લાખો શ્રધ્ધાળુઓ દર વરસે પદયાત્રા કરી આવે છે આશાપુરા માતાજીના દર્શને

author img

By

Published : Sep 23, 2022, 5:42 PM IST

લાખો શ્રધ્ધાળુઓ દર વરસે પદયાત્રા કરી આવે છે આશાપુરા માતાજીના દર્શને

નવરાત્રિના દિવસો નજીક આવતા હોવાથી અગાઉની પરંપરા મુજબ પદયાત્રીઓ કચ્છના કુળદેવી મા આશાપુરા આશિષ માટે ભાવિકો માતાનામઢ માટે છૂટા-છવાયા નીકળી પડ્યા છે. કચ્છના કુળદેવી માં આશાપુરા માતાજીના ધામ માતાના મઢમાં 8 થી 10 લાખ ભક્તો (Every year Devotees make a Foot pilgrimage ) ઉમટશે. બે વર્ષના કોરોના કાળમાં પદયાત્રીઓ માટે કેમ્પ બંધ રહ્યા બાદ આ વર્ષે ફરી સેવા કૅમ્પો શરૂ થયા છે, ત્યારે અન્ય જિલ્લામાંથી પદયાત્રીઓ માતાના મઢ (Foot pilgrimage to Ashapura Mataji Kutch ) જવા માટે નીકળ્યા છે.

કચ્છ ભુજમાં માધાપર પાસેથી શરૂ થઈ મીરઝાપર સુધી સેવા કેમ્પોનો (Service camps from Madhapar to Mirzapar in Bhuj) અને ફરતા વાહનો તેમજ તબીબી સેવા કેમ્પોની (Medical Service Camps) મોટી સંખ્યા કોરોના કાળ બાદ ફરી શરૂ થયું છે. કચ્છ ધણિયાણી દેશદેવી આશાપુરા માના દર્શને (Kutch Dhaniani Deshadevi Ashapura Maa) રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ માથું ટેકવા દર વર્ષે જાય છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળના લીધે પદયાત્રાએ જઈ શક્યા ન હોવાના કારણે આ વર્ષે સવિશેષ સંખ્યામાં પદયાત્રા કરીને પ્રવાસીઓ પગપાળા જતા જોવા મળે છે.

. કચ્છના કુળદેવી માં આશાપુરા માતાજીના ધામ માતાના મઢમાં 8 થી 10 લાખ ભક્તો ઉમટશે.

માતાજીના દર્શન કરવા માટે પગપાળા યાત્રા પદયાત્રીઓ હાલમાં પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે. વરસાદ હોય, ઝાકળ હોય, તાપ હોય કે ઠંડી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સાથે નાના મોટા અબાલ વૃદ્ધ જય માતાજીના જય ઘોષ સાથે ડગ માંડી રહ્યા છે. તકલીફ, મુશ્કેલીઓની પરવા કર્યા વગર માતાજીના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી પણ અનેક લોકો માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખીને પદયાત્રા કરીને માં આશાપુરાના દર્શન કરવા જઈ રહ્યા છે.

સમગ્ર દેશમાંથી લોકો ઉમટ્યાં ભક્તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ કાઠીયાવાડમાંથી લોકો માનતા રાખીને કચ્છના પશ્ચિમ છેવાડે આવેલા માતાના મઢ (Mata no Madh Kutch) મુકામે પહોંચી છે. ચાલુ વર્ષે પદ યાત્રાળુઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. પદ યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે કચ્છના રસ્તાઓ પર સેવા કેમ્પો ઉભા કરાયા છે. જેમાં ખાણીપીણી, ચા નાસ્તો, ભોજન વ્યવસ્થા, નહાવાની સગવડ ઉપરાંત મનોરંજન માટેની વ્યવસ્થા સાથે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે.

વિવિધ સેવા કેમ્પોમાં સગવડતાઓ આ યાત્રામાં સાયકલ સવારો મુંબઇથી લાંબો અંતર કાપીને દર્શને (Cyclists from Mumbai to Mata No Madh for Blessings) પહોંચે છે. રસ્તામાં તંત્ર દ્વારા કેટલીક જગ્યાએ એક માર્ગીય વ્યવસ્થા કરાઇ છે. પોલીસ પેટ્રોલિંગ સહિતની વ્યવસ્થા (Arrangements including police patrolling)ઊભી કરવામાં આવી છે. આશાપુરા માતાજીના દર્શને લાખો શ્રધ્ધાળુઓ દર વરસે માથું ટેકવા ઉમટે છે. પદ યાત્રાળુઓ માટે રસ્તામાં ફ્રૂટ, નાળિયેર, આઇક્રીમ, દાબેલી સહિતની સગવડતા સેવા કેમ્પોમાં આપવામાં આવી રહી છે.

આંખે પટ્ટી બાંધીને પદયાત્રા માતાજીના ભક્ત એવા માધાપરના પ્રભુલાલ પરમારે જણાવ્યું હતું કે માધાપરથી તેઓ માતાજીના દર્શન કરવા છેલ્લા 20 વર્ષોથી જઈ રહ્યા છે.આજ દિવસ સુધી કોઈ તકલીફ પડી નથી. માતાજીએ તેમની દીકરીના ઘરે દીકરાને જન્મ આપ્યો છે. તેમની માનતા પૂર્ણ થઈ છે. તે માટે તેઓ આ વર્ષે આંખે પટ્ટી બાંધીને પગપાળા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે.

7 વર્ષોથી વલસાડ માતાજીના પદયાત્રી છેલ્લા 7 વર્ષોથી વલસાડ માતાજીના દર્શન માટે પદયાત્રા કરીને જઈએ છીએ. 10 લોકો સાથે નીકળ્યા છીએ. અમુક લોકો 20 વર્ષોથી આવે છે, અમુક 10 વર્ષોથી તો અમુક 3થી 4 વર્ષોથી માતાજીના દર્શન માટે આવે છે. માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. માતાજીએ માનતા પૂર્ણ કરી છે. એટલે શ્રદ્ધાથી ચાલીને દર્શન માટે જઈએ છીએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.