કેન્દ્રીય શિક્ષણ પ્રધાને વડાપ્રધાન જ્યાં વેચતા હતા તે ચાના સ્ટોલની મુલાકાત લીધી

author img

By

Published : Sep 11, 2022, 6:54 AM IST

Updated : Sep 11, 2022, 12:49 PM IST

કેન્દ્રીય શિક્ષણ પ્રધાને વડાપ્રધાન જ્યાં વેચતા હતા તે ચાના સ્ટોલની મુલાકાત લીધી

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વડનગર રેલ્વે સ્ટેશન પર ચાના સ્ટોલની મુલાકાત લીધી હતી. જ્યાંથી પીએમ મોદી પોતાના પિતા સાથે ચા નું વેચાણ કરતા હતા અને ત્યાંથી તેમની જીવન યાત્રાની શરૂઆત કરી હતી. union education minister Dharmendra pradhan Gujarat visit, PM Modi Tea Stall visit union education minister Dharmendra at vadnagar

વડનગર : કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન શનિવારે ગુજરાતના પ્રવાસે આવેલ હતા(union education minister Dharmendra pradhan Gujarat visit). તે દરમિયાન તેમને વડનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લિધી હતી(PM Modi Tea Stall visit union education minister Dharmendra at vadnagar). જ્યાં તેમને વડાપ્રઘાન નરેન્દ્ર મોદી તેમના પિતા સાથે ચા વેચતા હતા તે ચાની સ્ટોલની પણ ખાસ મુલાકાત લિધી હતી. તે એજ સ્થળ છે જ્યાંથી વડાપ્રધાને તેમની પ્રેરણાદાયી જીવનયાત્રાની શરૂઆત કરી હતી. આ સ્થળની મુલાકાત લઇને તેમને ખુશી વ્યક્ત કરી હતી.

  • Gujarat | Union Education Min Dharmendra Pradhan visited the tea stall at Vadnagar railway station from where PM Modi embarked on his life journey

    It is the beauty of this land that someone who was brought up here is the leader of the country & a global leader: D Pradhan (10.09) pic.twitter.com/5Hdka3SOHu

    — ANI (@ANI) September 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાનના ટી સ્ટોલની મુલાકાત લિધી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, 'PM નરેન્દ્ર મોદીએ જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ કરી હતી તે જગ્યાની ગલીઓમાં આવવું ખૂબ જ સન્માનની વાત છે'. વડનગર રેલ્વે સ્ટેશન પરનો ચા સ્ટોલ જ્યાં વડાપ્રધાને તેમના પિતાને મદદ કરી હતી તે ધીરજ, નિશ્ચય, હિંમત અને સખત મહેનતની ઇમારત છે. વડનગરની શેરીઓ અને ઐતિહાસિક ચાની સ્ટોલ જ્યાં પીએમ નરેન્દ્ર મોદી તેમના શરૂઆતના વર્ષોમાં તેમના પિતાને મદદ કરતા હતા તે બધા માટે પ્રેરણારૂપ છે. તે એ હકીકતને મજબૂત કરે છે કે વ્યક્તિ પ્રતિકૂળતામાં પણ સફળ થઈ શકે છે અને લાખો લોકો માટે આશાનું કિરણ બની શકે છે. તેમણે વડનગરમાં હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તેમણે દરેકની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

Last Updated :Sep 11, 2022, 12:49 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.