વિધાનસભાના અધ્યક્ષ નિમાબહેન આચાર્યા ડાકોર અને વડતાલ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા

author img

By

Published : Oct 5, 2021, 11:35 AM IST

વિધાનસભાના અધ્યક્ષ નિમાબહેન આચાર્યા ડાકોર અને વડતાલ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા

સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ડાકોરના રાજા રણછોડરાયજીના મંદિર તથા વડતાલન સ્‍વામિનારાયણ મંદિરની મુલાકાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય આવ્‍યા પહોચ્યા હતા. તેઓએ બંન્‍ને જગ્‍યાએ દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.

  • ડાકોર રણછોડરાયજી મંદિર અને વડતાલ સ્વામીનારાયણ મંદિરે દર્શન કર્યા
  • ગુજરાત રાજયના નાગરિકો અને રાજયની પ્રગતિની મનોકામના વ્‍યકત કરી
  • મુખ્ય દંડકની શુભેચ્છા મુલાકાત લીધી

ડાકોર : આજરોજ એટલે કે મંગળવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને વડતાલની મુલાકાત લીધી હતી. તેમજ ગુજરાત રાજયના નાગરિકો અને રાજયની પ્રગતિની મનોકામના વ્‍યકત કરી હતી.

નાગરિકો અને રાજયની પ્રગતિની મનોકામના વ્‍યકત કરી

વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ડાકોર રાજા રણછોડરાયજી અને વડતાલ સ્‍વામિનારાયણના દર્શન કરી ગુજરાત રાજયના નાગરિકો અને રાજયની પ્રગતિની મનોકામના વ્‍યકત કરી હતી. તેઓએ ઉપસ્થિત સંતો, મહંતોના આર્શીવાદ પ્રાપ્‍ત કર્યા હતા. ડાકોર સ્થિત ભરત ભુવનની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. તેમજ મહંત દ્વારકાદાસજી મહારાજના આર્શીવાદ મેળવ્યા હતા. તેમજ નડિયાદ ખાતે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇની શુભેચ્છા મુલાકાત લીધી હતી

વિધાનસભાના અધ્યક્ષ નિમાબહેન આચાર્યા ડાકોર અને વડતાલ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા

​ખેડામાં કલેકટર કે.એલ.બચાણીએ તેઓનું સ્‍વાગત કર્યુ હતું

આ પ્રસંગે ડાકોર મુકામે મંદિર પરીસરના મેનેજર તથા પુજારી, વડતાલ ખાતે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇ ઉપસ્‍થિત રહ્યા હતા. ​ખેડા જિલ્‍લામાં કલેકટર કે.એલ.બચાણીએ તેઓનું અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર સ્‍વાગત કર્યુ હતું.

આ પણ વાંચો : વિપક્ષ બની કામ કરવાનું પસંદ કરીશું, પરંતુ સત્તા મેળવવા આપ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીએ : સી.જે. ચાવડા

આ પણ વાંચો : GMC Result Live Update : વોર્ડ નંબર 1, 3 , 4 , 5 ,9 અને વોર્ડ 7 માં ભાજપની પેનલનો સીધો વિજય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.