Vadnagar Ayurvedik Collage : વડનગરને આયુર્વેદિક મેડિકલ કોલેજ સહિતની કઇ કઇ સંસ્થાઓની ભેટ મળી જાણો

author img

By

Published : Apr 25, 2022, 2:52 PM IST

Vadnagar Ayurvedik Collage : વડનગરને આયુર્વેદિક મેડિકલ કોલેજ સહિતની કઇ કઇ વિવિધ સંસ્થાઓની ભેટ મળી જાણો

વડનગરમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે આયુર્વેદિક મેડિકલ કોલેજ (Vadnagar Ayurvedik Collage), હોસ્પિટલ તેમજ ગૌશાળાનુ લોકાર્પણ (BJP president CR Patil in Vadnagar) કરવામાં આવ્યું હતું.કોણ કોણ હાજર રહ્યું તે જાણો આ અહેવાલમાં.

મહેસાણા- વડનગર શેખપુર ખાતે કરૂણા સેતુ ટ્રસ્ટ વડનગર (Karuna Setu Trust Vadnagar) સંચાલિત ડૉ.વસંત પરીખ આર્યુવેદિક મેડિકલ કોલેજનું (Vadnagar Ayurvedik Collage) ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વરદ હસ્તે લોકાર્પણ (BJP president CR Patil in Vadnagar) કરવામાં આવ્યું હતું. જેમાં સમારંભની શરૂઆતમાં મેડિકલ કોલેજના મુખ્ય દાતા શ્રીમતિ ઉષાબેન અને જીતેન્દ્રભાઈ ખંભાતા તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટી સંજયભાઈ ઠક્કર દ્રારા મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઑ દ્રારા ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલહાર તથા શાલ ઓઢાડીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી વૈદ બાલેન્દુ પ્રકાશ, ડૉ‌.કિશોર સંઘવી, ડૉ.કિરિટ પટેલ, ડૉ.અનુપ ઈન્દોરીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

આયુર્વેદના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત લેપટોપ વિતરણ કરવામાં આવ્યું

વસંત વગડો ગૌશાળા - વડનગર કરૂણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંત વગડો ગૌશાળાનું ( વસંત વગડો ગૌશાળા)ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે (BJP president CR Patil in Vadnagar) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સી.આર પાટીલે કરુણા સેતુ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આયુર્વેદિક હોસ્પિટલ તથા માનવતાવાદી સેવાકીય પ્રવૃતિઓ માટે અભિનંદન આપ્યા હતાં. કરુણા સેતુ ટ્રસ્ટ વડનગર સંચાલિત માલિની કિશોર સંઘવી આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટનો (Vadnagar Ayurvedik Collage)સી.આર.પાટીલના હસ્તે કરાશે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ CR Patil In Surat: શિક્ષક એ સંતોષી પ્રાણી છે, સૌથી ઓછામાં સંતોષ પામતા હોય તો એ શિક્ષકો છે - CR પાટીલ

સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ - ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, (BJP president CR Patil in Vadnagar) વડનગર કરૂણા સેતુ ટ્રસ્ટ સંચાલિત માલિની કિશોર સંઘવી આયુર્વેદિક ઈન્સ્ટીટયૂટ પ્રેરિત શેખપુર રોડ પર આવેલી મીઠી કેમ્પસ ખાતે નવનિર્મિત ડો.વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ (Vadnagar Ayurvedik Collage), વસંત પ્રભા આયુર્વેદિક હોસ્પિટલ, અમીબેન મનીષભાઈ, વસંત વગડો( Vasant Vagado Gaushala) અને ગૌશાળાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ CR Patil visit in Bhavnagar : સી.આર. પાટીલના આગમન પહેલા ચોર પોલીસના ખેલ ખેલાયા, પોલીસે ખુણે ખાચરેથી પકડ્યા

લેપટોપ વિતરણ -આ પ્રસંગે આયુર્વેદના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત લેપટોપ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ.પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલ, તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આયુર્વેદિક કોલેજના પ્રિન્સીપાલ ડૉ. નિરંજન શમૉ તથા નર્સિંગ કૉલેજના પ્રિન્સીપાલ રાજેશ જોશી ઉપરાંત આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી સંજયભાઈ ઠક્કર, અમિતાબેન ઠક્કર, ધનજીભાઈ ચૌધરી તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.