વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Nov 14, 2021, 2:23 PM IST

Tana Riri Music Festival 2021

મહેસાણા જિલ્લાના વડનગર (Vadnagar) ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવ (Tana Riri Music Festival 2021)નો સમાપન કાર્યક્રમ (Closing program) યોજાયો હતો. જેમાં મહાનુભાવોના વરદહસ્તે કલાકારોઓનું પુસ્તક, મોમેન્ટો પુષ્યગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવ સમાપન કાર્યક્રમ યોજાયો
  • રાજ્ય અને કેન્દ્ર સરકાર કલા અને સાહિત્યના વારસાને જાળવી રાખવાનું કામ કરી રહી છે
  • કલા, સંગીત, સંસ્કારના વારસાને સાચવી રાખવીની પ્રતિબદ્ધતા એટલે તાના રીરી મહોત્સવ

મહેસાણા: તાના રીરી મહોત્સવ (Tana Riri Music Festival 2021) સમાપન કાર્યક્રમ (Closing program)માં મહાનુભાવોના વરદહસ્તે કલાકારોઓનું પુસ્તક, મોમેન્ટો પુષ્યગુચ્છથી સ્વાગત કરવામાં આવું હતું. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના રીરીની સ્મૃતિમાં બે દિવસીય સમાપન સમારંભમાં નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પદ્મભૂષણ પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતાર જુગલબંધીની પ્રસ્તુતિ કરાઇ હતી. ધારા શુક્લ અને શિતલ બારોટ દ્વારા શિવસ્તુતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નુપુર કલા કેન્દ્રની વિધાર્થીનીઓ દ્વારા ભરતનાટ્યમ શૈલીમાં શિવ સ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: Tana RiRI Mahotsav 2021: 112 ભૂંગળ વાદકોએ સતત 5 મિનિટ વગાડવાનો વિક્રમ સર્જ્યો

મોટી સંખ્યામાં કલા રસીકો ઉપસ્થિત રહ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, તાના રીરી વિરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે વડનગર (Vadnagar) ના તાના રીરી ગાર્ડન ખાતે તાના રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હજારો દર્શકો આ મહોત્સવનો છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી લાભ લઇ રહ્યા છે. તાના રીરી મહોત્સવ (Tana Riri Music Festival 2021)ના સમાપન સમારોહ (Closing program)માં સામાજિક અગ્રણી સોમભાઈ મોદી, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, ધારાસભ્ય (MLA) ડો. આશા પટેલ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશ્નર પી.આર.જોષી, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર આઈ.આર.વાળા, નગરપાલિકાના પ્રમુખ જાગૃતિ વ્યાસ, સહિત અધિકારીઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં કલા રસીકો ઉપસ્થિત રહ્યા હતા.

વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો
વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: વડનગરમાં બે દિવસીય તાના રીરી મહોત્સવ 2021ને મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયો

બે બહેનોની સંગીત આરાધનાની કથાને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવાનો રાજ્ય સરકારનો પ્રયાસ: સોમભાઈ મોદી

વડનગર (Vadnagar) ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવ (Tana Riri Music Festival 2021) સમાપન કાર્યક્રમ (Closing program)માં ઉપસ્થિતિ સામાજિક અગ્રણી સોમભાઈ મોદી જણાવ્યું હતું કે, શાસ્ત્રીય સંગીતના વારસાની જાળવણી અર્થે ઉજવાતા તાના રીરી મહોત્સવ અને ઉત્તરાર્ધ મહોત્સવને લીધે મહેસાણા જિલ્લો અને ગુજરાત ગૌરવશાળી બન્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાના રીરી વિરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે તાના રીરી ગાર્ડનનું નિર્માણ કરાયું છે. આ બે બહેનોની સંગીત આરાધનાની કથાને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવાનો રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે.

વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો
વડનગર ખાતે બે દિવસીય તાના રીરી સંગીત મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો

વડનગરની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર તેના બે હજાર વર્ષના ઇતિહાસને જાળવીને બેઠી છે: ધારાસભ્ય

ધારાસભ્ય (MLA) ડો. આશા પટેલે જણાવ્યું હતું કે, વડનગર ઐતિહાસિક અને સાંસ્કૃતિક (Historical and cultural) રીતે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ધરતી પર ગજબની સાંસ્કૃતિક શક્તિ રહેલી છે. વડનગર (Vadnagar) ની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર તેના બે હજાર વર્ષના ઇતિહાસને જાળવીને બેઠી છે. જગતના ઇતિહાસમાં નગર સંસ્કૃતિનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે. પ્રાચીન સમયમાં દ્વારકા, મોઢેરા અને વડનગર એમ ત્રણ નગરીઓ મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી. આજે આપણે વડનગરની સંગીત પરંપરાની વાત કરવી છે. વડનગરની સ્થાપના થયા પછી આ નગરી સંગીત, કલા, ગાયન, વાદન અને નૃત્યના પ્રસાર- પ્રચાર માટે સુવિખ્યાત બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.