ETV Bharat / state

'લાંછન આ બાપને-કલંક આ સમાજને', ભણવાની ઈચ્છાની બદલે દિકરીને મળ્યું મોત - પિતાએ દિકરીની હત્યા કરી

ગીર સોમનાથઃ એક તરફ સરકાર 'બેટી બચાવો બેટી પઢાઓ'ના નારા સાથે દીકરીઓને શાળા સુધી લાવવાના અથાગ પ્રયાસો કરી રહી છે. તો બીજી તરફ ગીરસોમનાથના રામપરા ગામે પિતૃત્વ અને સભ્ય સમાજને લાંછન રૂપ ઘટના સામે આવી છે. દિકરીને વધુ ભણવાની ઈચ્છાએ તેની આખી જીંદગી છીનવી લીધી. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ પિતા પોતાની દિકરી સાથે માત્ર ભણવાની વાત પર આવું કરી શકે.

author img

By

Published : January 20, 2020 at 1:43 PM IST

Updated : January 20, 2020 at 4:54 PM IST

ગીરસોમનાથના રામપરા ગામે પિતૃત્વ અને સભ્ય સમાજને લાંછન રૂપ ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ 11માં ભણતી દીકરી વધુ ભણવા ઇચ્છતી હોવાને કારણે તેના હેવાન પિતાએ દીકરીને માર મારી અને બળજબરીથી ઝેરી દવા પીવડાવી તેની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ તેને આત્મહત્યા જાહેર કરી હતા. પરંતુ ત્રણ માસ બાદ પોલીસના કડક વલણ સામે હત્યારા પિતા અને લાચાર પરિવારની વાસ્તવિકતા સામે આવી છે. જ્યારે નવરાત્રીમાં લોકો દેવીની આરાધના કરે છે ત્યારે હેવાન પિતાએ બીજા નોરતે જ પોતાની લક્ષ્મી સમાન દીકરીને ઝેર પીવડાવી હત્યા કરી હતી. જે મામલે માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

'લાંછન આ બાપને-કલંક આ સમાજને', ભણવાની ઈચ્છાની બદલે દિકરીને મળ્યું મોત

મૂળ તાલાલાના રામપરા ગામે રહેતા અને વેરાવળના ઇણાજ ગામે ખેતી કામ કરતા એક પિતાએ પોતાની 16 વર્ષની દીકરીને માર મારી ઝેરી દવા પીવડાવી હત્યા કરી હતી. માલદે ભાઈ સોલંકી અને તેમની પત્ની કંચન બેન પોતાના ચાર સંતાનો સાથે હંમેશા મારપીટ કરતા અને તેમને સતત ત્રાસ આપતાં હતા. તેમની સૌથી મોટી દીકરી હિરલ 11માં ધોરણમાં વેરાવળ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી. જોકે, તે તેના પિતાને મંજુર ન હતું જેથી હિરલને ભણવાનું બધ કરી તેને ઘરે લઈ આવ્યા હતા.

મૃતક હિરલ અને તેની માતાએ હિરલને ભણાવવાની જીદ કરતા નરાધમ પિતાએ તેને કેબલથી મારમારી. હાથ પગ બાંધી તેને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની મૃતક દિકરીની માતાએ પોલીસ સમક્ષ ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે. પોતાના શેતાન બની બેઠેલા પિતા દ્વારા અપાયેલી યાતનાઓને યાદ કરતા તેમની નાની દીકરી નયનાએ મીડિયા સમક્ષ કહ્યું કે, જ્યારે તેમની મોટી બેન હિરલને માર માર્યો તે દિવસે રાત્રે અમારા પિતાએ મને અને મારા નાના ભાઈને અમારી બેનના પગ બાંધવા ધમકી આપી પગ બંધાવ્યા હતા. મારી બેનને માર મારી મારા પિતાએ મારી પાસે ભજીયા બનાવડાવ્યા હતા અને બેનની હત્યા બાદ ભજીયા ખાઈ સુઈ ગયા હતા.

વધુમાં તેની નાની દિકરીએ કહ્યું કે, અમે અમારા પિતાના ત્રાસથી મારી બેનના મોતના 15 દિવસ પહેલા ત્રણેય ભાઈ બેહનોએ ઝેરી દવા પીધી હતી. પરંતુ વાડી માલિકે અમને સમય સર હોસ્પિટલ લઈ જતા અમારો જીવ બચ્યો હતો. પોતાની દીકરીની પોતાના જ પત એ હત્યા કર્યાની ત્રણ મહિના બાદ માતાએ પાટણ પોલીસમાં ફરિયાદ કરતા હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી છે.

