કેવડિયામાં FM રેડિયો સ્ટેશનની શરૂઆત

author img

By

Published : Aug 16, 2021, 10:39 AM IST

Updated : Aug 17, 2021, 2:32 PM IST

કેવડિયામાં એફએમ રેડિયો સ્ટેશનની શરૂઆત

ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે સામુદાયિક એફએમ રેડિયો સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં પાંચ સ્થાનિય આદિવાસી યુવાઓને સામુદાયિક રેડિયો સ્ટેશન પર રેડિયો જોકીના રૂપમાં કામ કરવા માટે પ્રશિક્ષિક કરવામાં આવ્યા છે.

  • સરદાર પટેલની પ્રતિમા "સ્ટેચ્યૂ ઓફ યૂનિટી" સ્થિત છે
  • કેવડિયામાં એફએમ રેડિયો સેવા શરૂ કરવામાં આવી છે
  • રેડિયો સ્ટેશન સરદાર પટેલના જીવન સહિત વિભિન્ન કાર્યક્રમોને પ્રસારિત કરશે

નર્મદા- 15 ઓગસ્ટ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે સામુદાયિક એફએમ રેડિયો સેવા શરૂ કરવામાં આવી છે. કેવડિયામાં જ સરદાર પટેલની પ્રતિમા "સ્ટેચ્યૂ ઓફ યૂનિટી" સ્થિત છે.

કેવડિયામાં FM રેડિયો સ્ટેશનની શરૂઆત

આ પણ વાંચો- અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેન કરાઇ રદ

"સ્ટેચ્યૂ ઓફ યૂનિટી" સાથે જોડાયેલી પરિયોજનાઓ વિશે સૂચના અપાશે

અધિકારીઓએ જણાવ્યું કે, "સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ટૂરિઝમ ઓથોરિટી" ની પહેલ "એફએમ 90 રેડિયો યૂનિટી" નામનું આ રેડિયો સ્ટેશન સરદાર પટેલના જીવન સહિત વિભિન્ન કાર્યક્રમોને પ્રસારિત કરશે અને વિભિન્ન વિષયો પર જાણકારી પણ આપશે. "સ્ટેચ્યૂ ઓફ યૂનિટી" સાથે જોડાયેલી પરિયોજનાઓ વિશે સૂચના આપવામાં આવશે.

  • On the occasion of 75th Independence Day, Radio Unity-90 FM is soft-launched at Statue of Unity in Kevadia. Conceptualised by Hon @PMOIndia, it is the voice of tribal youth, for their empowerment & provides a platform to express themselves. pic.twitter.com/c7rGR5Z4VV

    — Statue Of Unity (@souindia) August 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એફએમ કેવડિયામાં 15-20 કિલોમીટરના વિસ્તારમાં સાઁભળી શકાશે

તેમણે જણાવ્યું હતું કે, રેડિયો સ્ટેશનમાં ઉદ્ધોષકના નામે કામ કરવા માટે સ્થાનિય આદિવાસી સમુદાયમાંથી પાંચ યુવાઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. આ એફએમ કેવડિયામાં 15-20 કિલોમીટરના વિસ્તારમાં સાઁભળી શકાશે.

એફએમ 90 રેડિયો યૂનિટીનો આરંભ થયો

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે "આઝાદી કા અમૃત મહોત્સવ" ના ઉપલક્ષ્યમાં એફએમ 90 રેડિયો યૂનિટીનો આરંભ થયો. પાંચ સ્થાનિય આદિવાસી યુવાઓને સામુદાયિક રેડિયો સ્ટેશન પર રેડિયો જોકીના રૂપમાં કામ કરવા માટે પ્રશિક્ષિક કરવામાં આવ્યા છે, જે કેવડિયાના 15-20 કિલોમીટરના વિસ્તારમાં સાંભળી શકાશે.

આઝાદીના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાયો

સરદાર સરોવર નિગમ લિમિટેડના પ્રબંધ નિર્દેશક રાજીવ ગુપ્તાએ કહ્યું કે, રેડિયો યૂનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિવાસી યુવાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના દીર્ધકાલિક દ્રષ્ટિકોણની જીવંત અભિવ્યક્તિ છે. તેમણે ટ્વીટ કર્યું કે, રેડિયો યૂનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિવાસી યુવાઓના સશક્તિકરણની દિશામાં તેમની દીર્ઘકાલિક દ્રષ્ટિ અને આત્મનિર્ભર ભારતની એક જીવંત અભિવ્યક્તિ છે. આ એવા સમયે થયું છે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે.

કેવડિયામાં પણ FM રેડીયો સાંભળવા મળશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને હવે રસ્તામાં બોર નહિ થવું પડે. કારણકે હવે તેમને વડોદરા-અમદાવાદની જેમ કેવડિયામાં પણ FM રેડીયો સાંભળવા મળશે. તમે માત્ર કાર કે મોબાઈલમાં FM ઓન કરી 90 ફ્રીકવન્સી નાખો એટલે ગીતસંગીત સાથે તમને સાંભળવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની માહિતીનું પણ કેવડિયામાં રેડિયો યુનિટી 90 FMનું સોફ્ટ લોંચિંગ થયુ છે.

આ પણ વાંચો- સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના તળાવમાંથી 194 મગરોને સ્થાળાતંર કરવામાં આવ્યા

સંસ્કૃતમાં પણ તમામ માહિતી સાંભળી શકાશે

જેમાં રેડિયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ કામ કરશે. આ અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળનાં ચેરમેન અને ઉદ્યોગ, ખાણ અને ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ અને વહીવટી સંચાલક ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, રેડિયો યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આદિવાસીઓમાં અસિમિત શક્તિ છે, જે અંગે વડાપ્રધાનને વિશ્વાસ છે. કેવડિયામાં ગાઇડ આજે સંસ્કૃત પણ બોલે છે અને આ તમામને કાશીમાં જઇને સંસ્કૃતની તાલીમ આપવામાં આવી છે. આ FM રેડીયો પર માત્ર હિન્દી નહિ પરંતુ સંસ્કૃતમાં તમામ માહિતી સાંભળી શકાશે.

Last Updated :Aug 17, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.