જાસૂસી કરતા ઝડપાયેલ BSF જવાને 2 જેલ સહાયકો પર કર્યો હુમલો, જેલરે આરોપીને લઇને કર્યો મોટો ખુલાસો

author img

By

Published : Nov 19, 2021, 11:06 PM IST

જાસૂસી કરતા ઝડપાયેલ BSF જવાને 2 જેલ સહાયકો પર કર્યો હુમલો, જેલરે આરોપીને લઇને કર્યો મોટો ખુલાસો

કચ્છ (kutch)માં જાસૂસી (spying) કરતા ઝડપાયેલા કાશ્મીરના BSF જવાન (BSF jawan of Kashmir) મોહમ્મદ સજ્જાદે જેલ સહાયક પર સવારે હુમલો (attack) કર્યો હતો અને મારામારી કરતા આંખના ભાગે ઈજા (injured) પહોંચાડી હતી. આરોપી ઝનૂની સ્વાભાવનો (The accused's fanatical nature) હોવાનું અને વારંવાર ઉશ્કેરાઈ જતો હોવાનું જેલરે (Jailer) જણાવ્યું છે.

  • જાસૂસી કરતા ઝડપાયેલા BSF જવાને જેલમાં કર્યો હુમલો
  • સવારના જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાં જેલ સહાયક સાથે કરી મારામારી
  • આરોપી ઝનૂની સ્વભાવનો છે અને અવાર-નવાર જેલમાં ઉશ્કેરાઈ જાય છે: જેલર

કચ્છ: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (Border Security Force)નાં ગાંધીધામ યુનિટ (Gandhidham unit)માં તૈનાત કાશ્મીરી જવાન જાસુસી (undercover kashmiri jawan)કરતા ઝડપાયો હતો. ગુજરાતનાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (gujarat anti terrorism squad) દ્વારા આ જવાનની ધરપકડ કરવામાં આવી હતી, જેથી બોર્ડર ડિસ્ટ્રીક્ટ કચ્છ (border district kutch)ની ઇન્ટેલિજન્સ એજન્સીઓ (Intelligence agencies) પણ ચોંકી ઉઠી હતી. આરોપી મોહમ્મદ સજ્જાદને પાલારા જેલમાં ઉચ્ચ સુરક્ષા (high security)માં રાખવામાં આવ્યો હતો. આજે સવારમાં આરોપીએ જેલમાં 2 જેલ સહાયકો પર હુમલો (attack on prison assistant) કર્યો હતો.

જેલ સહાયકે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

પાલારા ખાસ જેલના જેલર રાજેન્દ્ર રાવે ETV Bharat સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'દેશ સાથે ગદ્દારી કરનારા આરોપી સજ્જાદને પાલારા ખાસ જેલમાં રાખવામાં આવ્યુો છે, જ્યાં તે આજે સવારના 7:20 કલાકના સમયગાળામાં ચા પીવા માટે પોતાના બેરેકમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે હાઈ સિક્યુરિટી ઝોનમાં પોતાની ફરજ બજાવી રહેલા રણજીતસિંહ પરમારે તેને સિક્યુરિટી ઝોનમાં પ્રવેશતા રોક્યો હતો, ત્યારે આરોપીએ ઉશ્કેરાઇને જેલ સહાયક સાથે ગાળાગાળી કરી હતી અને અભદ્ર વર્તન કર્યું હતું અને ત્યારબાદ મારામારી કરી હતી.

આરોપી ઝનૂની સ્વભાવનો છે અને અવાર-નવાર જેલમાં ઉશ્કેરાઈ જાય છે: જેલર

જેલ સહાયકે આરોપીએ હુમલો કરતા અન્ય જેલ સહાયકને રાડો પાડીને બોલાવ્યો હતો, ત્યારે આરોપીએ અન્ય સહાયક પર પણ હુમલો કર્યો હતો અને મૂઢમાર માર્યો હતો. આરોપીઓ જેલ સહાયકને આંખના ભાગે ઇજા પહોંચાડી હતી, ત્યારબાદ જેલના અન્ય સ્ટાફ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને આરોપીને કાબૂમાં લઈ તેના બેરેકમાં ધકેલ્યો હતો. ઉપરાંત જેલર રાજેન્દ્ર રાવે જણાવ્યું હતું કે, આરોપી ઝનૂની સ્વભાવનો છે અને જેલમાં અવારનવાર ઉશેકરાઈ જાય છે.

BSF દ્વારા નોકરીમાંથી ડિસમિસ કરાયો હતો

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ સજ્જાદ દેશની આંતરિક સુરક્ષા અંગેની માહિતી તથા ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં પહોંચાડતો હતો અને ગુજરાત ATS દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની આ પ્રવૃત્તિ દેશની સુરક્ષા અને સલામતી માટે હાનિકારક (spying) હોવાના આધાર પર તેને નોકરીમાંથી ડિસમિસ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Atmanirbhar Gram Yatra: ગુજરાતમાં ભાજપ "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" થકી ચૂંટણી મોડમાં આવી

આ પણ વાંચો: ગુરુ યોગતિલકસૂરિજીની વાણીનો જાદુ: 8 આખા પરિવાર, 2 સગા ભાઇઓ સહિત 75 દીક્ષાર્થીઓ દીક્ષા લેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.