સરકાર સામે આપણે ગમે ત્યારે સવાલો કરીએ છીએ. પરંતુ જ્યારે આવી ઘટના બને તે જોઈને લાગે છે ખરેખર લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. જો દિકરીને ભણવાની ઈચ્છા દર્શાવતા આવડી મોટી કિંમત ચુકવવી પડતી હોય તો કોઈ દિકરીને કિરણ બેદી અને નિર્મલા સિતારમણ જેવું બનવું હોય તો.....

ગીરસોમનાથના રામપરા ગામે પિતૃત્વ અને સભ્ય સમાજને લાંછન રૂપ ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ 11માં ભણતી દીકરી વધુ ભણવા ઇચ્છતી હોવાને કારણે તેના હેવાન પિતાએ દીકરીને માર મારી અને બળજબરીથી ઝેરી દવા પીવડાવી તેની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ તેને આત્મહત્યા જાહેર કરી હતા. પરંતુ ત્રણ માસ બાદ પોલીસના કડક વલણ સામે હત્યારા પિતા અને લાચાર પરિવારની વાસ્તવિકતા સામે આવી છે. જ્યારે નવરાત્રીમાં લોકો દેવીની આરાધના કરે છે ત્યારે હેવાન પિતાએ બીજા નોરતે જ પોતાની લક્ષ્મી સમાન દીકરીને ઝેર પીવડાવી હત્યા કરી હતી. જે મામલે માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

'લાંછન આ બાપને-કલંક આ સમાજને', ભણવાની ઈચ્છાની બદલે દિકરીને મળ્યું મોત

મૂળ તાલાલાના રામપરા ગામે રહેતા અને વેરાવળના ઇણાજ ગામે ખેતી કામ કરતા એક પિતાએ પોતાની 16 વર્ષની દીકરીને માર મારી ઝેરી દવા પીવડાવી હત્યા કરી હતી. માલદે ભાઈ સોલંકી અને તેમની પત્ની કંચન બેન પોતાના ચાર સંતાનો સાથે હંમેશા મારપીટ કરતા અને તેમને સતત ત્રાસ આપતાં હતા. તેમની સૌથી મોટી દીકરી હિરલ 11માં ધોરણમાં વેરાવળ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી. જોકે, તે તેના પિતાને મંજુર ન હતું જેથી હિરલને ભણવાનું બધ કરી તેને ઘરે લઈ આવ્યા હતા.

મૃતક હિરલ અને તેની માતાએ હિરલને ભણાવવાની જીદ કરતા નરાધમ પિતાએ તેને કેબલથી મારમારી. હાથ પગ બાંધી તેને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની મૃતક દિકરીની માતાએ પોલીસ સમક્ષ ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે. પોતાના શેતાન બની બેઠેલા પિતા દ્વારા અપાયેલી યાતનાઓને યાદ કરતા તેમની નાની દીકરી નયનાએ મીડિયા સમક્ષ કહ્યું કે, જ્યારે તેમની મોટી બેન હિરલને માર માર્યો તે દિવસે રાત્રે અમારા પિતાએ મને અને મારા નાના ભાઈને અમારી બેનના પગ બાંધવા ધમકી આપી પગ બંધાવ્યા હતા. મારી બેનને માર મારી મારા પિતાએ મારી પાસે ભજીયા બનાવડાવ્યા હતા અને બેનની હત્યા બાદ ભજીયા ખાઈ સુઈ ગયા હતા.

વધુમાં તેની નાની દિકરીએ કહ્યું કે, અમે અમારા પિતાના ત્રાસથી મારી બેનના મોતના 15 દિવસ પહેલા ત્રણેય ભાઈ બેહનોએ ઝેરી દવા પીધી હતી. પરંતુ વાડી માલિકે અમને સમય સર હોસ્પિટલ લઈ જતા અમારો જીવ બચ્યો હતો. પોતાની દીકરીની પોતાના જ પત એ હત્યા કર્યાની ત્રણ મહિના બાદ માતાએ પાટણ પોલીસમાં ફરિયાદ કરતા હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી છે.

સરકાર સામે આપણે ગમે ત્યારે સવાલો કરીએ છીએ. પરંતુ જ્યારે આવી ઘટના બને તે જોઈને લાગે છે ખરેખર લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. જો દિકરીને ભણવાની ઈચ્છા દર્શાવતા આવડી મોટી કિંમત ચુકવવી પડતી હોય તો કોઈ દિકરીને કિરણ બેદી અને નિર્મલા સિતારમણ જેવું બનવું હોય તો.....

