ETV Bharat / state

માંડવીમાં અજય દેવગણે મહાદેવ મંદિરમાં ટૂંકા વસ્ત્રમાં પૂજા અર્ચના કરી અને પછી...

માંડવી: કચ્છ જિલ્લાના માંડવી ખાતે બોલીવૂડની આગામી ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’ના શૂટીંગ માટે આવેલા બોલિવૂડ સ્ટાર અજય દેવગણે આજે માંડવી શહેરના લાયજા રોડ પર આવેલાં પૌરોણિક નાગનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી.

કચ્છ, માંડવીમાં અજય દેવગણે મહાદેવ મંદિરમાં કરી પુજા અર્ચના
author img

By

Published : July 29, 2019 at 7:19 PM IST

Choose ETV Bharat

શ્રાવણ માસ શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભગવાન શિવ પ્રત્યે પોતાની આસ્થા બતાવવતા અજય દેવગણ ટી-શર્ટ અને શોર્ટસ પહેરીને મંદિરના ગર્ભગૃહમાં બેસીને શિવજીની પૂજા-અર્ચના કરી હતી.

મંદિરના મહંત વિજયગિરિ ગોસ્વામીએ આ પૂજા-વિધિ કરાવી હતી. ફિલ્મના પ્રોડક્શન યુનિટ સાથે સ્થાનિક સંકળાયેલા યોગેશભાઈ બોક્સાએ અજય દેવગણને આ મંદિર વિશે વાત કરી હતી. જેથી બપોરે અજયે સામેથી તેમને ફોન કરી મંદિરના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પૂજાવિધિ બાદ દેવગણે પૂજારી અને ભાવિકગણ સાથે ફોટો પડાવ્યો હતો

તેમજ અજય દેવગણ મંદિરના દર્શને આવતા ચાહકો દેવગણની ઝલક નિહાળવા ઉમટી પડ્યાં હતા. શોર્ટસ પહેરીને મંદિરમાં બેઠેલાં દેવગણની તસવીરો સોશિયલ મિડિયામાં વહેતી થતાં કેટલાંક લોકોએ દેવગણના વસ્ત્રપરિધાન અંગે પણ ટિપ્પણીઓ કરી હતી.

Intro:કચ્છના માંડવી ખાતે બોલીવુડની આગામી ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’ના શૂટીંગ માટે માંડવી આવેલા બોલિવુડ સ્ટાર અજય દેવગણે આજે માંડવી શહેરના લાયજા રોડ પર આવેલાં પૌરોણિક નાગનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી.Body:

શ્રાવણ માસ શરૂ થવાના ગણતરીના દિસવો બાકી છે ત્યારે ભગવાન શિવ પ્રત્યે પોતાની આસ્થા બતાવવતા અજય દેવગણ ટી-શર્ટ અને શોર્ટસ પહેરીને મંદિરના ગર્ભગૃહમાં બેસીને શિવજીની પૂજા-અર્ચના કરી હતી. મંદિરના મહંત વિજયગિરિ ગોસ્વામીએ આ પૂજા-વિધિ કરાવી હતી. ફિલ્મના પ્રોડક્શન યુનિટ સાથે સ્થાનિકે સંકળાયેલા યોગેશભાઈ બોક્સાએ અજય દેવગણને આ મંદિર વિશે વાત કરી હતી. જેથી આજે બપોરે અજયે સામેથી તેમને ફોન કરી મંદિરના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પૂજાવિધિ બાદ દેવગણે પૂજારી અને ભાવિકગણ સાથે ફોટો પડાવ્યો હતો

અજય દેવગણ મંદિરના દર્શને આવતા ચાહકો દેવગણની ઝલક નિહાળવા ઉમટી પડ્યાં હતા. . શોર્ટસ પહેરીને મંદિરમાં બેઠેલાં દેવગણની તસવીરો સોશિયલ મિડિયામાં વહેતી થતાં કેટલાંક લોકોએ દેવગણના વસ્ત્રપરિધાન અંગે પણ ટિપ્પણીઓ કરી હતી. Conclusion: