PM મોદીની માતા હીરાબાની યાદમાં આજે પ્રાર્થના સભા યોજાઈ

author img

By

Published : Jan 1, 2023, 1:23 PM IST

PM મોદીની માતા હીરાબાની યાદમાં આજે પ્રાર્થના સભા યોજાઈ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 30 તારીખે શુક્રવારે દુઃખદ (Heera ba death) અવસાન થયું હતું. તેમના નિવાસસ્થાન રાયસન થી સેક્ટર 30 માં આવેલ મુક્તિધામ ખાતે તેમને અંતિમ(PM Modi Mother Death) વિધિ કરવામાં આવી હતી, ત્યારે આજે PM મોદીના માતા હીરાબેન મોદીની યાદમાં આજે ગુજરાતના તેમના નિવાસ સ્થાને વડનગરમાં પ્રાર્થના સભા યોજાઈ હતી.

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની યાદમાં રવિવારે ગુજરાતમાં વડાપ્રધાનના જન્મસ્થળ વડનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન (Prayer meeting in Vadnagar of Heeraba) કરવામાં આવ્યું હતું. તેના પરિવારજનોએ માહિતી આપી હતી કે, હીરાબાનું શુક્રવારે વહેલી સવારે અમદાવાદમાં 100 વર્ષની વયે અવસાન થયું હતું.

હીરાબાના કુંટુંબમાં કોણ: હીરાબા દામોદરદાસ મોદી (who is heerabaa) માટે પ્રાર્થના સભા 1 જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે યોજાઈ હતી. વડાપ્રધાન મોદી, તેમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં ગાંધીનગરના સ્મશાનભૂમિમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હીરાબાના પરિવારમાં પાંચ પુત્રો છે. વડાપ્રધાન મોદી અને તેમના ભાઈઓ સોમાભાઈ, અમૃતભાઈ, પ્રહલાદભાઈ અને પંકજભાઈ અને પુત્રી વાસંતીબેન.

રાયસણના રહેવાસીઓ માટે સાદગીના પ્રતિક: હીરાબા ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા, ત્યારે તેઓ રાયસન જઈને માતાને મળતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા (Prayer meeting in Vadnagar of Heeraba) ગુજરાતના ગાંધીનગરના રાયસણ ગામના રહેવાસીઓ માટે સાદગીના પ્રતિક હતા. વડાપ્રધાનની માતા હોવા છતાં, તેઓ હંમેશા લાઈમલાઈટથી દૂર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વિટ: તેમની માતાને શ્રદ્ધાંજલિ આપતા વડા પ્રધાન મોદીએ (Prime Minister Modi tweet for mother) ટ્વિટ કર્યું, 'ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે. માતામાં મેં હંમેશા ત્રૈક્ય અનુભવ્યું છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને જીવન મૂલ્યો માટે પ્રતિબદ્ધ છે. તેમણે ટ્વીટ કર્યું, 'જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો, ત્યારે તેમણે એક વાત કહી, જે હંમેશા યાદ રહેશે કે, 'બુદ્ધિથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો'.

હીરાબાના નિધન પર વ્યક્ત કર્યો શોક: હીરાબાના નિધન પર વિશ્વભરના નેતાઓ અને સરકારો દ્વારા શોક સંદેશો આપવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનથી લઈને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનની સરકારોએ હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.