Happy New Year: ડાકોરમાં રણછોડરાયજીનાં મંદિરમાં અન્નકૂટનો ભોગ ભક્તો દ્વારા લૂંટવામાં આવ્યો...

author img

By

Published : Nov 5, 2021, 7:10 PM IST

Happy New Year: ડાકોરમાં રણછોડરાયજીનાં મંદિરમાં અન્નકૂટનો ભોગ ભક્તો દ્વારા લૂંટવામાં આવ્યો...

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજીનાં મંદિરમાં બેસતા વર્ષે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મંદિરની પરંપરા મુજબ આ અન્નકૂટ ભક્તો દ્વારા લૂંટવામાં આવ્યો હતો.

  • બેસતા વર્ષના દિવસે યોજાય છે અન્નકૂટનો ઉત્સવ
  • રણછોડરાયજીને ધરાવાય છે 151 મણનો અન્નકૂટ
  • ભારતમાં માત્ર ડાકોરમાં અન્નકૂટ લુંટવાની છે પ્રથા

ડાકોર : સમગ્ર ભારતમાં એકમાત્ર ડાકોરમાં આવેલ ભગવાન રણછોડરાયજીનાં મંદિરમાં 151 મણનો અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવે છે અને ખાસ મહત્વની બાબત એ છે કે, આ પ્રસાદ વેચવામાં નથી આવતો પરંતુ ભક્તો દ્વારા તેને લૂંટવાની પ્રથા છે. આ પ્રસાદને લૂંટવા માટે મંદિર દ્વારા આસપાસનાં 80 ગામોનાં ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ આપવામાં આવે છે. ત્યારબાદ અન્નકૂટની મહાઆરતી બાદ પ્રસાદ લૂંટવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે, આ પ્રસાદને આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે.

Happy New Year: ડાકોરમાં રણછોડરાયજીનાં મંદિરમાં અન્નકૂટનો ભોગ ભક્તો દ્વારા લૂંટવામાં આવ્યો...

રણછોડરાયજીને ધરાવાય છે 151 મણનો અન્નકૂટ

મંદિરનાં ઘુમ્મટની અંદર 20 મણનાં ભાત, 2,750 કિલો બુંદી, 20 કિલો મીઠાઈ, 20 કિલો શાકભાજી, 20 કિલો ફળફળાદી તેમજ રાજભોગ મળીને કુલ 151 મણનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સવારે મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવે છે. સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરવામાં આવે છે. તેના ઉપર ગાયનું શુધ્ધ ઘી લગાવવાંમાં આવે છે ત્યારબાદ તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજને ભોગ ધરાવવામાં આવે છે. મંદિરમાં આશરે 250 વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા ચાલે છે.

આ પણ વાંચો : Happy new year: અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા

આ પણ વાંચો : આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બને તેવી કામગીરી સાથે શુભેચ્છાઓ: CM ભૂપેન્દ્ર પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.