Intro:એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાઓ ના નારા સાથે દીકરીઓને શાળા સુધી લાવવા પ્રયતની કરી રહી છે ત્યારે ગીરસોમનાથ ના રામપરા ગામે પિતૃત્વ અને સભ્ય સમાજ ને લાંછન રૂપ ઘટના સામે આવી છે જ્યાં 11માં ધોરણ માં ભણતી દીકરી વધુ ભણવા ઇચ્છતી હોવાને કારણે તેના હેવાન પિતાએ દીકરી ને માર મારી અને બળજબરીથી ઝેરી પીવડાવી તેની હત્યા ને આત્મહત્યા જાહેર કરી ત્રણ માસ બાદ પોલીસ ના કડક વલણ સામે હત્યારા પિતા અને લાચાર પરિવાર ની વાસ્તવિકતા સામે આવી છે. જ્યારે નૌરાત્રી માં લોકો દેવી ની આરાધના કરે છે ત્યારે હેવાન પિતાએ બીજા નોરતે જ પોતાની લક્ષ્મી સમાન દીકરી ને ઝેર પીવડાવી હત્યા કરી હતી.Body:મૂળ તાલાલા ના રામપરા ગામે રહેતા અને વેરાવળ ના ઇણાજ ગામે ખેતી કામ કરતા. એક પિતાએ પોતાની 16 વર્ષ ની દીકરી ને માર મારી ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા નો કિસ્સો પ્રકાશ મા આવ્યો છે

માલદે ભાઈ સોલંકી તેમની પત્ની કંચન બેન પોતાના ચાર સંતાનો સાથે હમેશા મારપીટ કરતા અને તેમને સતત ત્રાસ વચ્ચે રહેવું પડતું હદ તો ત્યારે થઈ જ્યારે તેમના સંતાનો માની સૌથી મોટી દીકરી હિરલ 11 મા ધોરણ માં વેરાવળ ગર્લ્સ સ્કૂલ મા અભયાસ કરતી જો કે તે તેના પિતાને મંજુર ન હતું જેથી હિરલ ને ભણવાનું બધ કરી. તેને ઘરે લઈ આવ્યા હતા. આશરે ત્રણ મહિના પેહલા ઠીક નૌરાત્રી સમયે જ્યારે આખું ગુજરાત દેવી ની આરાધના કરતું હતું ત્યારે આ હેવાન પિતાએ પોતાના ઘર ની લક્ષ્મી સમાન દીકરી ને ઝેર પીવડાવી હત્યા કરી હતી.

મૃતક હિરલ અને તેની માતા એ હિરલ ને ભણાવવા ની જીદ કરતા નરાધમ પિતા એ તેને કેબલ થી મારમારી. હાથ પગ બાંધી તેને ઝેરી દવા પીવડાવી મોત ને ઘાટ ઉતાર્યા ની મૃતક ના માતા એ પોલીસ સમક્ષ ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે.

પોતાના શેતાન બની બેઠેલા પિતા દ્વારા અપાયેલી યાતનાઓ ને યાદ કરતા તેમની નાની દીકરી નયના એ મીડિયા સમક્ષ કહ્યું કે જ્યારે તેમની મોટી બેન હિરલ ને માર માર્યો તે દિવસે રાત્રે અમારા પિતા એ મને અને મારા નાના ભાઈ ને અમારી બેન ના પગ બાંધવા ધમકી આપી પગ બંધાવ્યા હતા. મારી બેન ને માર મારી મારા પિતા એ મારી પાસે ભજીયા બનાવડાવ્યા હતા અને બેન ની હત્યા બાદ ભજીયા ખાઈ સુઈ ગયા હતા.

અમે અમારા પિતાના ત્રાસ થી મારી બેન ના મોત ના 15 દિવસ પહેલા ત્રણેય ભાઈ બેહનો એ ઝેરી દવા પીધી હતી પરંતુ વાડી માલિકે અમને સમય સર હોસ્પિટલ લય જતા અમારો જીવ બચ્યો હતો.

Conclusion:પોતાની દીકરી ની પોતાના જ પતિ એ હત્યા કર્યા ની ત્રણ મહિના બાદ માતા એ પાટણ પોલીસ મા ફરિયાદ કરતા હત્યારા પિતા ની પોલીસે ધરપકડ કરી છે

ત્રણ મહિના ફરિયાદ પાછળ સમય લાગ્યો તે સવાલ ના જવાબ આપતા મૃતક હિરલ ના માતા એ કહ્યું કે પુત્રી ની હત્યા કર્યા બાદ મારા પતિએ મને અને મારા બાળકો ને મો ખોલ્યું તો મારી નાખવાની ધમકી આપી હતી જેથી તેઓ ત્રણ મહિના સુધી ચૂપ રહયા હતા.

બાઈટ-1-કંચન બેન- મૃતક ની માતા
બાઈટ-2-નયના સોલંકી- હત્યા ના સાક્ષી
બાઈટ-3-જી.એમ.રાઠવા- પી.આઈ. પ્રભાસ પાટણ

હિન્દી સ્ક્રિપ્ટ લખીને હમણાં મોકલું છું
Last Updated : January 20, 2020 at 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.