારણે મોટી રકમનો વ્યય થયો હતો. હવે જ્યારે ડેમનું કામ પૂર્ણ થયું છે. , તમે સારી રીતે નક્કી કરી શકો છો કે તેમના દાવા કેટલા શંકાસ્પદ હતા," 'અર્બન નક્સલ' શબ્દનો ઉપયોગ રાજકીય ક્ષેત્રના કેટલાક વિભાગો દ્વારા નક્સલવાદના કારણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા તેમજ અમુક સામાજિક કાર્યકરોને વર્ણવવા માટે કરવામાં આવે છે. "આ શહેરી નક્સલવાદીઓ હજી પણ સક્રિય છે. હું તમને ખાતરી કરવા વિનંતી કરું છું કે વ્યવસાયમાં સરળતા લાવવા અથવા જીવનની સરળતા લાવવાના હેતુવાળા પ્રોજેક્ટ્સ પર્યાવરણના નામે બિનજરૂરી રીતે અટકી ન જાય. આ ષડયંત્રનો સામનો કરવા માટે આપણે સંતુલિત અભિગમ ધરાવવો જોઈએ.

Last Updated :Sep 23, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.