Horticulture in Mahisagar: મહીસાગરના ખેડૂતે પપૈયાની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા

author img

By

Published : Mar 16, 2022, 9:18 AM IST

Horticulture in Mahisagar: મહીસાગરના ખેડૂતે પપૈયાની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા

મહિસાગરના રાજપુર ગામના ખેડૂતે પપૈયાની નવીન(Mahisagar farmer cultivates papaya) ખેતી કરી છે. ખેડૂત પપૈયાની ખેતી કરી મહીસાગરમાં જાણીતા બન્યા છે. આ ખેતીની સાથે સાથે જળ સિંચાઇનું મહત્વ સમજી તમામ જમીનમાં ડ્રિપ એરીગેશન કરી આધુનિક ખેતી(Horticulture in Mahisagar )શરુ કરી છે. આગામી સમયમાં ખેડૂતો હવે હાઈટેક પદ્ધતિ ખેતી કરતાં શરૂ થાય તો સારી આવક મેળવી સારી એવી કમાણી પણ કરી શકે છે.

મહીસાગર: આધુનિક ખેતી અને સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ સાથે મબલખ ફળપાકોનું ઉત્પાદન બાગાયતી ખેતીમાં સફળ રહ્યું છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રાજપુર ગામના ખેડૂતે પપૈયાની નવીન(Mahisagar farmer cultivates papaya)ખેતી કરી છે. રાજપુર ગામના ખેડૂત સુરેશભાઈ પટેલ જેઓ પોતાની જમીનમાં પપૈયાની ખેતી કરી સમગ્ર પંથકમાં જાણીતા બન્યા છે. આ ખેતીની સાથે સાથે જળ સિંચાઇનું મહત્વ સમજી તમામ જમીનમાં ડ્રિપ એરીગેશન (Horticulture in Mahisagar)કરી આધુનિક ખેતી શરુ કરી છે.

પપૈયાની ખેતી

જમીનમાં પપૈયાની ખેતી કરી - પ્રારંભમાં જુની ખેતીમાં ઉત્પાદન અને ભાવ ન મળતા કંઈક નવું કરીએ એ વિચારીને સુરેશભાઈએ પોતાની જમીનમાં પપૈયાની ખેતી કરી છે. આ પાકને સુર્ય પ્રકાશની ગરમી, સસલું, નીલગાય, કે અન્ય પ્રાણીઓથી રક્ષણ માટે (Scheme Department of Agriculture)છોડ ઉપર ગ્રો કવર ચઢાવવામાં આવે છે. જેથી છોડ સ્વસ્થ બનશે અને પાક પણ સારો લાગશે.

આ પણ વાંચોઃ મહીસાગરના ખેડૂતે બાગાયતી ખેતી થકી સરગવાની સફળ ખેતી કરી

એક વીઘા માંથી દોઢ લાખ રૂપિયા જેટલી રકમની આવક - સુરેશભાઈના જણાવ્યા મુજબ મારી 10 વીઘા જમીનમાં 5,000 પપૈયાના છોડનું વાવેતર કર્યું છે. એક છોડ દીઠ 100 કિલો જેટલું ઉત્પાદન નીકળે છે. એક વીઘા માંથી દોઢ લાખ રૂપિયા જેટલી રકમની આવક થાય છે. આ ઉપરાંત વાવેતર બાદ 8 મહિનામાં પાક તૈયાર થઈ જાય છે. તેઓ જણાવે છે કે, તૈયાર થયેલ પાકને વેચવા જવું પડતું નથી પરંતુ વેપારીઓ ખુદ અહીં આવીને લઈ જાય છે. જેથી આવી ખેતી ફાયદાકારક અને અન્ય ખેડૂતો માટે પ્રેરણા રુપ છે.

ખેડૂતોને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવવા અપીલ - આગામી સમયમાં ખેડૂતો હવે હાઈટેક પદ્ધતિ ખેતી કરતાં શરૂ થાય તો સારી આવક મેળવી સારી એવી કમાણી પણ કરી શકે છે. કૃષિ વિભાગ વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન સાથે સબસિડી આપી સહાય રુપ બને છે. ત્યારે પોતાની ખેતી જાળવી રાખવા અન્ય ખેડૂતોને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ મહીસાગર જિલ્લાનું મગનપુરા ગામ બાગાયતી ખેતીનું બન્યુ યુનિક ગામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.