કુલ 21 દેશ અને ચાર રાજ્યોના પતંગબાજોથી વડનગરનું આકાશ રંગબેરંગી

author img

By

Published : Jan 9, 2023, 7:43 PM IST

21 દેશો અને 4 રાજ્યોના પતંગબાજોથી વડનગરનું આકાશ રંગબેરંગી બન્યું

આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel ) વડનગરમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2023 (International Kite Festival 2023 ) નો શુભારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે જણાવ્યું કે વિવિધ મહોત્સવ થકી રાષ્ટ્રની સંસ્કૃતિના આદાનપ્રદાન કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. 21 દેશો અને 4 રાજ્યોના 71 પતંગબાજોથી વડનગરનું આકાશ રંગબેરંગી બન્યું છે.

વડનગર રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel ) મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ 2023 (International Kite Festival 2023 ) મહોત્સવનો શુભારંભ કરતા જણાવ્યું હતુ કે, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી વડનગર ખાતે દર વર્ષે આંતરરાષ્ટ્રીય તાનારીરી મહોત્સવ યોજાય છે. આજે શુભારંભ થયેલ પતંગ મહોત્સવ વર્લ્ડ હેરિટેજ સાઇટ વડનગર (International Kite Festival 2023 Vadnagar ) ની પ્રસિદ્ધિમાં વધારો કરશે.

નવીન આયામની શરૂઆત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક અને વિરાસત સંસ્કૃતિની નગરી વડનગરને યુનેસ્કોએ તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું છે. વડનગરની ભૂમિ પર આયોજીત થયેલ પતંગ મહોત્સવથી નવીન આયામની (International Kite Festival 2023 Vadnagar ) શરૂઆત થઇ છે. તેમણે ઉમેર્યું હતું કે,વિવિધ મહોત્સવ થકી રાષ્ટ્રની સંસ્કૃતિનું આદાનપ્રદાન કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પતંગ મહોત્સવથી આજે ગુજરાતમાં રોજગારીનું સર્જન થયું છે. ગુજરાતના વિકાસનો પતંગ (International Kite Festival Gujarat )સતત બે દાયકાથી નવી ઉંચાઈઓ પાર કરી રહ્યો છે, જેના પાયામાં આપણે સૌ છીએ.

આ પણ વાંચો વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્ત્સવનો પ્રારંભ

ઈન્ટરનેશનલ એટ્રેક્શન આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, ગુજરાતનો પતંગ મહોત્સવ હવે ઈન્ટરનેશનલ એટ્રેક્શન બની ગયો છે.આ મહોત્સવથી બે દાયકા પહેલાના અદાંજીત 10 કરોડના પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર આજે 625 કરોડનું થયું છે. તેમજ 1 લાખ 30 હજાર જેટલા લોકોને આ ઉદ્યોગ રોજગારી આપવાનું માધ્યમ બન્યું છે.

આ સાથે અન્ય આર્કષણો ઐતિહાસિક નગરી વડનગર ખાતે યોજાનાર પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા કાઇટ ફ્લાઇંગ,પતંગ-દોરીના સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો,હસ્તકલા બજાર,ખાણી-પાણીના સ્ટોલ સહિતના આર્કષણોએ લોકોમાં આનંદ છવાઇ ગયો હતો.

વિદેશથી આવેલા પતંગબાજો
વિદેશથી આવેલા પતંગબાજો

કયા કયા દેશથી આવ્યાં સ્પર્ધકો વડનગર ખાતે યોજાયેલ પતંગ મહોત્સવમાં બહરિન, કેનેડા, ઈરાક, માલ્ટા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈજિપ્ત સહિત પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી તેમજ ગુજરાતના પતંગબાજો પતંગ મહોત્સવમાં સહભાગી થયાં હતાં.

આ પણ વાંચો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023નો આજથી પ્રારંભ, જૂઓ અદભૂત તસવીરો

નેતાઓ અને પદાધિકારીઓ રહ્યાં ઉપસ્થિત આ પ્રસંગે સંસદ સભ્ય શારદાબેન પટેલ, ધારાસભ્ય સર્વે કરશનભાઇ સોલંકી, સરદારભાઇ ચૌધરી, સુખાજી ઠાકોર, કે.કે,પટેલ, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, ખાસ ફરજ પરના અધિકારી આર.આર.ઠક્કર, ડી.આર.ડી.એ સહિત અધિકારીઓ,પદાધિકારીઓ,વડનગર તાલુકા અને શહેરના અધિકારીઓ,પદાધિકારીઓ અને પતંગ રસિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

પતંગરસીયાઓના પ્રતિભાવો દેશવિદેશથી વડનગર પતંગોત્સવમાં આવેલા પતંગરસીયાઓના પ્રતિભાવો સિંગાપોરના પતંગબાજ કેડીસ અને અન્ય દેશના પતંગબાજ થોમસે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજન બદલ હું સરકારની આભારી છું. આ પ્રકારના આયોજનથી ભારતમાં આવવાની તેની સંસ્કૃતિને માણવાની, વારસાનને નિહાળવાની અને પતંગ મહોત્સવમાં ભાગ લેવાની તક મળી છે. તો પંજાબના ડો દેવેન્દ્ર પાલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં અનોખો અને અદ્રિતીય છે. આ પ્રકારના મહોત્સવથી સંસ્કૃતિના આદાના પ્રદાન સાથે રોજગારીનું પણ સર્જન થાય છે.

આ પણ વાંચો CM ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કરાવ્યો પ્રારંભ, અનેક દેશોના પતંગબાજોએ લીધો ભાગ

વડનગરની ધરા પાવન આ પ્રસંગે વડગનરના વતની અને પતંગ મહોત્સવમાં સહભાગી થયેલા ડૉ.ઉજાલ શાહે જણાવ્યું હતું કે, પતંગ મહોત્સવથી દેશવિદેશમાં નામના મળી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ઉજવાઇ રહેલ પતંગ મહોત્સવથી આજે વડનગરની ધરા પાવન થઇ છે.

71 પતંગબાજોના પતંગોએ બનાવ્યું વડનગરનું આકાશ રંગબેરંગી
71 પતંગબાજોના પતંગોએ બનાવ્યું વડનગરનું આકાશ રંગબેરંગી

પ્રવાસીઓની સંખ્યામાં વધારો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશવિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું છે પરિણામે અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે જેના લીધે લોકોના જીવનધોરણના સ્તરમાં પણ વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.