પૂર્ણેશ મોદીનું નિવેદન : 1965માં યુદ્ધ બાદ કોંગ્રેસ ભારતનો સરક્રિક વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવા માંગતી હતી

author img

By

Published : Jun 2, 2022, 5:54 PM IST

Updated : Jun 2, 2022, 6:10 PM IST

પૂર્ણેશ મોદીનું નિવેદન : 1965માં યુદ્ધ બાદ કોંગ્રેસ ભારતનો સરક્રિક વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવા માંગતી હતી

કચ્છમાં બે દિવસના પ્રવાસે આવેલા ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ (Roads and Building Minister Purnesh Modi visits Kutch) આજે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે તેમણે સર ક્રિક વિસ્તાર (Sar Creek area of Kutch) માટેના કોંગ્રેસ સરકારના સમયની વાત યાદ અપાવતાં આકરા પ્રહારો કર્યા (Purnesh Modi Statement) હતાં.

કચ્છ- બે દિવસ કચ્છ પ્રવાસે આવેલા ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્યન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ (Roads and Building Minister Purnesh Modi visits Kutch) આજે વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે પોતાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસની નીતિઓ પર ગુજરાતના વાહન વ્યવહાર પ્રધાને આકરા પ્રહારો કર્યા હતાં. પૂર્ણેશ મોદીએ (Purnesh Modi Statement) જણાવ્યું હતું કે કચ્છ એ સરહદી વિસ્તાર છે જેની નજીકમાં જ પાકિસ્તાન આવેલું છે. દિવાળીની રજાઓમાં તેમને પોતે વિસ્તારની મુલાકાત પણ લીધી છે તેવું જણાવ્યું હતું.

કોંગ્રેસની નીતિઓની ટીકા કરતાં માર્ગ અને મકાનપ્રધાન

આ પણ વાંચોઃ પાવાગઢની પલટાશે કાયા..! પહાડ ચીરીને શ્રદ્ધાળુઓને દર્શન માટે બનાવાશે સરળ માર્ગ

કસાબ જીવતો પકડાયો એ સારી વસ્તુ છે નહિતર કોંગ્રેસ દ્વારા ભગવા આતંકવાદમાં આ બધી પ્રવૃત્તિઓ ખપાવવામાં આવી હોત: પૂર્ણેશ મોદી -કચ્છની સરહદ પરના જવાનોને ખમીર પૂરું પાડવા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ અનેક કાર્યો કર્યા છે. પાણી સહિતની સુવિધાઓ પહોંચતી કરાઈ છે. નાપાક ઈરાદા ધરાવતું પાકિસ્તાન અવારનવાર છમકલાં કરતું રહે છે.કસાબ જીવતો પકડાયો (Purnesh Modi Statement) એ સારી વસ્તુ છે નહિતર કોંગ્રેસ (Congress) દ્વારા ભગવા આતંકવાદમાં આ બધી પ્રવૃત્તિઓ ખપાવવામાં આવી હોત. અનેકવાર દરિયાઈ માર્ગે ઘૂસણખોરી થતી રહી છે.

આ પણ વાંચોઃ Helicopter Joy Rides: અમદાવાદમાં શરૂ કરાઈ હેલિકોપ્ટર જોય રાઈડ્સ, રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરાવ્યો પ્રારંભ

ભારતીય જનસંઘના કાર્યકર્તાઓના આંદોલન થકી સરક્રિક વિસ્તાર ભારતમાં રહ્યો: પૂર્ણેશ મોદી - 1965માં યુદ્ધ બાદ કોંગ્રેસ ભારતનો સરક્રિક વિસ્તાર Sar Creek area of Kutch) પાકિસ્તાનને સોંપી દેવા માંગતી હતી એવું ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્યન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું (Purnesh Modi Statement) હતું. ત્યારે ભારતીય જનસંઘના (Bhartiya Jansangh ) કાર્યકર્તાઓ અને મોભીઓએ આંદોલન કર્યું અને એ વિસ્તાર ભારતમાં રહ્યો હતો. આવા નાપાક ઇરાદાઓ વચ્ચે ભાજપના વડવાઓએ દેશહિતનું કાર્ય કર્યું હોવાની વાત પણ તેમણે કરી હતી.

Last Updated :Jun 2, 2022, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.