આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર શરુ, ઇમ્પેક્ટ ફી સુધારો બિલ ગૃહમાં પસાર કરાશે

author img

By

Published : Dec 19, 2022, 8:18 PM IST

Updated : Dec 20, 2022, 10:47 AM IST

ઇમ્પેક્ટ બિલ સુધારો ગૃહમાં પસાર કરાશે, આવા બાંધકામને થશે સીધી અસર

આજે એક દિવસીય વિધાનસભા સત્રમાં (One day assembly session) ગુજરાત સરકાર ઇમ્પેક્ટ ફી (Impact bill amemdmen will be passed) સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આ અગાઉ આ માટે વટહુકમ બહાર (Cm Bhupendra Patel govt) પાડવામાં આવ્યો હતો. નિયમ અનુસાર વટહુકમ કાયદો બનવો જરૂરી પણ હોય છે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ( Gujarat Assembly Election 2022) તારીખ 18 ઓક્ટોબર ના રોજ તત્કાલીન સરકારના પ્રધાન જીતુ વાઘાણીએ ગુજરાત સરકાર ઇમ્પેક્ટ ફી નો કાયદો(Government Impact Fee Act) લાવી રહ્યા હોવાને જાહેરાત કરી હતી. અને ત્રણ મહિના સુધી ઇમ્પેક્ટ ફી ને લગતી અરજીઓ કરવાની જાહેરાત પણ ભુપેન્દ્ર પટેલની જૂની સરકારે કરી હતી. ત્યારે ભુપેન્દ્ર પટેલની નવી સરકારના આજે વિધાનસભાના પ્રથમ દિવસે (Gujarat Assembly House) જ સરકાર વિધાનસભા ગૃહમાં ઈમ્પેક્ટ બિલ સુધારો (Impact bill amemdmen will be passed) ગૃહમાં પસાર કરવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગ બિલ વિધાનસભાના (One day assembly sessio) એક દિવસીય સત્રમાં રાજ્ય સરકારના(Cm Bhupendra Patel govt) શહેરી વિકાસ વિભાગ (Department of Urban Development) દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક 2022 રજૂ કરવામાં આવશે. કેબીનેટ પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે. તારીખ 30 સપ્ટેમ્બર, 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામને આ વિધેયક લાગુ પડશે. તારીખ 17 ઓક્ટોબર, 2022 ના દિવસથી રાજ્યમાં અમલી બનાવાયુ છે. આ વિધેયક અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિકાસ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવશે. જે બાંધકામોની બી.યુ. પરમિશન નથી. અથવા જે બાંધકામને તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી છે. તેવા બાંધકામ આ વિધેયક હેઠળ નિયમિત થઈ શકશે.

અરજી કોણ કરી શકશે ? વિકાસ નિયમિત કરવા માટે આ અધિનિયમ( Impact bill amemdmen will be passed) લાગુ થયાના 4 મહિનાની મુદત ની અંદર અરજી કરવાની રહેશે. એક કરતાં વધુ માલિક અથવા કબજો ધરાવનાર કિસ્સામાં તમામ માલિક અથવા કબજો ધરાવનાર વ્યક્તિએ સંયુક્ત રીતે અરજી કરવાની રહેશે. એક કરતાં વધુ માલિકી ધરાવતા કિસ્સામાં સત્તા અધિકારી યોગ્ય લાગે તેની તપાસ કર્યા બાદ ખાતરી આપે. ત્યારબાદ જ અરજદારોની અરજી કરવા પરવાનગી આપી શકાશે.

અરજીની ચકાસણી કરશે 4 મહિના સુધી અરજી કરવા માટે મુદતઅરજદારે કલમ 5 હેઠળ કરેલી અરજીના 6 મહિનાની મુદતની અંદર સત્તાધિકારીઓ અરજીની ચકાસણી કરશે. સત્તાધિકારી જ્યારે અનધિકૃત બાંધકામ નિયમિત કરવાની પરવાનગી આપશે. ત્યારબાદ જ અરજદારે ઈમ્પેક્ટ ફી ભરીને કાર્યવાહી કરવાની રહેશે. સત્તાધીશોના નિયમિત બાંધકામના હુકમથી બે મહિનાની મુદતની અંદર અરજદારે ફી ચૂકવવાની રહેશે. આમ, ઓક્ટોબર માસથી લાગુ કરવામાં આવેલા અધિનિયમ હેઠળ ફેબ્રુઆરી, 2023 સુધી અનધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરી શકાશે.

