જાહેર માર્ગો પર ઘાસચારો વેચનાર, ખવડાવનાર સામે એક્શન, સાત લોકો સામે ફરિયાદ

author img

By

Published : Jan 4, 2023, 10:19 PM IST

જાહેર માર્ગો પર ઘાસચારો વેચનાર, ખવડાવનાર સામે એક્શન, સાત લોકો સામે ફરિયાદ

જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને (stray cattle Torture in Junagadh) મુક્તિ મળે તે માટે એક્શન પ્લાન સામે આવ્યો છે. શહેરમાં ઘાસચારો વહેંચતા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત આવનાર દિવસોમાં ઘાસચારો ખરીદીને જાહેર માર્ગો પર નાખતા શહેરીજનો વિરુદ્ધ પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો મળી રહ્યા છે. (fodder seller Complaint against in Junagadh)

જૂનાગઢ મનપા અને પોલીસની સંયુક્ત ટીમે ઘાસચારો વેચતા સાત લોકો સામે નોંધી ફરિયાદ

જૂનાગઢ : શહેરમાં રખડતા ઢોર કોઈ શહેરીજનો જીવ હણી લે તે પૂર્વે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત બનેલી ટાસ્ક ફોર્સની ટીમે સાત જેટલી લારી પર ઘાસચારો વહેંચતા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યની વડી અદાલતે રખડતા ઢોરના ત્રાસને લઈને રાજ્ય સરકારનો કાન આમળ્યો હતો, ત્યારે સરકારે રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરીજનોને (Junagadh Municipal Corporation) મુક્તિ મળે તે માટેના પગલાં ભરવાની શરૂઆત કરી છે. (fodder seller Complaint against in Junagadh)

પોલીસની સંયુક્ત ટાસ્ક ફોર્સની ટીમે નોંધ્યા સાત કેસ જૂનાગઢ સહિત રાજ્યના મહાનગરો અને નાના શહેરોમાં રખડતા ઢોરના ત્રાસને લઈને લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં રખડતા ઢોરના કારણે લોકોને જીવ ગુમાવવા સુધીનો સમય આવ્યો છે, ત્યારે રાજ્યની વડી અદાલતે પણ રખડતા ઢોરના ત્રાસને લઈને રાજ્ય સરકારનો કાન આમળ્યો છે અને તાકીદે રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે તે માટે એક્શન પ્લાન કરવાની તાકીદ કરી છે. તેને ધ્યાને રાખીને જુનાગઢ પોલીસ અને મનપાની સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવીને સાત જેટલા લારી ધારકો સામે કેસ નોંધીને ધોરણ સમી કાર્યવાહી હાથ ધરી છે. તેમ છતાં હજુ પણ જુનાગઢ શહેરમાં રખડતા ઢોરના ટોળાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. (stray cattle Torture in Junagadh)

આ પણ વાંચો રાજકોટમાં રખડતા ઢોર પકડતી પાર્ટી સાથે ઢોર માલિકોની દબંગાઈ

જિલ્લા કલેકટરે જાહેર કર્યું જાહેરનામું જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પણ મનપા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વહેંચો અને રખડતા ઢોરને ઘાસચારો ખવડાવો આ બંને કામગીરીને ગુનાહિત કૃત્ય ગણવામાં આવ્યું છે. આ પ્રકારની ગુનાહિત કૃતિઓમાં સામેલ પ્રત્યેક ઘાસચારો વહેંચનાર વ્યક્તિ કે તેની પાસેથી ઘાસચારો ખરીદીને રખડતા ઢોરને ખવડાવનાર વ્યક્તિ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રથમ દિવસમાં જ સાત જેટલા લારી ચાલકો સામે જુનાગઢ પોલીસ અને મનપાની સંયુક્ત ટીમે કેસ નોંધીને આકરી કાર્યવાહી કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.(stray cattle Torture in Junagadh)

આ પણ વાંચો રખડતા ઢોરના ત્રાસ મુદ્દે HCમાં સુનાવણી, નક્કર કાર્યવાહી કરવાની એડવોકેટ જનરલની ખાતરી

શહેરીજનો સાવધાન આવનાર દિવસોમાં ઘાસચારો ખરીદીને જાહેર માર્ગો પર નાખતા શહેરીજનો વિરુદ્ધ પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે. તો વધુમાં પોલીસ અને મનપાના અધિકારીઓએ લોકોને પણ અપીલ કરી છે કે લોકો જાહેરમાં ઘાસચારો ખરીદી અને રોડ પર ગંદકીની સાથે ઢોરોના ત્રાસને ઉત્તેજના આપી રહ્યા છે. તે તાકીદે બંધ કરે અને ગૌશાળામાં રાખવામાં આવેલા પશુઓને ઘાસચારો ખવડાવે તેવી વિનંતી પણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.