ડાકોરના ઠાકોરે વેપારી બની ભક્તોની હૂંડી સ્વીકારી

author img

By

Published : Nov 5, 2021, 1:27 PM IST

ડાકોરના ઠાકોરે વેપારી બની ભક્તોની હૂંડી સ્વીકારી

યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી પર્વ પર રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ વેપારી બન્યાં હતાં. હાટડીભરી શેઠ બની ડાકોરના ઠાકોરે ભક્તોની હૂંડી (Draft ) સ્વીકારી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનને હૂંડી લખાવી ( Hatdi darshan in Dakor Ranchhodrai temple ) ધન્યતા અનુભવી હતી.

  • દિવાળી પર્વ પર ડાકોરના ઠાકોર બન્યાં વેપારી
  • હાટડી ભરી શેઠ બની રાજાધિરાજે સ્વીકારી ભક્તોની હૂંડી
  • મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઈ હૂંડી લખાવી ધન્યતા અનુભવી

ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી પર્વે વિશેષ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રમા એકાદશીથી નૂતન વર્ષ દરમ્યાન વિવિધ તહેવારો ઉજવાય છે.

હાટડી ભરી શેઠ બની રાજાધિરાજે સ્વીકારી ભક્તોની હૂંડી

દિવાળીના દિવસે યોજાતા હાટડી દર્શન ( Hatdi darshan in Dakor Ranchhodrai temple ) તેમજ બેસતાં વર્ષે યોજાતા અન્નકૂટનું ( Annakut )વિશેષ મહત્વ ભાવિકોમાં રહેલું છે. દિવાળીના દિવસે રાત્રે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના હાટડી દર્શન યોજાયાં હતાં. જેમાં રણછોડરાયે વેપારી બની હાટડી ભરી ભક્તોની હૂંડી સ્વીકારીને તેની પોતાના ચોપડામાં નોંધ કરી હતી.

રાજા રણછોડરાય દિવાળી પર્વે વેપારી બને છે અને હાટડી દર્શન કરાવે છે
રાજા રણછોડરાય દિવાળી પર્વે વેપારી બને છે અને હાટડી દર્શન કરાવે છે

મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઈ હૂંડી લખાવી ધન્યતા અનુભવી

મોટી સંખ્યામાં ભક્તોએ રાજાધિરાજના ( Hatdi darshan in Dakor Ranchhodrai temple ) દર્શનનો લાભ લઇ ભગવાનને પોતાની હૂંડી લખાવી ધન્યતા અનુભવી હતી. પ્રાચીન સમયથી પરંપરાગત રીતે મંદિરમાં હાટડી દર્શન યોજવામાં આવે છે. જેના દર્શનનો ખુબ મોટી સંખ્યામાં ભાવિકો લાભ લેતા હોય છે.

રાજાધિરાજ રણછોડરાયે ભક્તોની હૂંડી સ્વીકારી

આ પણ વાંચોઃ દ્વારકાધીશ જગત મંદિર ખાતે 2 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી કોવિડ ગાઈડ લાઈન મુજબ ઉજવાશે દિવાળીનો તહેવાર

આ પણ વાંચોઃ Ambaji Temple : બેસતાં વર્ષે મા અંબાને બપોરે ધરાવાશે અન્નકુટ, દર્શન આરતીના સમય જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.