જમીન પર થયેલા બાંધકામ વિકાસ યોજના અથવા નગર યોજના હેઠળ અનામત રાખેલી (કપાત) જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામ, જળાશયો, જળમાર્ગ, તળાવના પટ્ટ નદીના પટ્ટ અને કુદરતી વહેણ હોય તેવા સ્થળો પર થયેલ ગેરકાયદેસર બાંધકામ- જોખમી ઔદ્યોગિક વિકાસ માટે ફાળવવામાં આવેલ જમીન પર થયેલ ગેરકાયદેસર- શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા રમત-ગમતના મેદાન પર થયેલા બાંધકામ નિયમિત થશે નહિ

રાજ્યમાં અધિનિયમ કેમ જરૂરી ? ગુજરાતમાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધવાને કારણે મિલકતોની માંગમાં પણ વધારો થયો છે. રાજ્યમાં ઝડપી શહેરીકરણને કારણે રહેણાંક વિસ્તારમાં મકાન ની માંગના આધારે ગેરકાયદેસર બાંધકામનું પ્રમાણ પણ વધ્યું છે. ગેરકાયદેસર બનેલી સોસાયટી, ફ્લેટ સહિતની મિલકતોમાં સામાન્ય જનતાએ પોતાની જિંદગીભરની મૂડી ખર્ચીને મકાન ખરીદ્યું છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ ને લીધે લોકો વર્ષોથી ચિંતામાં હતા. રાજ્ય સરકારે લોકો ની આ જ ચિંતા ને ધ્યાનમાં રાખીને આ અધિનિયમ લાવવા નક્કી કર્યું.

મોટી સંખ્યામાં લોકો બેઘર આ અગાઉ ગુજરાત સરકારે વર્ષ 2001 અને વર્ષ 2011 માં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક લાવ્યા હતા. પરંતુ મોટી સંખ્યામાં મકાન નિયમિત થઈ શક્યા નહોતા અને હજુ પણ લાખોની સંખ્યામાં મકાનો બી.યુ. પરમીશન વગરના છે. કેટલાક મકાન માલિક અગાઉના અધિનિયમ હેઠળ અરજી કરી શક્યા નહોતા. રાજ્ય સરકારના સર્વેમાં અરજી ન કરી શકનારા લોકોની સંખ્યા મોટી હતી. આવા મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતી હોવાના તેમજ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હતો. મોટી સંખ્યામાં લોકો બેઘર બનશે અને આજીવિકાનું સાધન ગુમાવે તેવી ભીતિ હોવાના કારણે સમાજના આર્થિક અને સામાજિક માળખાને નુકસાન ન પહોંચે તે માટે આ વિધેયક લાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.

ઓછી હશે તેવી મિલકતો રહેણાંક ઉપયોગ સિવાયના વાણિજ્ય શૈક્ષણિક આરોગ્ય ઔદ્યોગિક વગેરે બાંધકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર એફએસઆઈ કરતા 50 ટકા વધારે એફએસઆઈ થતી હોય તેવા પ્લોટની હતી. બહાર નીકળતા પ્રોજેક્શન પાણી પુરવઠા ગટર વ્યવસ્થા પાણીના નિકાલ ઇલેક્ટ્રીક લાઈન ગેસ લાઇન અનેક જાહેર ઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામને પણ પરવાનગી આપવામાં નહીં આવે. ફાયર સેફટીના કાયદા મુજબ સુસંગત ન હોય તો ચેનલ સ્ટેબિલિટીની જરૂરિયાત જડવાથી ન હોય તેના કાયદા હેઠળ ઠરાવેલ બિનઅધિકૃત બાંધકામ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ લિસ્ટમેંટ કાયદા મુજબ સુસંગત ન હોય તેવા બાંધકામોને પણ મંજૂરી આપવામાં નહીં આવે.

ચોરસ મીટર મર્યાદા 50 ચોરસ મીટર સુધી 3000 50 થી 100 ચો. મીટર સુધી 3000 + 3000 100 થી 200 ચો.મી. 6000 + 6000 200 ચો.મી. થી 300 ચો.મી. 12,000+ 6000 300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના 150 રૂપિયા દર ચોરસ મીટર સમય મર્યાદા છે.અરજી કરવા માટે તારીખ 17- 10-2022 થી ચાર માસના સમય મર્યાદા છે.

Last Updated :Dec 20, 2022, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.